સેશન્સ કોર્ટમાં હાજર ન થવું પડે તે માટે Arvind Kejriwalએ ખખડાવ્યા Gujarat Highcourtના દ્વાર! જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-08-10 12:51:43

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રી વિવાદ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજયસિંહની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. સેશન્સ કોર્ટે સમન્સના હુકુમ સામેની રિવીઝન અરજી ફગાવી દેવામાં આવી છે. અરજી ફગાવવામાં આવતા બંને નેતાઓએ હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચવાના છે. 


બંને નેતાઓએ ખખડાવ્યા હાઈકોર્ટના દ્વાર   

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિગ્રી મામલે વિવાદ સર્જાયો હતો તેના પર અધ્યતન માહિતી સામે આવી છે. ગુજરાત વિશ્વવિદ્યાલયે અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજય સિંહ સામે બદનક્ષીભર્યા નિવેદનો બદલ ફરિયાદ કરી હતી. જેના પર બંને નેતાઓએ મેટ્રોપોલિટન કોર્ટ સમક્ષ હાજર થવાથી બચવા માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. બંને નેતાએ મેટ્રોપોલિટન કોર્ટે બહાર પાડેલા સમન્સને પડકારતી રિવિઝન અરજી દાખલ કરી હતી. જેને સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી તો હવે બંને નેતા ગુજરાત હાઈકોર્ટ અદાલત પહોંચ્યા છે. આ મામલે આવતીકાલે સુનાવણી થવાની છે. 


ગુજરાત વિશ્વવિદ્યાલયના કુલસચિવે કરી હતી બદનક્ષીની ફરિયાદ   

આ કેસ મામલે વિગતવાર વાત કરીએ તો ગુજરાત વિશ્વવિદ્યાલયના કુલસચિવ ડોક્ટર પીયૂષ પટેલે અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ સામે મેટ્રોપોલિટન કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરી હતી. તો મેટ્રો કોર્ટે બંને નેતાઓ સામે સમન્સ જાહેર કર્યા હતા. જે કે બંને નેતા ત્રણેક મહિનાથી કોર્ટમાં હાજર નહોતા થતા. જો કે અરવિંદ કેજરીવાલના વકીલે 13 જુલાઈના દિવસે દિલ્લીમાં પુરની પરિસ્થિતિ હોવાના કારણે અરવિંદ કેજરીવાલ નહીં આવી શકે તેવી વાત રાખી હતી. આવું કહીને અરવિંદ કેજરીવાલના વકીલે 26 જુલાઈ સુધી અદાલત પહોંચવા માટે રાહત માગી હતી. દર વખતે એવું થતું હતું કે અરવિંદ કેજરીવાલના વકીલ મુક્તિ અરજી માગી લેતા હતા અને તેના કારણે બદનક્ષીની ફરિયાદ કરતા વકીલ જોરદાર વાંધો ઉઠાવતા હતા. 


આવતી કાલે આ મામલે હાથ ધરવામાં આવશે સુનાવણી

પછી બંને નેતાએ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરીને મેટ્રોપોલીટન કોર્ટના હુકમને પડકાર્યો હતો. પછી કંટાળીને મેટ્રોપોલીટન કોર્ટે અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહની રિવિઝન અરજી ફગાવી દીધી હતી કે કોર્ટનો સમય બરબાદ કરવાનું બંધ કરો. આટલી રાહતો આપ્યા બાદ કોર્ટે કહ્યું હતું કે હવે કોઈ રાહત નહીં મળે. તો આપણા ન્યાયતંત્રની ત્રુટીનો ફાયદો અથવા ન્યાય તંત્રની વ્યવસ્થાનો ઉપયોગ કરીને બંને કહો તો બંને ચાલે તેનો ઉપયોગ કરીને બંને નેતાએ ગુજરાતની વડી અલાદલમાં રિટ અરજી દાખલ કરી હતી. અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહે ગુજરાતની વડી અદાલતમાં તાત્કાલીક સુનાવણીની માગ પણ કરી હતી. તો હવે આવતીકાલે ગુજરાત હાઈકોર્ટમાં બંને નેતાઓ સામેની ગુજરાત વિશ્વવિદ્યાલયની બદનક્ષી કેસની સુનાવણી મુકરર થશે. આ કેસમાં હવે શું થશે એ આવતીકાલે જોવાનું રહેશે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.