Arvind Kejriwal વર્ચ્યુઅલી કોર્ટમાં થયા હાજર! EDએ અનેક વખત આપ્યા છે હાજર થવા માટે આદેશ... જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-17 12:22:26

દિલ્હીના મુખ્યમંત્રીને અનેક વખત ઈડીએ હાજર થવા માટે સમન્સ પાઠવ્યું છે. કથિત શરાબ કેસમાં ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રીને અનેક વખત હાજર થવા માટે નોટિસ પાઠવી હતી પરંતુ તે હાજર થયા ન હતા. ઈડી સમક્ષ હાજર ના થયા હતા જેને લઈ ઈડી કોર્ટ પહોંચી હતી. ત્યારે કોર્ટની સુનાવણી દરમિયાન આજે અરવિંદ કેજરીવાલ વર્ચ્યુઅલી હાજર થયા હતા. અરવિંદ કેજરીવાલને 17 ફેબ્રુઆરીએ કોર્ટ સમક્ષ હાજર થવા માટે કોર્ટે સમન્સ મોકલ્યું હતું. ત્યારે આજે કોર્ટ સમક્ષ વર્ચ્યુઅલી હાજર થયા હતા અને તેમણે કહ્યું હતું કે હું આજે રૂબરૂ કોર્ટમાં આવવા માંગતો હતો પરંતુ અચાનક આજે વિશ્વાસ પ્રસ્તાવ આવી ગયો.

 

કોર્ટ સમક્ષ વર્ચ્યુઅલી હાજર થયા અરવિંદ કેજરીવાલ 

અનેક વખત ઈડીએ કથિત દારૂ કૌભાંડને લઈ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યા હતા. અનેક વખત હાજર થવા માટે કેજરીવાલને નોટિસ આપવામાં આવી હતી પરંતુ તે ઈડી સમક્ષ હાજર થયા ન હતા. આમ આદમી પાર્ટી દ્વારા નોટિસને લઈ આપે અનેક વખત ભાજપ પર પ્રહાર કર્યા છે. ત્યારે અનેક વખત નોટિસ આપવા છતાંય અરવિંદ કેજરીવાલ પૂછપરછ માટે હાજર થયા ન હતા જેને લઈ રાઉજ એવન્યુ કોર્ટે મુખ્યમંત્રીને કહ્યું કે તમારે હાજર થવું પડશે. ઈડીએ કોર્ટને માગ કરી હતી કે અરવિંદ કેજરીવાલને નિર્દેશ આપવામાં આવે તે ફિઝિકલી હાજર થાય. અરવિંદ કેજરીવાલ વર્ય્યુઅલી કોર્ટ સમક્ષ હાજર થયા હતા. 



ઈડીએ અરવિંદ કેજરીવાલને મોકલ્યા છે અનેક વખત સમન્સ!

સુનાવણી દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે હું શારીરિક રીતે આવવા માંગતો હતો, પરંતુ અચાનક આ આત્મવિશ્વાસની ગતિ આવી. બજેટ સત્ર ચાલી રહ્યું છે, જે 1 માર્ચ સુધી ચાલશે. આ પછી કોઈપણ તારીખ આપી શકાય છે.' જેના પર કોર્ટે અરવિંદ કેજરીવાલની હાજરી માટે 16 માર્ચની તારીખ નક્કી કરી હતી. મહત્વનું છે કે અનેક વખત ઈડીએ કેજરીવાલને સમન્સ મોકલ્યું હતું પરંતુ અનેક નોટિસો પાઠવવામાં આવ્યા છતાંય અરવિંદ કેજરીવાલ હાજર થયા ન હતા. ઈડી દ્વારા તેમને પાંચ વખત સમન્સ મોકલવામાં આવ્યું હતું પરંતુ તે હાજર થયા ના હતા.        



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.