ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવશે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 13:26:52

ગુજરાતમાં ચૂંટણીના પડગમ વાગી ગયા છે. ગમે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. તે પહેલા રાજકીય પક્ષો પોતાનો પ્રચાર કરવામાં લાગી ગયા છે. પોતાના કામો જનતા સુધી પહોંચાડવા તેઓ પ્રયાસ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી પણ આક્રમક થઈ ચૂંટણી પ્રચાર પર ધ્યાન આપી રહી છે. અરવિંદ કેજરીવાલ અનેક વખત ચૂંટણીલક્ષી પ્રવાસો કરી રહ્યા છે. ફરી એક વખત તેઓ 8 અને 9 ઓક્ટોબરના રોજ ગુજરાતના 4 સ્થળો પર જનસભાને સંબોધવાના છે.  

Arvind Kejriwal, Bhagwant Mann in Ahmedabad today as AAP focusses on Gujarat  next. Read here | Mint

કઈ કઈ જગ્યાઓ પર યોજાશે જનસભા 

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ત્યારે અરવિંદ કેજરીવાલ પણ ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 4 જગ્યાઓ પર તેઓ આપનો પ્રચાર કરવાના છે. જનસભા યોજી દિલ્હી અને પંજાબ મોડલની વાતો કરી રહ્યા છે. આ વખતે વડોદરા, દાહોદ, વલસાડ, બારડોલી ખાતે તેઓ પ્રચાર કરવાના છે. રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ અવારનવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય, કોઈ પક્ષ પોતાના પ્રચારમાં કચાસ રાખવા તૈયાર નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ ચૂંટણીને ધ્યાનમાં રાખી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.

એક મહિનામાં બીજી વખત ગુજરાતના પ્રવાસે આવશે કેજરીવાલ

અરવિંદ કેજરીવાલ પણ ચૂંટણીને ધ્યાનમાં લઈ અનેક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ફરી એક વખત ગુજરાતની પ્રજાને સંબોધવા અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ તેમની સાથે મહિનામાં બીજી વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ મહિનામાં બીજી વખત તેઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ અગાઉ પહેલી અને બીજી ઓક્ટોબરના રોજ પણ તેઓ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. ગાંધીધામ, જુનાગઢ, ખેડબ્રહ્મા, સુરેન્દ્રનગર ખાતે તેઓએ જનસભા સંબોધી હતી.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.