AAP અને BJP વચ્ચે સોશિયલ મીડિયા પર પણ પ્રચારનો ધમધમાટ શરૂ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 15:03:14

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજકીય પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો મારો તીવ્ર બન્યો છે. તો બીજી તરફ સોશિયલ મીડિયા પર પણ પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. રાજ્યમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ વિવિધ મુદ્દે ટ્વિટરના માધ્યમથી એકબીજાને નિશાન બનાવી રહ્યા છે. ટ્વિટર વોરના કારણે ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. 


કેજરીવાલે પણ આ ટ્વિટર યુદ્ધમાં ઝંપલાવ્યું


ગુજરાત ભાજપના પ્રવક્તા યગ્નેશ દવે આમ આદમી પાર્ટી પર કરવામાં આવેલી RTI સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. હવે દિલ્હીનાં મુખ્યમંત્રી અને આપના કન્વિનર  અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત પર પૂરે પૂરું ફોકસ કરી રહ્યા છે. કેજરીવાલે આ ટ્વિટર યુદ્ધમાં ઝંપલાવતા દિલ્હીના ધારાસભ્યને જામીન મળતા ગુજરાત પર નિશાન સાધતાં તેમણે ટ્વિટ કર્યું છે. 


ગુજરાત ભાજપના હાથમાંથી સરકી ગયું-કેજરીવાલ


કોર્ટે દિલ્હી વક્ફ બોર્ડ કેસમાં AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને જામીન આપ્યા છે આ મામલે આમ આદમી પાર્ટીના રસ્ત્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરતાં કહ્યું છે કે ભાજપ વાળા દિલ્હીમાં નકલી તપાસ કરતી રહી અને બીજી તરફ ગુજરાત તેમના હાથમાંથી સરકી ગયું.આજે 75 વર્ષ પછી લોકોને તેમની સમસ્યાઓનું સમાધાન માંગે છે. લોકોમાં ભારે અસ્વસ્થતા છે. લોકોને 24 કલાક નકારાત્મક અને બદલાની રાજનીતિ કરવી પસંદ નથી.




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે