AAP સત્તામાં આવશે તે રાજ્યોમાં હંગામી કર્મીઓને કાયમી કરશે: કેજરીવાલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 18:42:06

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મહત્વની જાહેર કરતા કહ્યું કે તેમની આમ આદમી પાર્ટી જે રાજ્યમાં સત્તામાં આવશે ત્યાં શોષણરૂપ હંગામી કર્મીચારીઓની પ્રથા બંધ કરશે અને હંગામી કર્મીઓને કાયમી કરી તમામ લાભો આપશે. તેમણે અન્ય રાજ્યોના મુખ્યમંત્રી અને કેન્દ્ર સરકારને પણ હંગામી કર્મચારીઓને કાયમી કરવાની ભલામણ કરી હતી.


પંજાબ સરકારે 8,736 શિક્ષકોને કાયમી કર્યા


પંજાબમાં આપની સરકારે 8,736 શિક્ષકોને કાયમી કરવાનો નિર્મણ લીધો હતો. કેજરીવાલે પંજાબની ભગવત માનની સરકારની પ્રસંશા કરતા શિક્ષકોને કાયમી કરવાના નિર્ણયને આવકાર્યો હતો. આ સાથે જ તેમણે જાહેરાત કરી કે જે પણ રાજ્યમાં આપની સરકાર આવશે તે રાજ્યમાં હંગામી કર્મચારીનો કાયમી કરશે.


કોન્ટ્રાક્ટ સિસ્ટમનો કર્યો વિરોધ


કેજરીવાલે સરકાર દ્વારા અપનાવાતી કોન્ટ્રાક્ટ સિસ્ટમની આકરા શબ્દોમા ઝાટકણી કાઢી હતી તેમણે  કહ્યું કે આ પ્રથા અત્યંત શોષણ કરનારી  છે, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા નોકરીઓમાં ઘટાડો કરવાના પ્રયાસોને પણ તેમણે વખોડ્યો હતો. કેજરીવાલે સવાલ કર્યો કે જો અર્થતંત્ર પ્રગતિ કરી રહ્યું છે તો નોકરીઓમાં કાપ શા માટે મુકવામાં આવી રહ્યો છે.




આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .