ગુજરાત આવી અરવિંદ કેજરીવાલ કરી શકે છે અનેક જાહેરાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-24 10:43:05

ગુજરાતમાં વિધાનસભા જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાતને ભાજપનો ગઠ માનવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકીય સફરની શરૂઆત ગુજરાતથી થઈ હતી જે માટે ગુજરાતની રાજનીતિ પર સૌ કોઈ નજર રાખી રહ્યા છે. આમ આદમી પાર્ટી પર પોતાનું ધ્યાન ગુજરાત ચૂંટણી પર આપી રહ્યું છે. જેને લઈ આપના અનેક નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ફરી એક વખત અરવિંદ કેજરીવાલ 25 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.  

     Ahead of Gujarat polls, Arvind Kejriwal promises 24x7 power supply, jobs |  Latest News India - Hindustan Times

ફરી એક વખત અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાત

ગુજરાતમાં ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનું ખાતુ ખોલવા જમીન આસમાન એક કરવા તત્પર છે. ભાજપ પણ આમ આદમી પાર્ટીને ગંભીરતાથી લઈ રહી છે. ભાજપના નેતાઓ પણ ગુજરાતના પ્રવાસે અવાર-નવાર આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી તેમજ અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવવાના છે. દિલ્હીના ઉપ-મુખ્યમંત્રી મનીષ સિસોદિયા હાલ ગુજરાતની મુલાકાતે છે. તેમની સાથે સાથે યુવાનોને આકર્ષવા માટે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ડા ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અરવિંદ કેજરીવાલની સાથે આ વખતે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ગુજરાત આવી  રહ્યા છે. ત્યારે ગુજરાતના પ્રવાસે આવી રહેલા અરવિંદ કેજરીવાલ વધુ અનેકો જાહેરાત કરી છે. 


જાહેરાતો કરી શકે છે અરવિંદ કેજરીવાલ

ગુજરાતની પ્રજાનું દિલ જીતવા અરવિંદ કેજરીવાલે અનેક વાયદા-વચનો આપ્યા છે. ગુજરાતમાં જો આપની સરકાર આવશે તો જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે. તેમજ 300 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવશે તેમજ બેરોજગારોને ભથ્થું આપવામાં આવશે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક વખત જાહેરાતો અરવિંદ કેજરીવાલ કરતા હોય છે ત્યારે આ વખતે નવી જાહેરાત શું કરે છે તેની પર બધા ધ્યાન રાખી રહ્યા છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.