AAP અને BJP વચ્ચે સોશિયલ મીડિયા પર પણ પ્રચારનો ધમધમાટ શરૂ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 15:03:14

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજકીય પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો મારો તીવ્ર બન્યો છે. તો બીજી તરફ સોશિયલ મીડિયા પર પણ પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. રાજ્યમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ વિવિધ મુદ્દે ટ્વિટરના માધ્યમથી એકબીજાને નિશાન બનાવી રહ્યા છે. ટ્વિટર વોરના કારણે ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. 


કેજરીવાલે પણ આ ટ્વિટર યુદ્ધમાં ઝંપલાવ્યું


ગુજરાત ભાજપના પ્રવક્તા યગ્નેશ દવે આમ આદમી પાર્ટી પર કરવામાં આવેલી RTI સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. હવે દિલ્હીનાં મુખ્યમંત્રી અને આપના કન્વિનર  અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત પર પૂરે પૂરું ફોકસ કરી રહ્યા છે. કેજરીવાલે આ ટ્વિટર યુદ્ધમાં ઝંપલાવતા દિલ્હીના ધારાસભ્યને જામીન મળતા ગુજરાત પર નિશાન સાધતાં તેમણે ટ્વિટ કર્યું છે. 


ગુજરાત ભાજપના હાથમાંથી સરકી ગયું-કેજરીવાલ


કોર્ટે દિલ્હી વક્ફ બોર્ડ કેસમાં AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને જામીન આપ્યા છે આ મામલે આમ આદમી પાર્ટીના રસ્ત્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરતાં કહ્યું છે કે ભાજપ વાળા દિલ્હીમાં નકલી તપાસ કરતી રહી અને બીજી તરફ ગુજરાત તેમના હાથમાંથી સરકી ગયું.આજે 75 વર્ષ પછી લોકોને તેમની સમસ્યાઓનું સમાધાન માંગે છે. લોકોમાં ભારે અસ્વસ્થતા છે. લોકોને 24 કલાક નકારાત્મક અને બદલાની રાજનીતિ કરવી પસંદ નથી.




ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે