ટ્વિટ કરી અરવિંદ કેજરીવાલ, ગોપાલ ઈટાલીયા અને ઈસુદાને કર્યા ભાજપ પર પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 11:52:29

ગુજરાતમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણીનો જંગ જામવાનો છે. દરેક પાર્ટી પોતાનો પ્રચાર કરી રહી છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ પણ પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે. આમ આદમી પાર્ટીએ રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ડાને ગુજરાતના સહપ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. રાઘવ ચડ્ડાની નિયુક્તિ થયા બાદ રાજકારણ ગરમાયું છે. અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું છે જેમાં તેમણે નામ લીધા વગર ભાજપ પર પ્રહાર કર્યો છે. તેમણે લખ્યું કે રાઘવ ચડ્ડાએ ગુજરાતમાં ચૂંટણીને લઈ પ્રવાસ કરવાનું શરૂ કર્યું છે, ત્યારે એવું સાંભળવામાં આવી રહ્યું છે કે તેમની પણ ધરપકડ કરવામાં આવશે.

 

ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલીયાએ પણ કરી ટ્વિટ

અરવિંદ કેજરીવાલની ટ્વિટને ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલીયાએ પણ ભાજપ પર પ્રહાર કર્યા છે. ઈસુદાને લખ્યું કે ગુજરાતમાં વિદ્યાર્થીઓને સારી શિક્ષા મળે, મફતમાં સારુ સ્વાસ્થ મળે, પેપર લીક થયા વગર નોકરી મળે તે માટે જેલમાં જવું પડે તો ડરશો નહીં. 

  ગોપાલ ઈટાલીયાએ કહ્યું કે આમ આદમી પાર્ટીના વધતા પ્રભાવથી ભ્રષ્ટ ભાજપને એટલો ડર લાગ્યો છે કે હવે બદલાની રાજનીતિ કરી રહ્યું છે.   



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.