Arvind Kejriwal વર્ચ્યુઅલી કોર્ટમાં થયા હાજર! EDએ અનેક વખત આપ્યા છે હાજર થવા માટે આદેશ... જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-17 12:22:26

દિલ્હીના મુખ્યમંત્રીને અનેક વખત ઈડીએ હાજર થવા માટે સમન્સ પાઠવ્યું છે. કથિત શરાબ કેસમાં ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રીને અનેક વખત હાજર થવા માટે નોટિસ પાઠવી હતી પરંતુ તે હાજર થયા ન હતા. ઈડી સમક્ષ હાજર ના થયા હતા જેને લઈ ઈડી કોર્ટ પહોંચી હતી. ત્યારે કોર્ટની સુનાવણી દરમિયાન આજે અરવિંદ કેજરીવાલ વર્ચ્યુઅલી હાજર થયા હતા. અરવિંદ કેજરીવાલને 17 ફેબ્રુઆરીએ કોર્ટ સમક્ષ હાજર થવા માટે કોર્ટે સમન્સ મોકલ્યું હતું. ત્યારે આજે કોર્ટ સમક્ષ વર્ચ્યુઅલી હાજર થયા હતા અને તેમણે કહ્યું હતું કે હું આજે રૂબરૂ કોર્ટમાં આવવા માંગતો હતો પરંતુ અચાનક આજે વિશ્વાસ પ્રસ્તાવ આવી ગયો.

 

કોર્ટ સમક્ષ વર્ચ્યુઅલી હાજર થયા અરવિંદ કેજરીવાલ 

અનેક વખત ઈડીએ કથિત દારૂ કૌભાંડને લઈ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યા હતા. અનેક વખત હાજર થવા માટે કેજરીવાલને નોટિસ આપવામાં આવી હતી પરંતુ તે ઈડી સમક્ષ હાજર થયા ન હતા. આમ આદમી પાર્ટી દ્વારા નોટિસને લઈ આપે અનેક વખત ભાજપ પર પ્રહાર કર્યા છે. ત્યારે અનેક વખત નોટિસ આપવા છતાંય અરવિંદ કેજરીવાલ પૂછપરછ માટે હાજર થયા ન હતા જેને લઈ રાઉજ એવન્યુ કોર્ટે મુખ્યમંત્રીને કહ્યું કે તમારે હાજર થવું પડશે. ઈડીએ કોર્ટને માગ કરી હતી કે અરવિંદ કેજરીવાલને નિર્દેશ આપવામાં આવે તે ફિઝિકલી હાજર થાય. અરવિંદ કેજરીવાલ વર્ય્યુઅલી કોર્ટ સમક્ષ હાજર થયા હતા. 



ઈડીએ અરવિંદ કેજરીવાલને મોકલ્યા છે અનેક વખત સમન્સ!

સુનાવણી દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે હું શારીરિક રીતે આવવા માંગતો હતો, પરંતુ અચાનક આ આત્મવિશ્વાસની ગતિ આવી. બજેટ સત્ર ચાલી રહ્યું છે, જે 1 માર્ચ સુધી ચાલશે. આ પછી કોઈપણ તારીખ આપી શકાય છે.' જેના પર કોર્ટે અરવિંદ કેજરીવાલની હાજરી માટે 16 માર્ચની તારીખ નક્કી કરી હતી. મહત્વનું છે કે અનેક વખત ઈડીએ કેજરીવાલને સમન્સ મોકલ્યું હતું પરંતુ અનેક નોટિસો પાઠવવામાં આવ્યા છતાંય અરવિંદ કેજરીવાલ હાજર થયા ન હતા. ઈડી દ્વારા તેમને પાંચ વખત સમન્સ મોકલવામાં આવ્યું હતું પરંતુ તે હાજર થયા ના હતા.        



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .