કેજરીવાલ આપશે ગેરંટી, પણ એ ગેરંટીની 'ગેરંટી' કોણ આપશે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-03 16:30:39

ફરી એકવાર ગુજરાત પ્રવાસે કેજરીવાલ, સૌરાષ્ટ્રના આ બે શહેરોની લેશે મુલાકાત


ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે વિવિધ પાર્ટીઓના અગ્રણી નેતાઓની ગુજરાત મુલાકાત વધી ગઈ છે. આવતી કાલે આપના નેતા અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરીથી ગુજરાત પ્રવાસે આવશે. બે દિવસના ગુજરાત પ્રવાસમાં કેજરીવાલ રાજ્યની જનતા માટે વધુ એક મોટી જાહેરાત કરી શકે છે.  કેજરીવાલ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કર્યા પછી એક કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારપછી 3 સપ્ટેમ્બરે સુરેન્દ્રનગરમાં સરપંચ સંમેલનમાં હાજરી આપશે.


ગુજરાતની પ્રજા માટે કરી શકે મોટી જાહેરાત


આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ જાણકારી આપતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલ 2 સપ્ટેમ્બરના દિવસે દ્વારકા પધારી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં શીષ નમાવશે. ત્યારબાદ તેઓ દ્વારકામાં એક જંગી જનસભાને સંબોધશે. અરવિંદ કેજરીવાલ ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન શ્રી બલરામની ધરતી પરથી ગુજરાતની જનતા માટે એક મોટી ગેરંટીની જાહેરાત પણ કરવાના છે. 


કેજરીવાલના સમગ્ર કાર્યક્રમની વિગત


અરવિંદ કેજરીવાલ બપોરના સમયે દ્વારકામાં જનસભાને સંબોધશે.ત્યારપછી ભગવાન શ્રીકૃષ્ણના મંદિર પર ઘ્વજારોહણ કરશે. તેઓ પોરબંદર એરપોર્ટ થઈને રાજકોટ પહોંચશે. બીજા દિવસે એટલે કે 3 સપ્ટેમ્બરે સુરેન્દ્રનગરમાં સરપંચ સંમેલનમાં તે ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે ટાઉનહોલ કાર્યક્રમમાં સરપંચો સાથે સંવાદ કરશે. કેજરીવાલ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન આદિવાસીઓ માટે પણ મોટી જાહેરાત કરી શકે છે. 


ગેરંટીઓ પર ભાજપ-આપના સવાલ

કેજરીવાલ ગુજરાત આવીને એક પછી એક જાહેરાતો તો કરી રહ્યા છે પણ ભાજપ અને કૉંગ્રેસના  નેતાઓ આ ગેરંટીઓ પર જ સવાલ કરી રહ્યા છે કે દેડકાની જેમ ઉગી નીકળેલી પાર્ટીઓની ગેરંટીની ગેરંટી શું!



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .