Arvind Kejriwal દેખાયા આક્રામક મુડમાં, વિધાનસભામાં PM મોદીને આ સવાલો મુદ્દે ઘેર્યા! સાંભળો પીએમના મૌન અંગે શું બોલ્યા Delhi CM


  • Published By :
  • Published Date : 2023-08-18 12:24:04

સંસદમાં જ્યારે ચોમાસુ સત્ર ચાલી રહ્યું હતું ત્યારે મણિપુરને લઈ હોબાળો થતો હતો અને સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવતી હતી. સંસદમાં વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવ્યું હતું. ત્યારે અવિશ્વાસ પ્રસ્તાવ પર જવાબ આપવા માટે પીએમ મોદી સંસદમાં આવ્યા હતા. પરંતુ જવાબમાં તેમણે મણિપુર અંગે ઓછું અને વિપક્ષ પર વધારે બોલ્યા હતા. સંસદનું સત્ર ભલે પૂર્ણ થઈ ગયું હોય પરંતુ મણિપુર અંગે ચર્ચા દિલ્હીની વિધાનસભામાં થઈ હતી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મણિપુરને લઈ સરકાર પર પ્રહાર કર્યા હતા અને પીએમ મોદીના મૌન અંગે પણ તેઓ બોલ્યા હતા.    

મણિપુર મુદ્દે પીએમ મોદીએ રાખેલા મૌન પર ભડક્યા કેજરીવાલ  

દિલ્હી વિધાનસભામાં ગુરુવારે એટલે ગઈ કાલે મોટો હોબાળો થયો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મણિપુરના મુદ્દે વાત કરતાં એવું નિવેદન આપ્યું કે ગઈકાલથી એ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડ કરવામાં આવી હતી. લોકોએ તેની સાથે અન્યાય કર્યો. બધાએ તેની નિંદા કરી, પરંતુ પીએમ મોદી મૌન રહ્યા. દેશના પીએમ પિતા જેવા છે, પરંતુ જો દીકરીઓની ઈજ્જત લૂંટાઈ રહી છે અને પિતા કહે છે કે તેમને કંઈ લેવાદેવા નથી તો દીકરીઓ ક્યાં જશે?

જ્યારે પણ દેશમાં આફત આવી ત્યારે પીએમ મોદી ચૂપ થઈ ગયા - કેજરીવાલ 

મણિપુરમાં લોકો મરી રહ્યા હતા, ઘરો બળી રહ્યા હતા. સ્ત્રીઓ સાથે ખોટું થઈ રહ્યું હતું. નૂહમાં હિંસા થઈ રહી હતી, ત્યારબાદ પીએમ પોતાના રૂમમાં બંધ થઈને બેઠા છે કુસ્તીબાજોએ ન્યાયની માંગણી કરી, પીએમ મૌન બન્યા. ચીનના મુદ્દે પણ તેઓ મૌન રહ્યા. અદાણી કેસમાં તેઓ મૌન છે. છેલ્લા 9 વર્ષમાં જ્યારે પણ દેશમાં કોઈ આફત આવી ત્યારે પીએમ ચુપ થઈ ગયા અને તાળું લગાવીને રૂમમાં બેસી ગયા. આખો દેશ પૂછી રહ્યો છે કે પીએમ ચૂપ કેમ છે.સાથે સાથે બીજા મુદ્દા પર પણ પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા હતા.  




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે