સેશન્સ કોર્ટમાં હાજર ન થવું પડે તે માટે Arvind Kejriwalએ ખખડાવ્યા Gujarat Highcourtના દ્વાર! જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-08-10 12:51:43

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રી વિવાદ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજયસિંહની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. સેશન્સ કોર્ટે સમન્સના હુકુમ સામેની રિવીઝન અરજી ફગાવી દેવામાં આવી છે. અરજી ફગાવવામાં આવતા બંને નેતાઓએ હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચવાના છે. 


બંને નેતાઓએ ખખડાવ્યા હાઈકોર્ટના દ્વાર   

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિગ્રી મામલે વિવાદ સર્જાયો હતો તેના પર અધ્યતન માહિતી સામે આવી છે. ગુજરાત વિશ્વવિદ્યાલયે અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજય સિંહ સામે બદનક્ષીભર્યા નિવેદનો બદલ ફરિયાદ કરી હતી. જેના પર બંને નેતાઓએ મેટ્રોપોલિટન કોર્ટ સમક્ષ હાજર થવાથી બચવા માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. બંને નેતાએ મેટ્રોપોલિટન કોર્ટે બહાર પાડેલા સમન્સને પડકારતી રિવિઝન અરજી દાખલ કરી હતી. જેને સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી તો હવે બંને નેતા ગુજરાત હાઈકોર્ટ અદાલત પહોંચ્યા છે. આ મામલે આવતીકાલે સુનાવણી થવાની છે. 


ગુજરાત વિશ્વવિદ્યાલયના કુલસચિવે કરી હતી બદનક્ષીની ફરિયાદ   

આ કેસ મામલે વિગતવાર વાત કરીએ તો ગુજરાત વિશ્વવિદ્યાલયના કુલસચિવ ડોક્ટર પીયૂષ પટેલે અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ સામે મેટ્રોપોલિટન કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરી હતી. તો મેટ્રો કોર્ટે બંને નેતાઓ સામે સમન્સ જાહેર કર્યા હતા. જે કે બંને નેતા ત્રણેક મહિનાથી કોર્ટમાં હાજર નહોતા થતા. જો કે અરવિંદ કેજરીવાલના વકીલે 13 જુલાઈના દિવસે દિલ્લીમાં પુરની પરિસ્થિતિ હોવાના કારણે અરવિંદ કેજરીવાલ નહીં આવી શકે તેવી વાત રાખી હતી. આવું કહીને અરવિંદ કેજરીવાલના વકીલે 26 જુલાઈ સુધી અદાલત પહોંચવા માટે રાહત માગી હતી. દર વખતે એવું થતું હતું કે અરવિંદ કેજરીવાલના વકીલ મુક્તિ અરજી માગી લેતા હતા અને તેના કારણે બદનક્ષીની ફરિયાદ કરતા વકીલ જોરદાર વાંધો ઉઠાવતા હતા. 


આવતી કાલે આ મામલે હાથ ધરવામાં આવશે સુનાવણી

પછી બંને નેતાએ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરીને મેટ્રોપોલીટન કોર્ટના હુકમને પડકાર્યો હતો. પછી કંટાળીને મેટ્રોપોલીટન કોર્ટે અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહની રિવિઝન અરજી ફગાવી દીધી હતી કે કોર્ટનો સમય બરબાદ કરવાનું બંધ કરો. આટલી રાહતો આપ્યા બાદ કોર્ટે કહ્યું હતું કે હવે કોઈ રાહત નહીં મળે. તો આપણા ન્યાયતંત્રની ત્રુટીનો ફાયદો અથવા ન્યાય તંત્રની વ્યવસ્થાનો ઉપયોગ કરીને બંને કહો તો બંને ચાલે તેનો ઉપયોગ કરીને બંને નેતાએ ગુજરાતની વડી અલાદલમાં રિટ અરજી દાખલ કરી હતી. અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહે ગુજરાતની વડી અદાલતમાં તાત્કાલીક સુનાવણીની માગ પણ કરી હતી. તો હવે આવતીકાલે ગુજરાત હાઈકોર્ટમાં બંને નેતાઓ સામેની ગુજરાત વિશ્વવિદ્યાલયની બદનક્ષી કેસની સુનાવણી મુકરર થશે. આ કેસમાં હવે શું થશે એ આવતીકાલે જોવાનું રહેશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.