Arvind Kejriwal દેખાયા આક્રામક મુડમાં, વિધાનસભામાં PM મોદીને આ સવાલો મુદ્દે ઘેર્યા! સાંભળો પીએમના મૌન અંગે શું બોલ્યા Delhi CM


  • Published By :
  • Published Date : 2023-08-18 12:24:04

સંસદમાં જ્યારે ચોમાસુ સત્ર ચાલી રહ્યું હતું ત્યારે મણિપુરને લઈ હોબાળો થતો હતો અને સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવતી હતી. સંસદમાં વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવ્યું હતું. ત્યારે અવિશ્વાસ પ્રસ્તાવ પર જવાબ આપવા માટે પીએમ મોદી સંસદમાં આવ્યા હતા. પરંતુ જવાબમાં તેમણે મણિપુર અંગે ઓછું અને વિપક્ષ પર વધારે બોલ્યા હતા. સંસદનું સત્ર ભલે પૂર્ણ થઈ ગયું હોય પરંતુ મણિપુર અંગે ચર્ચા દિલ્હીની વિધાનસભામાં થઈ હતી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મણિપુરને લઈ સરકાર પર પ્રહાર કર્યા હતા અને પીએમ મોદીના મૌન અંગે પણ તેઓ બોલ્યા હતા.    

મણિપુર મુદ્દે પીએમ મોદીએ રાખેલા મૌન પર ભડક્યા કેજરીવાલ  

દિલ્હી વિધાનસભામાં ગુરુવારે એટલે ગઈ કાલે મોટો હોબાળો થયો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મણિપુરના મુદ્દે વાત કરતાં એવું નિવેદન આપ્યું કે ગઈકાલથી એ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડ કરવામાં આવી હતી. લોકોએ તેની સાથે અન્યાય કર્યો. બધાએ તેની નિંદા કરી, પરંતુ પીએમ મોદી મૌન રહ્યા. દેશના પીએમ પિતા જેવા છે, પરંતુ જો દીકરીઓની ઈજ્જત લૂંટાઈ રહી છે અને પિતા કહે છે કે તેમને કંઈ લેવાદેવા નથી તો દીકરીઓ ક્યાં જશે?

જ્યારે પણ દેશમાં આફત આવી ત્યારે પીએમ મોદી ચૂપ થઈ ગયા - કેજરીવાલ 

મણિપુરમાં લોકો મરી રહ્યા હતા, ઘરો બળી રહ્યા હતા. સ્ત્રીઓ સાથે ખોટું થઈ રહ્યું હતું. નૂહમાં હિંસા થઈ રહી હતી, ત્યારબાદ પીએમ પોતાના રૂમમાં બંધ થઈને બેઠા છે કુસ્તીબાજોએ ન્યાયની માંગણી કરી, પીએમ મૌન બન્યા. ચીનના મુદ્દે પણ તેઓ મૌન રહ્યા. અદાણી કેસમાં તેઓ મૌન છે. છેલ્લા 9 વર્ષમાં જ્યારે પણ દેશમાં કોઈ આફત આવી ત્યારે પીએમ ચુપ થઈ ગયા અને તાળું લગાવીને રૂમમાં બેસી ગયા. આખો દેશ પૂછી રહ્યો છે કે પીએમ ચૂપ કેમ છે.સાથે સાથે બીજા મુદ્દા પર પણ પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા હતા.  




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.