દાહોદમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને વચનોનો વરસાદ કર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 19:28:10


ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા લોકોના દિલ જીતવા અનેક મોટા નેતાઓ ગુજરાત પ્રવાસ કરી રહ્યા છે ત્યારે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ બે દિવસની ગુજરાત પ્રવાસે આવ્યા છે. આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગુજરાતના પ્રવાસે આવશે. અગાઉ કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ પણ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે સભા સંબોધી હતી અને ગાંધીજીના દર્શન કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ગુજરાતને અનેક ભેટ આપી, અરવિંદ કેજરીવાલે પણ અનેક ગેરંટીની વાત કરી. 


AAPની 90-95 સીટ આવી રહી છેઃ અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે દાહોદમાં જાહેર સભામાં સંબોધન કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે એક આઈબીને રિપોર્ટ આપ્યો છે. અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે આ સરકારી એજન્સી અનુસાર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવી રહી છે. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની 94થી 95 સીટ આવી રહી છે. અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને અપીલ કરી હતી કે આપની એટલી જીત અપાવો કે દિલ્લી અને પંજાબનો રેકોર્ડ તૂટી જાય. 


અરવિંદ કેજરીવાલે સભામાં કર્યા વાયદા


ભગવંત માને પણ ગુજરાતમાં વાયદાઓનો વરસાદ કર્યો 





સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"