અરવિંદ કેજરીવાલે આડકતરી રીતે પીએમ મોદીને કોપીકેટ કહ્યાં!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 15:06:38

ફોટોથી શું કહેવા માગે છે કેજરીવાલ?

દિલ્હી સીએમ કેજરીવાલ ગુજરાતની ચૂંટણીને લઈને એકદમ આક્રમક છે, ત્યારે એમણે ટ્વીટર હેન્ડલ પરથી કશું જ કેપ્શન લખ્યા વગર એક ફોટો શેર કર્યો જેમાં દિલ્હીના ડે.સીએમ અને શિક્ષણમંત્રી મનિષ સિસોદીયા ક્લાસરૂમમાં બાળકોની વચ્ચે હતા અને નરેન્દ્ર મોદી પણ ક્લાસરૂમમાં હતા. આડકતરી રીતે એ કહેવા માગતા હતા કે હવે મોદી પણ કેજરીવાલના શિક્ષામોડેલને કોપી કરે છે.


શું છે હકિકત?

કેજરીવાલે જેવો આ ફોટો મુક્યો તરત જ યુઝર્સે નીચે મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જે શાળાઓમાં વિઝીટ કરતા એના ફોટો પણ મુક્યા, અને યાદ કરાવ્યું કે શિક્ષણ પર ભાર મોદી પહેલેથી જ મુકતા આવ્યા છે.

ગુજરાતમાં શિક્ષણ મોટો મુદ્દો બની શકશે?

ગુજરાતના જનમાનસમાં આ વખતે મુદ્દાઓ ગોળ-ગોળ ફરી તો રહ્યા જ છે, ફ્રીની સહાયની સાથે શિક્ષણ અને સરકારી સ્કુલની હાલત મોટો મુદ્દો છે, આમ આદમી પાર્ટીનો પ્રયત્ન રહેશે કે સરકારી સુવિધાઓના આધારે ચૂંટણી લડાય, જેથી ગુજરાત સરકારની પાછલી નિષ્ફળતાઓનો લાભ એમને મળી શકે



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.