AAP સત્તામાં આવશે તે રાજ્યોમાં હંગામી કર્મીઓને કાયમી કરશે: કેજરીવાલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 18:42:06

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મહત્વની જાહેર કરતા કહ્યું કે તેમની આમ આદમી પાર્ટી જે રાજ્યમાં સત્તામાં આવશે ત્યાં શોષણરૂપ હંગામી કર્મીચારીઓની પ્રથા બંધ કરશે અને હંગામી કર્મીઓને કાયમી કરી તમામ લાભો આપશે. તેમણે અન્ય રાજ્યોના મુખ્યમંત્રી અને કેન્દ્ર સરકારને પણ હંગામી કર્મચારીઓને કાયમી કરવાની ભલામણ કરી હતી.


પંજાબ સરકારે 8,736 શિક્ષકોને કાયમી કર્યા


પંજાબમાં આપની સરકારે 8,736 શિક્ષકોને કાયમી કરવાનો નિર્મણ લીધો હતો. કેજરીવાલે પંજાબની ભગવત માનની સરકારની પ્રસંશા કરતા શિક્ષકોને કાયમી કરવાના નિર્ણયને આવકાર્યો હતો. આ સાથે જ તેમણે જાહેરાત કરી કે જે પણ રાજ્યમાં આપની સરકાર આવશે તે રાજ્યમાં હંગામી કર્મચારીનો કાયમી કરશે.


કોન્ટ્રાક્ટ સિસ્ટમનો કર્યો વિરોધ


કેજરીવાલે સરકાર દ્વારા અપનાવાતી કોન્ટ્રાક્ટ સિસ્ટમની આકરા શબ્દોમા ઝાટકણી કાઢી હતી તેમણે  કહ્યું કે આ પ્રથા અત્યંત શોષણ કરનારી  છે, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા નોકરીઓમાં ઘટાડો કરવાના પ્રયાસોને પણ તેમણે વખોડ્યો હતો. કેજરીવાલે સવાલ કર્યો કે જો અર્થતંત્ર પ્રગતિ કરી રહ્યું છે તો નોકરીઓમાં કાપ શા માટે મુકવામાં આવી રહ્યો છે.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.