ટ્વિટ કરી અરવિંદ કેજરીવાલ, ગોપાલ ઈટાલીયા અને ઈસુદાને કર્યા ભાજપ પર પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 11:52:29

ગુજરાતમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણીનો જંગ જામવાનો છે. દરેક પાર્ટી પોતાનો પ્રચાર કરી રહી છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ પણ પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે. આમ આદમી પાર્ટીએ રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ડાને ગુજરાતના સહપ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. રાઘવ ચડ્ડાની નિયુક્તિ થયા બાદ રાજકારણ ગરમાયું છે. અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું છે જેમાં તેમણે નામ લીધા વગર ભાજપ પર પ્રહાર કર્યો છે. તેમણે લખ્યું કે રાઘવ ચડ્ડાએ ગુજરાતમાં ચૂંટણીને લઈ પ્રવાસ કરવાનું શરૂ કર્યું છે, ત્યારે એવું સાંભળવામાં આવી રહ્યું છે કે તેમની પણ ધરપકડ કરવામાં આવશે.

 

ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલીયાએ પણ કરી ટ્વિટ

અરવિંદ કેજરીવાલની ટ્વિટને ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલીયાએ પણ ભાજપ પર પ્રહાર કર્યા છે. ઈસુદાને લખ્યું કે ગુજરાતમાં વિદ્યાર્થીઓને સારી શિક્ષા મળે, મફતમાં સારુ સ્વાસ્થ મળે, પેપર લીક થયા વગર નોકરી મળે તે માટે જેલમાં જવું પડે તો ડરશો નહીં. 

  ગોપાલ ઈટાલીયાએ કહ્યું કે આમ આદમી પાર્ટીના વધતા પ્રભાવથી ભ્રષ્ટ ભાજપને એટલો ડર લાગ્યો છે કે હવે બદલાની રાજનીતિ કરી રહ્યું છે.   



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .