AAPને કેમ લાગે છે કે સુરતમાં 7 સીટો જીતી જવાશે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-03 22:31:39

AAPના નેશનલ કન્વિનર કેજરીવાલનો દાવો, સુરતમાં 7 સીટો આપ જીતશે

પણ સવાલ એ છે કે કેવી રીતે..! કેમ કે સુરત દક્ષીણ ગુજરાત એવું ક્ષેત્ર છે જ્યાં ભાજપનો દબદબો છે, આ વાત કહેવત બની ગઈ કેમ કે પાટીદાર આંદોલન ચરમ પર હતું, સુરતની સૂરત અલગ દેખાતી હતી, લાગતું હતુ કે લોકો ભાજપને ઘરે બેસાડશે, પણ પરિણામો સાવ અલગ આવ્યા, જે પાટીદારો દમ મારીને કહેતા હતા કે ભાજપને ઘુસવા નહીં દઈએ એવા આંદોલન પ્રભાવીત ક્ષેત્ર વરાછામાં જ લોકોએ ભાજપના કુમાર કાનાણીને જીતાડ્યા, હવે 2017માં જે ના હાર્યા, એ 2022માં કયા કારણોસર હારશે એ રાજનીતિક વિશ્લેષકોને સમજાઈ નથી રહ્યું, શું આમ આદમી પાર્ટી સુરતમાં એવી પકડ બનાવી ચુકી છે?


શું રેલીની ભીડ જોઈને કેજરીવાલને એવું લાગ્યું હશે?

AAPના ચૂંટણી સમીકરણો આમ તો સાચા પડતા હોય છે, કેજરીવાલ મોટાભાગે ત્યાં જ મહેનત કરતા હોય છે જ્યાં એમને આશા દેખાતી હોય છતાંય રેલીની ભીડ જોઈને સુરતનો મિજાજ નક્કી કરી દેવાય એવું શહેર આ નથી, વર્ષ 2017માં હાર્દીક પટેલે સુરતમાં જેટલી ભીડ જોઈ એટલી જીએમડીસીના અપવાદને બાદ કરતા ક્યાંય નહીં જોઈ હોય છતાંય કોઈ કંઈ ખાસ ઉકાળી ના શક્યું, સુરત અને નવસારી લોકસભાની દરેક વિધાનસભા બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો, વરાછા પર ભાજપની જીતને લોકો રાજનીતિના આશ્ચર્ય તરીકે જોતા હતા, તો અરવીંદ કેજરીવાલ જ્યારે 7 સીટ જીતવાનો દાવો કરે છે ત્યારે આ વાસ્તવિકતાથી એ પરિચીત જ હશે


કઈ વિધાનસભા સીટો પર આપને આશા હોઈ શકે?

સુરતમાં ઓલપાડ, સુરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા, કરજણ, કતારગામ, સુરત પશ્ચિમ વિધાનસભા બેઠકો છે, તો નવસારી લોકસભામાંથી લિંબાયત, ઉધના, મજૂરા, ચૌર્યાસી સુરતમાં જ ગણાય છે, હવે આમાંથી ગોપાલ ઈટાલીયા - મનોજ સોરઠીયાના પાટીદાર પાવરને જોતા પટેલપાવર વાળી દરેક સીટો પર આપને આશા છે, તો મજૂરા બેઠક ગૃહમંત્રી હર્ષ સંઘવીનો ગઢ છે, હવે જે રીતે ગોપાલ ઈટાલીયા વારંવાર હર્ષ સંઘવી પર વ્યક્તિગત પ્રહારો કરે છે એ જોતા એવું પણ કહેવાઈ રહ્યું છે કે મજૂરામાં આપ જીતીને પોતાનો પાવર બતાવવા માંગે છે


પંજાબમાં એક ઈન્ટરવ્યુ વખતે કેજરીવાલે લખીને આપ્યું હતું કે અમે જીતીએ છીએ

પંજાબની વિધાનસભા ચૂંટણી વખતે અરવીંદ કેજરીવાલ અને ભગવંત માને આજતક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં લખીને આપ્યું હતુ કે પંજાબમાં આપની સરકાર બને છે અને ચરણજીત ચન્ની બંને સીટ પરથી હારે છે, છેક સુધી લોકો માનતા નહોતા અને પછી એવી જ રીતે આપે સરકાર બનાવી હતી, એટલે કેટલાય લોકો કહી રહ્યા છે કે આપનું નક્કી નહીં.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"