અરુણાચલ ભારતનું અભિન્ન અંગ, LAC પર ચીનની આક્રમક્તાની નિંદા: અમેરિકાની સેનેટમાં ઠરાવ


  • Published By :
  • Published Date : 2023-02-17 19:03:26

અરુણાચલ પ્રદેશના મુદ્દે ભારતને હવે અમેરિકાનું સમર્થન મળ્યું છે. અમેરિકાએ વાસ્‍તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચીનના અતિક્રમણની નિંદા કરી છે અને અરુણાચલ પ્રદેશને ભારતનું અભિન્ન અંગ ગણાવ્યું છે. યુએસ સેનેટ દ્વારા એક પ્રસ્‍તાવ લાવવામાં આવ્‍યો છે.


અરુણાચલ ભારતનું અભિન્ન અંગ


અમેરિકાની સેનેટના આ પ્રસ્‍તાવમાં અરુણાચલ પ્રદેશને ભારતનું અભિન્ન અંગ જાહેર કરવામાં આવ્‍યું છે. આ ઠરાવમાં ભારતની ‘સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડિતતા'નું સમર્થન કરવામાં આવ્‍યું છે. આ સાથે ચીનની પણ નિંદા કરવામાં આવી છે. આ પહેલીવાર છે જયારે અમેરિકાની સેનેટે આવો પ્રસ્‍તાવ લાવીને ભારતને સમર્થન આપવાનું વચન આપ્‍યું છે.યુએસ સેનેટનો ઠરાવ LACની યથાસ્‍થિતિ બદલવા માટે ‘લશ્‍કરી દળ'ના ઉપયોગની નિંદા કરે છે. આ સાથે અન્‍ય ઉશ્‍કેરણીજનક પગલાં માટે પણ ચીનનો વિરોધ કરવામાં આવ્‍યો છે. અમેરિકાના પ્રસ્‍તાવમાં ભારત દ્વારા સંરક્ષણ માટે ઉઠાવવામાં આવેલા પગલાને પણ સમર્થન આપવામાં આવ્‍યું છે.


ચીનની આક્રમક્તાનો વિરોધ


અમેરિકાના પ્રસ્‍તાવ મુજબ, ભારત દ્વારા આ પગલાં ચીન તરફથી આક્રમક અને સુરક્ષા જોખમોના વિરોધમાં લેવામાં આવ્‍યા છે. જેફ માર્કલ અને બિલ હેગર્ટી દ્વારા યુએસ સેનેટમાં આ પ્રસ્‍તાવ રજૂ કરવામાં આવ્‍યો છે. આ સાથે તેને જોન કોરીનનો પણ સપોર્ટ મળ્‍યો છે. સેનેટમાં જે પ્રસ્‍તાવ લાવવામાં આવ્‍યો છે તેમાં અરૂણાચલ પ્રદેશના વિકાસ કાર્યો અને સંરક્ષણ આધુનિકીકરણને પણ ભારતે આવકાર્યું છે. સેનેટ દ્વારા લાવવામાં આવેલી દરખાસ્‍તો અનુસાર ભારત સરહદ પર ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરમાં સુધારો કરી રહ્યું છે અને તે અમેરિકન સહાયને વધુ વધારવા માટે પણ પ્રતિબદ્ધ છે. 


અમેરિકાના બે સેનેટરે રજુ કર્યું બિલ


સેનેટએ તાજેતરના પગલાં સહિત યુએસ-ભારત દ્વિપક્ષીય ભાગીદારી માટે પોતાનું સમર્થન વ્‍યક્‍ત કર્યું છે. અમેરિકાના બે સાંસદોએ અરૂણાચલ પ્રદેશના મુદ્દે ભારતને સમર્થન આપતું દ્વિપક્ષીય બિલ યુએસ કોંગ્રેસમાં રજૂ કર્યું છે. આ બિલમાં અરુણાચલ પ્રદેશને ભારતનો અભિન્ન અંગ ગણાવ્‍યો છે. આ ખરડો ઓરેગોનના કોંગ્રેસમેન જેફ મર્કલી અને બિલ હેગર્ટી દ્વારા રજૂ કરવામાં આવ્‍યો છે. 


ચીનની નજર અરૂણાચલ પ્રદેશ પર


ચીન ભારતના અરૂણાચલ પ્રદેશ પર પોતાનો દાવો કરે છે. જેના કારણે ચીન હવે પૂર્વ સેક્‍ટરમાં LAC પર આક્રમકતા બતાવી રહ્યું છે. ભૂતકાળમાં ભારત અને ચીનની સેનાઓ વચ્‍ચે હિંસક અથડામણ પણ થઈ હતી. આ તમામ ઘટનાઓ વચ્‍ચે અમેરિકન કોંગ્રેસમેનએ આ બિલ રજૂ કર્યું છે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.