દાહોદમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને વચનોનો વરસાદ કર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 19:28:10


ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા લોકોના દિલ જીતવા અનેક મોટા નેતાઓ ગુજરાત પ્રવાસ કરી રહ્યા છે ત્યારે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ બે દિવસની ગુજરાત પ્રવાસે આવ્યા છે. આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગુજરાતના પ્રવાસે આવશે. અગાઉ કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ પણ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે સભા સંબોધી હતી અને ગાંધીજીના દર્શન કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ગુજરાતને અનેક ભેટ આપી, અરવિંદ કેજરીવાલે પણ અનેક ગેરંટીની વાત કરી. 


AAPની 90-95 સીટ આવી રહી છેઃ અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે દાહોદમાં જાહેર સભામાં સંબોધન કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે એક આઈબીને રિપોર્ટ આપ્યો છે. અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે આ સરકારી એજન્સી અનુસાર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવી રહી છે. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની 94થી 95 સીટ આવી રહી છે. અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને અપીલ કરી હતી કે આપની એટલી જીત અપાવો કે દિલ્લી અને પંજાબનો રેકોર્ડ તૂટી જાય. 


અરવિંદ કેજરીવાલે સભામાં કર્યા વાયદા


ભગવંત માને પણ ગુજરાતમાં વાયદાઓનો વરસાદ કર્યો 





થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .