અરુણાચલ ભારતનું અભિન્ન અંગ, LAC પર ચીનની આક્રમક્તાની નિંદા: અમેરિકાની સેનેટમાં ઠરાવ


  • Published By :
  • Published Date : 2023-02-17 19:03:26

અરુણાચલ પ્રદેશના મુદ્દે ભારતને હવે અમેરિકાનું સમર્થન મળ્યું છે. અમેરિકાએ વાસ્‍તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચીનના અતિક્રમણની નિંદા કરી છે અને અરુણાચલ પ્રદેશને ભારતનું અભિન્ન અંગ ગણાવ્યું છે. યુએસ સેનેટ દ્વારા એક પ્રસ્‍તાવ લાવવામાં આવ્‍યો છે.


અરુણાચલ ભારતનું અભિન્ન અંગ


અમેરિકાની સેનેટના આ પ્રસ્‍તાવમાં અરુણાચલ પ્રદેશને ભારતનું અભિન્ન અંગ જાહેર કરવામાં આવ્‍યું છે. આ ઠરાવમાં ભારતની ‘સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડિતતા'નું સમર્થન કરવામાં આવ્‍યું છે. આ સાથે ચીનની પણ નિંદા કરવામાં આવી છે. આ પહેલીવાર છે જયારે અમેરિકાની સેનેટે આવો પ્રસ્‍તાવ લાવીને ભારતને સમર્થન આપવાનું વચન આપ્‍યું છે.યુએસ સેનેટનો ઠરાવ LACની યથાસ્‍થિતિ બદલવા માટે ‘લશ્‍કરી દળ'ના ઉપયોગની નિંદા કરે છે. આ સાથે અન્‍ય ઉશ્‍કેરણીજનક પગલાં માટે પણ ચીનનો વિરોધ કરવામાં આવ્‍યો છે. અમેરિકાના પ્રસ્‍તાવમાં ભારત દ્વારા સંરક્ષણ માટે ઉઠાવવામાં આવેલા પગલાને પણ સમર્થન આપવામાં આવ્‍યું છે.


ચીનની આક્રમક્તાનો વિરોધ


અમેરિકાના પ્રસ્‍તાવ મુજબ, ભારત દ્વારા આ પગલાં ચીન તરફથી આક્રમક અને સુરક્ષા જોખમોના વિરોધમાં લેવામાં આવ્‍યા છે. જેફ માર્કલ અને બિલ હેગર્ટી દ્વારા યુએસ સેનેટમાં આ પ્રસ્‍તાવ રજૂ કરવામાં આવ્‍યો છે. આ સાથે તેને જોન કોરીનનો પણ સપોર્ટ મળ્‍યો છે. સેનેટમાં જે પ્રસ્‍તાવ લાવવામાં આવ્‍યો છે તેમાં અરૂણાચલ પ્રદેશના વિકાસ કાર્યો અને સંરક્ષણ આધુનિકીકરણને પણ ભારતે આવકાર્યું છે. સેનેટ દ્વારા લાવવામાં આવેલી દરખાસ્‍તો અનુસાર ભારત સરહદ પર ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરમાં સુધારો કરી રહ્યું છે અને તે અમેરિકન સહાયને વધુ વધારવા માટે પણ પ્રતિબદ્ધ છે. 


અમેરિકાના બે સેનેટરે રજુ કર્યું બિલ


સેનેટએ તાજેતરના પગલાં સહિત યુએસ-ભારત દ્વિપક્ષીય ભાગીદારી માટે પોતાનું સમર્થન વ્‍યક્‍ત કર્યું છે. અમેરિકાના બે સાંસદોએ અરૂણાચલ પ્રદેશના મુદ્દે ભારતને સમર્થન આપતું દ્વિપક્ષીય બિલ યુએસ કોંગ્રેસમાં રજૂ કર્યું છે. આ બિલમાં અરુણાચલ પ્રદેશને ભારતનો અભિન્ન અંગ ગણાવ્‍યો છે. આ ખરડો ઓરેગોનના કોંગ્રેસમેન જેફ મર્કલી અને બિલ હેગર્ટી દ્વારા રજૂ કરવામાં આવ્‍યો છે. 


ચીનની નજર અરૂણાચલ પ્રદેશ પર


ચીન ભારતના અરૂણાચલ પ્રદેશ પર પોતાનો દાવો કરે છે. જેના કારણે ચીન હવે પૂર્વ સેક્‍ટરમાં LAC પર આક્રમકતા બતાવી રહ્યું છે. ભૂતકાળમાં ભારત અને ચીનની સેનાઓ વચ્‍ચે હિંસક અથડામણ પણ થઈ હતી. આ તમામ ઘટનાઓ વચ્‍ચે અમેરિકન કોંગ્રેસમેનએ આ બિલ રજૂ કર્યું છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.