ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવશે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 13:26:52

ગુજરાતમાં ચૂંટણીના પડગમ વાગી ગયા છે. ગમે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. તે પહેલા રાજકીય પક્ષો પોતાનો પ્રચાર કરવામાં લાગી ગયા છે. પોતાના કામો જનતા સુધી પહોંચાડવા તેઓ પ્રયાસ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી પણ આક્રમક થઈ ચૂંટણી પ્રચાર પર ધ્યાન આપી રહી છે. અરવિંદ કેજરીવાલ અનેક વખત ચૂંટણીલક્ષી પ્રવાસો કરી રહ્યા છે. ફરી એક વખત તેઓ 8 અને 9 ઓક્ટોબરના રોજ ગુજરાતના 4 સ્થળો પર જનસભાને સંબોધવાના છે.  

Arvind Kejriwal, Bhagwant Mann in Ahmedabad today as AAP focusses on Gujarat  next. Read here | Mint

કઈ કઈ જગ્યાઓ પર યોજાશે જનસભા 

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ત્યારે અરવિંદ કેજરીવાલ પણ ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 4 જગ્યાઓ પર તેઓ આપનો પ્રચાર કરવાના છે. જનસભા યોજી દિલ્હી અને પંજાબ મોડલની વાતો કરી રહ્યા છે. આ વખતે વડોદરા, દાહોદ, વલસાડ, બારડોલી ખાતે તેઓ પ્રચાર કરવાના છે. રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ અવારનવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય, કોઈ પક્ષ પોતાના પ્રચારમાં કચાસ રાખવા તૈયાર નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ ચૂંટણીને ધ્યાનમાં રાખી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.

એક મહિનામાં બીજી વખત ગુજરાતના પ્રવાસે આવશે કેજરીવાલ

અરવિંદ કેજરીવાલ પણ ચૂંટણીને ધ્યાનમાં લઈ અનેક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ફરી એક વખત ગુજરાતની પ્રજાને સંબોધવા અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ તેમની સાથે મહિનામાં બીજી વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ મહિનામાં બીજી વખત તેઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ અગાઉ પહેલી અને બીજી ઓક્ટોબરના રોજ પણ તેઓ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. ગાંધીધામ, જુનાગઢ, ખેડબ્રહ્મા, સુરેન્દ્રનગર ખાતે તેઓએ જનસભા સંબોધી હતી.



મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક વૃદ્ધ ની અનોખી ઘટના સામે આવી છે. ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક 75 વર્ષીય દાદાએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. ગામના લોકોએ તેમના લગ્ન કરાવી દીધા હતા.

ગુજરાતમાં એક તરફ કમસોમી વરસાદની આગહી કરવામાં આવી છે તો બીજી તરફ રાજ્યના અનેક ભાગો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. 17 તારીખ સુધી અનેક ભાગો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે.

મહીસાગરથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં કેનાલ લિકેજના કારણે ખેતરો જાણે તળાવ બની ગયા છે... મહીસાગરના લુણાવાડાના, અરીઠા, કડિયાવાડ, અને કોઠા ગામના ખેડૂતો માટે કેનાલ આફત સમાન સાબિત થઈ રહી છે..

માતા પિતા પણ સાથે નથી રહેતા હતા હવે તો.. અનેક લોકો એવા હોય છે જે માતા પિતાની સાથે તો રહે છે પરંતુ તેમને દુ:ખી કરે છે.. બાળકના વ્યવહારથી માતા પિતાનું દિલ દુભાય છે.. પરિવારનું મહત્વ શું હોય છે તે જાણવું હોયને તો એક વખત અનાથાશ્રમની મુલાકાત લેવી જોઈએ..