કેજરીવાલે કોન્ટ્રાક્ટ સિસ્ટમ રદ્દ કરવા ઉપરાંત અનેક લોક કલ્યાણની જાહેરાતો કરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 17:49:34

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. ચૂંટણી મેદાનમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. આપના કન્વિનર અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ હાલ રાજ્યની મુલાકાતે આવ્યા છે. આજે અમદાવાદમાં તેમણે કોન્ટ્રાક્ટ પર રહેલા ગુજરાત સરકારના કર્મચારીઓ સાથે સંવાદ સાધ્યો હતો. અરવિંદ કેજરીવાલે રાજ્યના લોકો માટે આજે ઢગલાબંધ જાહેરાતો કરી હતી.


અરવિંદ કેજરીવાલના રાજ્ય સરકાર પર પ્રહારો અને જાહેરાતો


અરવિંદ કેજરીવાલે રાજ્યની ભાજપ સરકારને નિશાન બનાવી આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે રાજ્યની વિવિધ સમસ્યાઓ જેવી કે બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર, કોન્ટ્રાક્ટ સિસ્ટમ, મોંઘુ શિક્ષણ, પેપર લીક કૌંભાડ, સહિતના મુદ્દાઓ ઉઠાવી આ સમસ્યા માટે રાજ્યની ભાજપ સરકારને સીધી જવાબદાર ઠરાવી હતી.


1-ગુજરાતમાં 21 પેપર લીક, 31 પેપર ઘોટાળા થયા છે. હવે ભાજપનું પેપર ફોડવાનો વારો છે. ભાજપના લોકો જ પેપર ફોડે છે, ભાજપનો કોઈ નેતા પેપર ફોડમાં જેલમાં નથી ગયો. અમે આ તમામની તપાસ કરી ગુન્હેગારોને જેલમાં મોકલીશું. નવા કાયદામાં 10 વર્ષની જેલની જોગવાઈ હશે.


2-ગુજરાતના પૈસા સ્વિસ બેંકમાં જમા થાય છે. રાજ્યમાં અમે 10 લાખ નોકરી આપીશું, ગુજરાતમાં શિક્ષકોની ભારે અછત છે. નવી શાળાઓ અને સ્ટાફની ભરતી કરવી પડશે.


3-ગુજરાતમાં 20 હજાર મહોલ્લા ક્લિનિક ખોલવા પડશે. તેમાં 05 નોકરી ગણતા 01 લાખ નોકરી તો અહીં સર્જાશે.  


4-ગુજરાતમાં એટલા આંદોલન કે આખું ગુજરાત રોડ પર છે. હું આજે ભરતી કેલેન્ડર જાહેર કરું છુ સરકાર બન્યા બાદ તલાટી, ટેટ ની પરીક્ષાઓ યોજાશે. જુલાઈ મહિનામાં શિક્ષકોને તેમના પસંદગી જિલ્લાઓમાં પોસ્ટિંગ મળશે. ઓક્ટોબર સુધી તમામ શિક્ષકોની ભરતી, 2023માં પોલીસ ભરતી, વેઇટિંગ લિસ્ટ દરેક પરીક્ષામાં જાહેર કરાશે જે 01 વર્ષ સુધી માન્ય રહેશે. 


5-આમ આદમી પાર્ટીની સરકાર સરકારી ભરતીની પરીક્ષા આપવા માટે ગયેલા પરીક્ષાર્થીનું બસ ભાડું માફ હશે. આપની સરકાર બનશે કે તરત જ ભરતી ચાલુ કરાશે અને 80 ટકા પ્રાઇવેટ નોકરી ગુજરાતના લોકો માટે આરક્ષિત રહેશે.


6-રાજ્યમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો પારદર્શક ભરતી પ્રક્રિયા ચાલુ કરાશે અને 80 ટકા પ્રાઇવેટ નોકરી ગુજરાતના લોકો માટે આરક્ષિત રહેશે.


7-ભાજપ સંકલ્પ પત્રના નામે લોકોને ઉલ્લુ બનાવે છે. તેઓ ગેરેન્ટી નથી આપતા આખા દેશમાં આમ આદમી પાર્ટી જ સરકાર એવી છે કે જે ગેરેન્ટી આપે છે. અમે ગેરેન્ટીથી કામ કરીશું. આ માત્ર વાતો નથી અમે દિલ્હી અને પંજાબમાં કરી દેખાડ્યું છે.


8-ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો તમામ કોન્ટ્રાક્ટ પર રહેલા કર્મચારીઓને કાયમી કરીશું. 


9- કર્મચારીઓને સમાન કામ સમાન વેતન આપીશું. જે ગ્રેડ પેની કર્મચારીઓની માંગ છે તે પણ પુર્ણ કરીશું. તમામ કર્મચારીઓને સંતોષપ્રદ કામ મળશે. 


10-કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરીને સીધો જ પગાર તમારા ખાતામાં આપવામાં આવશે. કાયમી ન થાય ત્યાં સુધી સીધા જ ખાતામાં પૈસા આવશે. કોન્ટ્રાક્ટરોને તમારો પગાર નહીં અપાય.



કેજરીવાલની સભામાં કેવા નારા લાગ્યા?


અરવિંદ કેજરીવાલની સભામાં હાજર રહેલા લોકોએ ભાજપ સરકાર વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યો હતો. તેમણે જે કેટલાક સૂડક નારા લગાવ્યા હતાં જે તેમનો મિજાજ દર્શાવતા હતા. 'એક કટોરી દો સમોસા, ભાજપ તેરા ક્યા ભરોસા' અને આજ દિવાળી કાલ દિવાળી, ભાજપ તારી છેલ્લી દિવાળી તેવા નારા લાગ્યા હતા.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.