Arvind Kejriwal દેખાયા આક્રામક મુડમાં, વિધાનસભામાં PM મોદીને આ સવાલો મુદ્દે ઘેર્યા! સાંભળો પીએમના મૌન અંગે શું બોલ્યા Delhi CM


  • Published By :
  • Published Date : 2023-08-18 12:24:04

સંસદમાં જ્યારે ચોમાસુ સત્ર ચાલી રહ્યું હતું ત્યારે મણિપુરને લઈ હોબાળો થતો હતો અને સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવતી હતી. સંસદમાં વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવ્યું હતું. ત્યારે અવિશ્વાસ પ્રસ્તાવ પર જવાબ આપવા માટે પીએમ મોદી સંસદમાં આવ્યા હતા. પરંતુ જવાબમાં તેમણે મણિપુર અંગે ઓછું અને વિપક્ષ પર વધારે બોલ્યા હતા. સંસદનું સત્ર ભલે પૂર્ણ થઈ ગયું હોય પરંતુ મણિપુર અંગે ચર્ચા દિલ્હીની વિધાનસભામાં થઈ હતી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મણિપુરને લઈ સરકાર પર પ્રહાર કર્યા હતા અને પીએમ મોદીના મૌન અંગે પણ તેઓ બોલ્યા હતા.    

મણિપુર મુદ્દે પીએમ મોદીએ રાખેલા મૌન પર ભડક્યા કેજરીવાલ  

દિલ્હી વિધાનસભામાં ગુરુવારે એટલે ગઈ કાલે મોટો હોબાળો થયો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મણિપુરના મુદ્દે વાત કરતાં એવું નિવેદન આપ્યું કે ગઈકાલથી એ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડ કરવામાં આવી હતી. લોકોએ તેની સાથે અન્યાય કર્યો. બધાએ તેની નિંદા કરી, પરંતુ પીએમ મોદી મૌન રહ્યા. દેશના પીએમ પિતા જેવા છે, પરંતુ જો દીકરીઓની ઈજ્જત લૂંટાઈ રહી છે અને પિતા કહે છે કે તેમને કંઈ લેવાદેવા નથી તો દીકરીઓ ક્યાં જશે?

જ્યારે પણ દેશમાં આફત આવી ત્યારે પીએમ મોદી ચૂપ થઈ ગયા - કેજરીવાલ 

મણિપુરમાં લોકો મરી રહ્યા હતા, ઘરો બળી રહ્યા હતા. સ્ત્રીઓ સાથે ખોટું થઈ રહ્યું હતું. નૂહમાં હિંસા થઈ રહી હતી, ત્યારબાદ પીએમ પોતાના રૂમમાં બંધ થઈને બેઠા છે કુસ્તીબાજોએ ન્યાયની માંગણી કરી, પીએમ મૌન બન્યા. ચીનના મુદ્દે પણ તેઓ મૌન રહ્યા. અદાણી કેસમાં તેઓ મૌન છે. છેલ્લા 9 વર્ષમાં જ્યારે પણ દેશમાં કોઈ આફત આવી ત્યારે પીએમ ચુપ થઈ ગયા અને તાળું લગાવીને રૂમમાં બેસી ગયા. આખો દેશ પૂછી રહ્યો છે કે પીએમ ચૂપ કેમ છે.સાથે સાથે બીજા મુદ્દા પર પણ પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા હતા.  




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.