AAPને કેમ લાગે છે કે સુરતમાં 7 સીટો જીતી જવાશે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-03 22:31:39

AAPના નેશનલ કન્વિનર કેજરીવાલનો દાવો, સુરતમાં 7 સીટો આપ જીતશે

પણ સવાલ એ છે કે કેવી રીતે..! કેમ કે સુરત દક્ષીણ ગુજરાત એવું ક્ષેત્ર છે જ્યાં ભાજપનો દબદબો છે, આ વાત કહેવત બની ગઈ કેમ કે પાટીદાર આંદોલન ચરમ પર હતું, સુરતની સૂરત અલગ દેખાતી હતી, લાગતું હતુ કે લોકો ભાજપને ઘરે બેસાડશે, પણ પરિણામો સાવ અલગ આવ્યા, જે પાટીદારો દમ મારીને કહેતા હતા કે ભાજપને ઘુસવા નહીં દઈએ એવા આંદોલન પ્રભાવીત ક્ષેત્ર વરાછામાં જ લોકોએ ભાજપના કુમાર કાનાણીને જીતાડ્યા, હવે 2017માં જે ના હાર્યા, એ 2022માં કયા કારણોસર હારશે એ રાજનીતિક વિશ્લેષકોને સમજાઈ નથી રહ્યું, શું આમ આદમી પાર્ટી સુરતમાં એવી પકડ બનાવી ચુકી છે?


શું રેલીની ભીડ જોઈને કેજરીવાલને એવું લાગ્યું હશે?

AAPના ચૂંટણી સમીકરણો આમ તો સાચા પડતા હોય છે, કેજરીવાલ મોટાભાગે ત્યાં જ મહેનત કરતા હોય છે જ્યાં એમને આશા દેખાતી હોય છતાંય રેલીની ભીડ જોઈને સુરતનો મિજાજ નક્કી કરી દેવાય એવું શહેર આ નથી, વર્ષ 2017માં હાર્દીક પટેલે સુરતમાં જેટલી ભીડ જોઈ એટલી જીએમડીસીના અપવાદને બાદ કરતા ક્યાંય નહીં જોઈ હોય છતાંય કોઈ કંઈ ખાસ ઉકાળી ના શક્યું, સુરત અને નવસારી લોકસભાની દરેક વિધાનસભા બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો, વરાછા પર ભાજપની જીતને લોકો રાજનીતિના આશ્ચર્ય તરીકે જોતા હતા, તો અરવીંદ કેજરીવાલ જ્યારે 7 સીટ જીતવાનો દાવો કરે છે ત્યારે આ વાસ્તવિકતાથી એ પરિચીત જ હશે


કઈ વિધાનસભા સીટો પર આપને આશા હોઈ શકે?

સુરતમાં ઓલપાડ, સુરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા, કરજણ, કતારગામ, સુરત પશ્ચિમ વિધાનસભા બેઠકો છે, તો નવસારી લોકસભામાંથી લિંબાયત, ઉધના, મજૂરા, ચૌર્યાસી સુરતમાં જ ગણાય છે, હવે આમાંથી ગોપાલ ઈટાલીયા - મનોજ સોરઠીયાના પાટીદાર પાવરને જોતા પટેલપાવર વાળી દરેક સીટો પર આપને આશા છે, તો મજૂરા બેઠક ગૃહમંત્રી હર્ષ સંઘવીનો ગઢ છે, હવે જે રીતે ગોપાલ ઈટાલીયા વારંવાર હર્ષ સંઘવી પર વ્યક્તિગત પ્રહારો કરે છે એ જોતા એવું પણ કહેવાઈ રહ્યું છે કે મજૂરામાં આપ જીતીને પોતાનો પાવર બતાવવા માંગે છે


પંજાબમાં એક ઈન્ટરવ્યુ વખતે કેજરીવાલે લખીને આપ્યું હતું કે અમે જીતીએ છીએ

પંજાબની વિધાનસભા ચૂંટણી વખતે અરવીંદ કેજરીવાલ અને ભગવંત માને આજતક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં લખીને આપ્યું હતુ કે પંજાબમાં આપની સરકાર બને છે અને ચરણજીત ચન્ની બંને સીટ પરથી હારે છે, છેક સુધી લોકો માનતા નહોતા અને પછી એવી જ રીતે આપે સરકાર બનાવી હતી, એટલે કેટલાય લોકો કહી રહ્યા છે કે આપનું નક્કી નહીં.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .