ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવશે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 13:26:52

ગુજરાતમાં ચૂંટણીના પડગમ વાગી ગયા છે. ગમે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. તે પહેલા રાજકીય પક્ષો પોતાનો પ્રચાર કરવામાં લાગી ગયા છે. પોતાના કામો જનતા સુધી પહોંચાડવા તેઓ પ્રયાસ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી પણ આક્રમક થઈ ચૂંટણી પ્રચાર પર ધ્યાન આપી રહી છે. અરવિંદ કેજરીવાલ અનેક વખત ચૂંટણીલક્ષી પ્રવાસો કરી રહ્યા છે. ફરી એક વખત તેઓ 8 અને 9 ઓક્ટોબરના રોજ ગુજરાતના 4 સ્થળો પર જનસભાને સંબોધવાના છે.  

Arvind Kejriwal, Bhagwant Mann in Ahmedabad today as AAP focusses on Gujarat  next. Read here | Mint

કઈ કઈ જગ્યાઓ પર યોજાશે જનસભા 

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ત્યારે અરવિંદ કેજરીવાલ પણ ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 4 જગ્યાઓ પર તેઓ આપનો પ્રચાર કરવાના છે. જનસભા યોજી દિલ્હી અને પંજાબ મોડલની વાતો કરી રહ્યા છે. આ વખતે વડોદરા, દાહોદ, વલસાડ, બારડોલી ખાતે તેઓ પ્રચાર કરવાના છે. રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ અવારનવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય, કોઈ પક્ષ પોતાના પ્રચારમાં કચાસ રાખવા તૈયાર નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ ચૂંટણીને ધ્યાનમાં રાખી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.

એક મહિનામાં બીજી વખત ગુજરાતના પ્રવાસે આવશે કેજરીવાલ

અરવિંદ કેજરીવાલ પણ ચૂંટણીને ધ્યાનમાં લઈ અનેક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ફરી એક વખત ગુજરાતની પ્રજાને સંબોધવા અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ તેમની સાથે મહિનામાં બીજી વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ મહિનામાં બીજી વખત તેઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ અગાઉ પહેલી અને બીજી ઓક્ટોબરના રોજ પણ તેઓ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. ગાંધીધામ, જુનાગઢ, ખેડબ્રહ્મા, સુરેન્દ્રનગર ખાતે તેઓએ જનસભા સંબોધી હતી.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે