અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી, 45 કરોડના ખર્ચે બંગલાનું રિનોવેશન કરવા મામલે CBI કરશે તપાસ


  • Published By :
  • Published Date : 2023-09-27 21:35:02

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી છે, કેજરીવાલ તેમના સત્તાવાર નિવાસસ્થાનને  45 કરોડના ખર્ચે રિનોવેશન કરાવવા મામલે હવે CBIએ કેસ દાખલ કર્યો છે. CBI હવે આ મામલાની તપાસ કરશે. અરવિંદ કેજરીવાલના બંગલાના રિનોવેશનને લઈને ઘણો વિવાદ થયો હતો, જે બાદ કેટલાંક મીડિયો રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતં કે CBIએ તેને લઈને કેસ દાખલ કર્યો છે. દિલ્હીમાં ભાજપ અને કોંગ્રેસ જેવી મોટી પાર્ટી આ આરોપ લગાવે છે કે CM કેજરીવાલના બંગલાના રિનોવેશન પર 45 કરોડ રુપિયા ખર્ચવામાં આવ્યા હતા. આ પાર્ટી દાવો કરે છે કે રિનોવેશન દરમિયાન લાખો રુપિયાના પડદાં અને માર્બલ લગાડવામાં આવ્યા હતા.  


દિલ્હીના ઉપરાજ્યપાલે આપ્યો હતો આદેશ


આ મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને લેફ્ટનન્ટ ગવર્નરે મુખ્ય સચિવને સમગ્ર મામલામાં તમામ રેકોર્ડ સુરક્ષિત રાખવા સૂચના આપી હતી. તેમજ આ સમગ્ર મામલે રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતું. જ્યારે ભાજપે દાવો કર્યો હતો કે ત્યાં કોઈ રિનોવેશન નથી પરંતુ જૂનાની જગ્યાએ નવું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. આમાં તેની કેમ્પ ઓફિસ પણ છે. ઉપરાંત, ભાજપે દાવો કર્યો હતો કે આ કેસના દસ્તાવેજો દર્શાવે છે કે રૂ. 43.70 કરોડની મંજૂર રકમને બદલે, સ્ટાફ રોડ પર સ્થિત કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાન સિવિલ લાઇન્સના 6 ફ્લેટની શકલ બદલવા માટે રૂ. 44.78 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. દસ્તાવેજ દર્શાવે છે કે આ રકમ 9 સપ્ટેમ્બર, 2020 અને જૂન 2022 વચ્ચે 6 વખત ખર્ચવામાં આવી હતી. વિરોધ પક્ષોએ આરોપ લગાવ્યા હતા કે રિનોવેશન દરમિયાન બહાર પાડવામાં આવેલા ટેન્ડરમાં  ગરબડનો પણ આરોપ લગાવ્યો હતો.  


કેગએ પણ કરી હતી તપાસની ભલામણ 


કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે કેગ દ્વારા કરવામાં આવેલી ભલામણના આધારે કેન્દ્ર સરકારે આ મામલાની તપાસનો આદેશ આપ્યો હતો. રાજભવન દ્વારા તપાસના આદેશ અંગે માહિતી આપવામાં આવી હતી. રાજભવન વતી એવું કહેવામાં આવ્યું હતું કે ગૃહ મંત્રાલયને 24 મેના રોજ પત્ર મળ્યા બાદ વિશેષ CAG ઓડિટની ભલામણ કરવામાં આવી હતી. આ પત્ર એલજી ઓફિસમાંથી મળ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સીએમ કેજરીવાલના સરકારી બંગલાના રિનોવેશનમાં નાણાકીય ગેરરીતિઓ જોવા મળી હતી. આમ આદમી પાર્ટી અને સીએમ ઓફિસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.


આ તપાસમાં કશું બહાર નહીં આવેઃ 'આપ'


AAPએ કહ્યું છે કે ભાજપે પોતાની તમામ તાકાત આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે વાપરી છે. હવે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ઘેરવા માટે તમામ તપાસ એજન્સીઓને કામે લગાડવામાં આવી છે, પરંતુ દિલ્હીની 2 કરોડ જનતાના આશીર્વાદ અરવિંદ કેજરીવાલ પર છે. આ તપાસમાં કંઈ બહાર આવશે નહીં.




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.