અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી, 45 કરોડના ખર્ચે બંગલાનું રિનોવેશન કરવા મામલે CBI કરશે તપાસ


  • Published By :
  • Published Date : 2023-09-27 21:35:02

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી છે, કેજરીવાલ તેમના સત્તાવાર નિવાસસ્થાનને  45 કરોડના ખર્ચે રિનોવેશન કરાવવા મામલે હવે CBIએ કેસ દાખલ કર્યો છે. CBI હવે આ મામલાની તપાસ કરશે. અરવિંદ કેજરીવાલના બંગલાના રિનોવેશનને લઈને ઘણો વિવાદ થયો હતો, જે બાદ કેટલાંક મીડિયો રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતં કે CBIએ તેને લઈને કેસ દાખલ કર્યો છે. દિલ્હીમાં ભાજપ અને કોંગ્રેસ જેવી મોટી પાર્ટી આ આરોપ લગાવે છે કે CM કેજરીવાલના બંગલાના રિનોવેશન પર 45 કરોડ રુપિયા ખર્ચવામાં આવ્યા હતા. આ પાર્ટી દાવો કરે છે કે રિનોવેશન દરમિયાન લાખો રુપિયાના પડદાં અને માર્બલ લગાડવામાં આવ્યા હતા.  


દિલ્હીના ઉપરાજ્યપાલે આપ્યો હતો આદેશ


આ મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને લેફ્ટનન્ટ ગવર્નરે મુખ્ય સચિવને સમગ્ર મામલામાં તમામ રેકોર્ડ સુરક્ષિત રાખવા સૂચના આપી હતી. તેમજ આ સમગ્ર મામલે રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતું. જ્યારે ભાજપે દાવો કર્યો હતો કે ત્યાં કોઈ રિનોવેશન નથી પરંતુ જૂનાની જગ્યાએ નવું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. આમાં તેની કેમ્પ ઓફિસ પણ છે. ઉપરાંત, ભાજપે દાવો કર્યો હતો કે આ કેસના દસ્તાવેજો દર્શાવે છે કે રૂ. 43.70 કરોડની મંજૂર રકમને બદલે, સ્ટાફ રોડ પર સ્થિત કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાન સિવિલ લાઇન્સના 6 ફ્લેટની શકલ બદલવા માટે રૂ. 44.78 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. દસ્તાવેજ દર્શાવે છે કે આ રકમ 9 સપ્ટેમ્બર, 2020 અને જૂન 2022 વચ્ચે 6 વખત ખર્ચવામાં આવી હતી. વિરોધ પક્ષોએ આરોપ લગાવ્યા હતા કે રિનોવેશન દરમિયાન બહાર પાડવામાં આવેલા ટેન્ડરમાં  ગરબડનો પણ આરોપ લગાવ્યો હતો.  


કેગએ પણ કરી હતી તપાસની ભલામણ 


કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે કેગ દ્વારા કરવામાં આવેલી ભલામણના આધારે કેન્દ્ર સરકારે આ મામલાની તપાસનો આદેશ આપ્યો હતો. રાજભવન દ્વારા તપાસના આદેશ અંગે માહિતી આપવામાં આવી હતી. રાજભવન વતી એવું કહેવામાં આવ્યું હતું કે ગૃહ મંત્રાલયને 24 મેના રોજ પત્ર મળ્યા બાદ વિશેષ CAG ઓડિટની ભલામણ કરવામાં આવી હતી. આ પત્ર એલજી ઓફિસમાંથી મળ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સીએમ કેજરીવાલના સરકારી બંગલાના રિનોવેશનમાં નાણાકીય ગેરરીતિઓ જોવા મળી હતી. આમ આદમી પાર્ટી અને સીએમ ઓફિસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.


આ તપાસમાં કશું બહાર નહીં આવેઃ 'આપ'


AAPએ કહ્યું છે કે ભાજપે પોતાની તમામ તાકાત આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે વાપરી છે. હવે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ઘેરવા માટે તમામ તપાસ એજન્સીઓને કામે લગાડવામાં આવી છે, પરંતુ દિલ્હીની 2 કરોડ જનતાના આશીર્વાદ અરવિંદ કેજરીવાલ પર છે. આ તપાસમાં કંઈ બહાર આવશે નહીં.




સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.