AAPને કેમ લાગે છે કે સુરતમાં 7 સીટો જીતી જવાશે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-03 22:31:39

AAPના નેશનલ કન્વિનર કેજરીવાલનો દાવો, સુરતમાં 7 સીટો આપ જીતશે

પણ સવાલ એ છે કે કેવી રીતે..! કેમ કે સુરત દક્ષીણ ગુજરાત એવું ક્ષેત્ર છે જ્યાં ભાજપનો દબદબો છે, આ વાત કહેવત બની ગઈ કેમ કે પાટીદાર આંદોલન ચરમ પર હતું, સુરતની સૂરત અલગ દેખાતી હતી, લાગતું હતુ કે લોકો ભાજપને ઘરે બેસાડશે, પણ પરિણામો સાવ અલગ આવ્યા, જે પાટીદારો દમ મારીને કહેતા હતા કે ભાજપને ઘુસવા નહીં દઈએ એવા આંદોલન પ્રભાવીત ક્ષેત્ર વરાછામાં જ લોકોએ ભાજપના કુમાર કાનાણીને જીતાડ્યા, હવે 2017માં જે ના હાર્યા, એ 2022માં કયા કારણોસર હારશે એ રાજનીતિક વિશ્લેષકોને સમજાઈ નથી રહ્યું, શું આમ આદમી પાર્ટી સુરતમાં એવી પકડ બનાવી ચુકી છે?


શું રેલીની ભીડ જોઈને કેજરીવાલને એવું લાગ્યું હશે?

AAPના ચૂંટણી સમીકરણો આમ તો સાચા પડતા હોય છે, કેજરીવાલ મોટાભાગે ત્યાં જ મહેનત કરતા હોય છે જ્યાં એમને આશા દેખાતી હોય છતાંય રેલીની ભીડ જોઈને સુરતનો મિજાજ નક્કી કરી દેવાય એવું શહેર આ નથી, વર્ષ 2017માં હાર્દીક પટેલે સુરતમાં જેટલી ભીડ જોઈ એટલી જીએમડીસીના અપવાદને બાદ કરતા ક્યાંય નહીં જોઈ હોય છતાંય કોઈ કંઈ ખાસ ઉકાળી ના શક્યું, સુરત અને નવસારી લોકસભાની દરેક વિધાનસભા બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો, વરાછા પર ભાજપની જીતને લોકો રાજનીતિના આશ્ચર્ય તરીકે જોતા હતા, તો અરવીંદ કેજરીવાલ જ્યારે 7 સીટ જીતવાનો દાવો કરે છે ત્યારે આ વાસ્તવિકતાથી એ પરિચીત જ હશે


કઈ વિધાનસભા સીટો પર આપને આશા હોઈ શકે?

સુરતમાં ઓલપાડ, સુરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા, કરજણ, કતારગામ, સુરત પશ્ચિમ વિધાનસભા બેઠકો છે, તો નવસારી લોકસભામાંથી લિંબાયત, ઉધના, મજૂરા, ચૌર્યાસી સુરતમાં જ ગણાય છે, હવે આમાંથી ગોપાલ ઈટાલીયા - મનોજ સોરઠીયાના પાટીદાર પાવરને જોતા પટેલપાવર વાળી દરેક સીટો પર આપને આશા છે, તો મજૂરા બેઠક ગૃહમંત્રી હર્ષ સંઘવીનો ગઢ છે, હવે જે રીતે ગોપાલ ઈટાલીયા વારંવાર હર્ષ સંઘવી પર વ્યક્તિગત પ્રહારો કરે છે એ જોતા એવું પણ કહેવાઈ રહ્યું છે કે મજૂરામાં આપ જીતીને પોતાનો પાવર બતાવવા માંગે છે


પંજાબમાં એક ઈન્ટરવ્યુ વખતે કેજરીવાલે લખીને આપ્યું હતું કે અમે જીતીએ છીએ

પંજાબની વિધાનસભા ચૂંટણી વખતે અરવીંદ કેજરીવાલ અને ભગવંત માને આજતક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં લખીને આપ્યું હતુ કે પંજાબમાં આપની સરકાર બને છે અને ચરણજીત ચન્ની બંને સીટ પરથી હારે છે, છેક સુધી લોકો માનતા નહોતા અને પછી એવી જ રીતે આપે સરકાર બનાવી હતી, એટલે કેટલાય લોકો કહી રહ્યા છે કે આપનું નક્કી નહીં.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.