AAPને કેમ લાગે છે કે સુરતમાં 7 સીટો જીતી જવાશે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-03 22:31:39

AAPના નેશનલ કન્વિનર કેજરીવાલનો દાવો, સુરતમાં 7 સીટો આપ જીતશે

પણ સવાલ એ છે કે કેવી રીતે..! કેમ કે સુરત દક્ષીણ ગુજરાત એવું ક્ષેત્ર છે જ્યાં ભાજપનો દબદબો છે, આ વાત કહેવત બની ગઈ કેમ કે પાટીદાર આંદોલન ચરમ પર હતું, સુરતની સૂરત અલગ દેખાતી હતી, લાગતું હતુ કે લોકો ભાજપને ઘરે બેસાડશે, પણ પરિણામો સાવ અલગ આવ્યા, જે પાટીદારો દમ મારીને કહેતા હતા કે ભાજપને ઘુસવા નહીં દઈએ એવા આંદોલન પ્રભાવીત ક્ષેત્ર વરાછામાં જ લોકોએ ભાજપના કુમાર કાનાણીને જીતાડ્યા, હવે 2017માં જે ના હાર્યા, એ 2022માં કયા કારણોસર હારશે એ રાજનીતિક વિશ્લેષકોને સમજાઈ નથી રહ્યું, શું આમ આદમી પાર્ટી સુરતમાં એવી પકડ બનાવી ચુકી છે?


શું રેલીની ભીડ જોઈને કેજરીવાલને એવું લાગ્યું હશે?

AAPના ચૂંટણી સમીકરણો આમ તો સાચા પડતા હોય છે, કેજરીવાલ મોટાભાગે ત્યાં જ મહેનત કરતા હોય છે જ્યાં એમને આશા દેખાતી હોય છતાંય રેલીની ભીડ જોઈને સુરતનો મિજાજ નક્કી કરી દેવાય એવું શહેર આ નથી, વર્ષ 2017માં હાર્દીક પટેલે સુરતમાં જેટલી ભીડ જોઈ એટલી જીએમડીસીના અપવાદને બાદ કરતા ક્યાંય નહીં જોઈ હોય છતાંય કોઈ કંઈ ખાસ ઉકાળી ના શક્યું, સુરત અને નવસારી લોકસભાની દરેક વિધાનસભા બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો, વરાછા પર ભાજપની જીતને લોકો રાજનીતિના આશ્ચર્ય તરીકે જોતા હતા, તો અરવીંદ કેજરીવાલ જ્યારે 7 સીટ જીતવાનો દાવો કરે છે ત્યારે આ વાસ્તવિકતાથી એ પરિચીત જ હશે


કઈ વિધાનસભા સીટો પર આપને આશા હોઈ શકે?

સુરતમાં ઓલપાડ, સુરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા, કરજણ, કતારગામ, સુરત પશ્ચિમ વિધાનસભા બેઠકો છે, તો નવસારી લોકસભામાંથી લિંબાયત, ઉધના, મજૂરા, ચૌર્યાસી સુરતમાં જ ગણાય છે, હવે આમાંથી ગોપાલ ઈટાલીયા - મનોજ સોરઠીયાના પાટીદાર પાવરને જોતા પટેલપાવર વાળી દરેક સીટો પર આપને આશા છે, તો મજૂરા બેઠક ગૃહમંત્રી હર્ષ સંઘવીનો ગઢ છે, હવે જે રીતે ગોપાલ ઈટાલીયા વારંવાર હર્ષ સંઘવી પર વ્યક્તિગત પ્રહારો કરે છે એ જોતા એવું પણ કહેવાઈ રહ્યું છે કે મજૂરામાં આપ જીતીને પોતાનો પાવર બતાવવા માંગે છે


પંજાબમાં એક ઈન્ટરવ્યુ વખતે કેજરીવાલે લખીને આપ્યું હતું કે અમે જીતીએ છીએ

પંજાબની વિધાનસભા ચૂંટણી વખતે અરવીંદ કેજરીવાલ અને ભગવંત માને આજતક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં લખીને આપ્યું હતુ કે પંજાબમાં આપની સરકાર બને છે અને ચરણજીત ચન્ની બંને સીટ પરથી હારે છે, છેક સુધી લોકો માનતા નહોતા અને પછી એવી જ રીતે આપે સરકાર બનાવી હતી, એટલે કેટલાય લોકો કહી રહ્યા છે કે આપનું નક્કી નહીં.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.