કેજરીવાલ આપશે ગેરંટી, પણ એ ગેરંટીની 'ગેરંટી' કોણ આપશે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-03 16:30:39

ફરી એકવાર ગુજરાત પ્રવાસે કેજરીવાલ, સૌરાષ્ટ્રના આ બે શહેરોની લેશે મુલાકાત


ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે વિવિધ પાર્ટીઓના અગ્રણી નેતાઓની ગુજરાત મુલાકાત વધી ગઈ છે. આવતી કાલે આપના નેતા અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરીથી ગુજરાત પ્રવાસે આવશે. બે દિવસના ગુજરાત પ્રવાસમાં કેજરીવાલ રાજ્યની જનતા માટે વધુ એક મોટી જાહેરાત કરી શકે છે.  કેજરીવાલ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કર્યા પછી એક કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારપછી 3 સપ્ટેમ્બરે સુરેન્દ્રનગરમાં સરપંચ સંમેલનમાં હાજરી આપશે.


ગુજરાતની પ્રજા માટે કરી શકે મોટી જાહેરાત


આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ જાણકારી આપતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલ 2 સપ્ટેમ્બરના દિવસે દ્વારકા પધારી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં શીષ નમાવશે. ત્યારબાદ તેઓ દ્વારકામાં એક જંગી જનસભાને સંબોધશે. અરવિંદ કેજરીવાલ ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન શ્રી બલરામની ધરતી પરથી ગુજરાતની જનતા માટે એક મોટી ગેરંટીની જાહેરાત પણ કરવાના છે. 


કેજરીવાલના સમગ્ર કાર્યક્રમની વિગત


અરવિંદ કેજરીવાલ બપોરના સમયે દ્વારકામાં જનસભાને સંબોધશે.ત્યારપછી ભગવાન શ્રીકૃષ્ણના મંદિર પર ઘ્વજારોહણ કરશે. તેઓ પોરબંદર એરપોર્ટ થઈને રાજકોટ પહોંચશે. બીજા દિવસે એટલે કે 3 સપ્ટેમ્બરે સુરેન્દ્રનગરમાં સરપંચ સંમેલનમાં તે ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે ટાઉનહોલ કાર્યક્રમમાં સરપંચો સાથે સંવાદ કરશે. કેજરીવાલ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન આદિવાસીઓ માટે પણ મોટી જાહેરાત કરી શકે છે. 


ગેરંટીઓ પર ભાજપ-આપના સવાલ

કેજરીવાલ ગુજરાત આવીને એક પછી એક જાહેરાતો તો કરી રહ્યા છે પણ ભાજપ અને કૉંગ્રેસના  નેતાઓ આ ગેરંટીઓ પર જ સવાલ કરી રહ્યા છે કે દેડકાની જેમ ઉગી નીકળેલી પાર્ટીઓની ગેરંટીની ગેરંટી શું!



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.