અરવિંદ કેજરીવાલે આડકતરી રીતે પીએમ મોદીને કોપીકેટ કહ્યાં!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 15:06:38

ફોટોથી શું કહેવા માગે છે કેજરીવાલ?

દિલ્હી સીએમ કેજરીવાલ ગુજરાતની ચૂંટણીને લઈને એકદમ આક્રમક છે, ત્યારે એમણે ટ્વીટર હેન્ડલ પરથી કશું જ કેપ્શન લખ્યા વગર એક ફોટો શેર કર્યો જેમાં દિલ્હીના ડે.સીએમ અને શિક્ષણમંત્રી મનિષ સિસોદીયા ક્લાસરૂમમાં બાળકોની વચ્ચે હતા અને નરેન્દ્ર મોદી પણ ક્લાસરૂમમાં હતા. આડકતરી રીતે એ કહેવા માગતા હતા કે હવે મોદી પણ કેજરીવાલના શિક્ષામોડેલને કોપી કરે છે.


શું છે હકિકત?

કેજરીવાલે જેવો આ ફોટો મુક્યો તરત જ યુઝર્સે નીચે મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જે શાળાઓમાં વિઝીટ કરતા એના ફોટો પણ મુક્યા, અને યાદ કરાવ્યું કે શિક્ષણ પર ભાર મોદી પહેલેથી જ મુકતા આવ્યા છે.

ગુજરાતમાં શિક્ષણ મોટો મુદ્દો બની શકશે?

ગુજરાતના જનમાનસમાં આ વખતે મુદ્દાઓ ગોળ-ગોળ ફરી તો રહ્યા જ છે, ફ્રીની સહાયની સાથે શિક્ષણ અને સરકારી સ્કુલની હાલત મોટો મુદ્દો છે, આમ આદમી પાર્ટીનો પ્રયત્ન રહેશે કે સરકારી સુવિધાઓના આધારે ચૂંટણી લડાય, જેથી ગુજરાત સરકારની પાછલી નિષ્ફળતાઓનો લાભ એમને મળી શકે



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"