અરવિંદ કેજરીવાલે આડકતરી રીતે પીએમ મોદીને કોપીકેટ કહ્યાં!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 15:06:38

ફોટોથી શું કહેવા માગે છે કેજરીવાલ?

દિલ્હી સીએમ કેજરીવાલ ગુજરાતની ચૂંટણીને લઈને એકદમ આક્રમક છે, ત્યારે એમણે ટ્વીટર હેન્ડલ પરથી કશું જ કેપ્શન લખ્યા વગર એક ફોટો શેર કર્યો જેમાં દિલ્હીના ડે.સીએમ અને શિક્ષણમંત્રી મનિષ સિસોદીયા ક્લાસરૂમમાં બાળકોની વચ્ચે હતા અને નરેન્દ્ર મોદી પણ ક્લાસરૂમમાં હતા. આડકતરી રીતે એ કહેવા માગતા હતા કે હવે મોદી પણ કેજરીવાલના શિક્ષામોડેલને કોપી કરે છે.


શું છે હકિકત?

કેજરીવાલે જેવો આ ફોટો મુક્યો તરત જ યુઝર્સે નીચે મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જે શાળાઓમાં વિઝીટ કરતા એના ફોટો પણ મુક્યા, અને યાદ કરાવ્યું કે શિક્ષણ પર ભાર મોદી પહેલેથી જ મુકતા આવ્યા છે.

ગુજરાતમાં શિક્ષણ મોટો મુદ્દો બની શકશે?

ગુજરાતના જનમાનસમાં આ વખતે મુદ્દાઓ ગોળ-ગોળ ફરી તો રહ્યા જ છે, ફ્રીની સહાયની સાથે શિક્ષણ અને સરકારી સ્કુલની હાલત મોટો મુદ્દો છે, આમ આદમી પાર્ટીનો પ્રયત્ન રહેશે કે સરકારી સુવિધાઓના આધારે ચૂંટણી લડાય, જેથી ગુજરાત સરકારની પાછલી નિષ્ફળતાઓનો લાભ એમને મળી શકે



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .