ગુજરાત આવી અરવિંદ કેજરીવાલ કરી શકે છે અનેક જાહેરાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-24 10:43:05

ગુજરાતમાં વિધાનસભા જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાતને ભાજપનો ગઠ માનવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકીય સફરની શરૂઆત ગુજરાતથી થઈ હતી જે માટે ગુજરાતની રાજનીતિ પર સૌ કોઈ નજર રાખી રહ્યા છે. આમ આદમી પાર્ટી પર પોતાનું ધ્યાન ગુજરાત ચૂંટણી પર આપી રહ્યું છે. જેને લઈ આપના અનેક નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ફરી એક વખત અરવિંદ કેજરીવાલ 25 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.  

     Ahead of Gujarat polls, Arvind Kejriwal promises 24x7 power supply, jobs |  Latest News India - Hindustan Times

ફરી એક વખત અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાત

ગુજરાતમાં ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનું ખાતુ ખોલવા જમીન આસમાન એક કરવા તત્પર છે. ભાજપ પણ આમ આદમી પાર્ટીને ગંભીરતાથી લઈ રહી છે. ભાજપના નેતાઓ પણ ગુજરાતના પ્રવાસે અવાર-નવાર આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી તેમજ અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવવાના છે. દિલ્હીના ઉપ-મુખ્યમંત્રી મનીષ સિસોદિયા હાલ ગુજરાતની મુલાકાતે છે. તેમની સાથે સાથે યુવાનોને આકર્ષવા માટે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ડા ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અરવિંદ કેજરીવાલની સાથે આ વખતે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ગુજરાત આવી  રહ્યા છે. ત્યારે ગુજરાતના પ્રવાસે આવી રહેલા અરવિંદ કેજરીવાલ વધુ અનેકો જાહેરાત કરી છે. 


જાહેરાતો કરી શકે છે અરવિંદ કેજરીવાલ

ગુજરાતની પ્રજાનું દિલ જીતવા અરવિંદ કેજરીવાલે અનેક વાયદા-વચનો આપ્યા છે. ગુજરાતમાં જો આપની સરકાર આવશે તો જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે. તેમજ 300 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવશે તેમજ બેરોજગારોને ભથ્થું આપવામાં આવશે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક વખત જાહેરાતો અરવિંદ કેજરીવાલ કરતા હોય છે ત્યારે આ વખતે નવી જાહેરાત શું કરે છે તેની પર બધા ધ્યાન રાખી રહ્યા છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.