AAP અને BJP વચ્ચે સોશિયલ મીડિયા પર પણ પ્રચારનો ધમધમાટ શરૂ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 15:03:14

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજકીય પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો મારો તીવ્ર બન્યો છે. તો બીજી તરફ સોશિયલ મીડિયા પર પણ પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. રાજ્યમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ વિવિધ મુદ્દે ટ્વિટરના માધ્યમથી એકબીજાને નિશાન બનાવી રહ્યા છે. ટ્વિટર વોરના કારણે ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. 


કેજરીવાલે પણ આ ટ્વિટર યુદ્ધમાં ઝંપલાવ્યું


ગુજરાત ભાજપના પ્રવક્તા યગ્નેશ દવે આમ આદમી પાર્ટી પર કરવામાં આવેલી RTI સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. હવે દિલ્હીનાં મુખ્યમંત્રી અને આપના કન્વિનર  અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત પર પૂરે પૂરું ફોકસ કરી રહ્યા છે. કેજરીવાલે આ ટ્વિટર યુદ્ધમાં ઝંપલાવતા દિલ્હીના ધારાસભ્યને જામીન મળતા ગુજરાત પર નિશાન સાધતાં તેમણે ટ્વિટ કર્યું છે. 


ગુજરાત ભાજપના હાથમાંથી સરકી ગયું-કેજરીવાલ


કોર્ટે દિલ્હી વક્ફ બોર્ડ કેસમાં AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને જામીન આપ્યા છે આ મામલે આમ આદમી પાર્ટીના રસ્ત્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરતાં કહ્યું છે કે ભાજપ વાળા દિલ્હીમાં નકલી તપાસ કરતી રહી અને બીજી તરફ ગુજરાત તેમના હાથમાંથી સરકી ગયું.આજે 75 વર્ષ પછી લોકોને તેમની સમસ્યાઓનું સમાધાન માંગે છે. લોકોમાં ભારે અસ્વસ્થતા છે. લોકોને 24 કલાક નકારાત્મક અને બદલાની રાજનીતિ કરવી પસંદ નથી.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.