દાહોદમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને વચનોનો વરસાદ કર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 19:28:10


ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા લોકોના દિલ જીતવા અનેક મોટા નેતાઓ ગુજરાત પ્રવાસ કરી રહ્યા છે ત્યારે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ બે દિવસની ગુજરાત પ્રવાસે આવ્યા છે. આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગુજરાતના પ્રવાસે આવશે. અગાઉ કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ પણ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે સભા સંબોધી હતી અને ગાંધીજીના દર્શન કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ગુજરાતને અનેક ભેટ આપી, અરવિંદ કેજરીવાલે પણ અનેક ગેરંટીની વાત કરી. 


AAPની 90-95 સીટ આવી રહી છેઃ અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે દાહોદમાં જાહેર સભામાં સંબોધન કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે એક આઈબીને રિપોર્ટ આપ્યો છે. અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે આ સરકારી એજન્સી અનુસાર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવી રહી છે. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની 94થી 95 સીટ આવી રહી છે. અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને અપીલ કરી હતી કે આપની એટલી જીત અપાવો કે દિલ્લી અને પંજાબનો રેકોર્ડ તૂટી જાય. 


અરવિંદ કેજરીવાલે સભામાં કર્યા વાયદા


ભગવંત માને પણ ગુજરાતમાં વાયદાઓનો વરસાદ કર્યો 





ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.