સેશન્સ કોર્ટમાં હાજર ન થવું પડે તે માટે Arvind Kejriwalએ ખખડાવ્યા Gujarat Highcourtના દ્વાર! જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-08-10 12:51:43

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રી વિવાદ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજયસિંહની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. સેશન્સ કોર્ટે સમન્સના હુકુમ સામેની રિવીઝન અરજી ફગાવી દેવામાં આવી છે. અરજી ફગાવવામાં આવતા બંને નેતાઓએ હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચવાના છે. 


બંને નેતાઓએ ખખડાવ્યા હાઈકોર્ટના દ્વાર   

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિગ્રી મામલે વિવાદ સર્જાયો હતો તેના પર અધ્યતન માહિતી સામે આવી છે. ગુજરાત વિશ્વવિદ્યાલયે અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજય સિંહ સામે બદનક્ષીભર્યા નિવેદનો બદલ ફરિયાદ કરી હતી. જેના પર બંને નેતાઓએ મેટ્રોપોલિટન કોર્ટ સમક્ષ હાજર થવાથી બચવા માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. બંને નેતાએ મેટ્રોપોલિટન કોર્ટે બહાર પાડેલા સમન્સને પડકારતી રિવિઝન અરજી દાખલ કરી હતી. જેને સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી તો હવે બંને નેતા ગુજરાત હાઈકોર્ટ અદાલત પહોંચ્યા છે. આ મામલે આવતીકાલે સુનાવણી થવાની છે. 


ગુજરાત વિશ્વવિદ્યાલયના કુલસચિવે કરી હતી બદનક્ષીની ફરિયાદ   

આ કેસ મામલે વિગતવાર વાત કરીએ તો ગુજરાત વિશ્વવિદ્યાલયના કુલસચિવ ડોક્ટર પીયૂષ પટેલે અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ સામે મેટ્રોપોલિટન કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરી હતી. તો મેટ્રો કોર્ટે બંને નેતાઓ સામે સમન્સ જાહેર કર્યા હતા. જે કે બંને નેતા ત્રણેક મહિનાથી કોર્ટમાં હાજર નહોતા થતા. જો કે અરવિંદ કેજરીવાલના વકીલે 13 જુલાઈના દિવસે દિલ્લીમાં પુરની પરિસ્થિતિ હોવાના કારણે અરવિંદ કેજરીવાલ નહીં આવી શકે તેવી વાત રાખી હતી. આવું કહીને અરવિંદ કેજરીવાલના વકીલે 26 જુલાઈ સુધી અદાલત પહોંચવા માટે રાહત માગી હતી. દર વખતે એવું થતું હતું કે અરવિંદ કેજરીવાલના વકીલ મુક્તિ અરજી માગી લેતા હતા અને તેના કારણે બદનક્ષીની ફરિયાદ કરતા વકીલ જોરદાર વાંધો ઉઠાવતા હતા. 


આવતી કાલે આ મામલે હાથ ધરવામાં આવશે સુનાવણી

પછી બંને નેતાએ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરીને મેટ્રોપોલીટન કોર્ટના હુકમને પડકાર્યો હતો. પછી કંટાળીને મેટ્રોપોલીટન કોર્ટે અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહની રિવિઝન અરજી ફગાવી દીધી હતી કે કોર્ટનો સમય બરબાદ કરવાનું બંધ કરો. આટલી રાહતો આપ્યા બાદ કોર્ટે કહ્યું હતું કે હવે કોઈ રાહત નહીં મળે. તો આપણા ન્યાયતંત્રની ત્રુટીનો ફાયદો અથવા ન્યાય તંત્રની વ્યવસ્થાનો ઉપયોગ કરીને બંને કહો તો બંને ચાલે તેનો ઉપયોગ કરીને બંને નેતાએ ગુજરાતની વડી અલાદલમાં રિટ અરજી દાખલ કરી હતી. અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહે ગુજરાતની વડી અદાલતમાં તાત્કાલીક સુનાવણીની માગ પણ કરી હતી. તો હવે આવતીકાલે ગુજરાત હાઈકોર્ટમાં બંને નેતાઓ સામેની ગુજરાત વિશ્વવિદ્યાલયની બદનક્ષી કેસની સુનાવણી મુકરર થશે. આ કેસમાં હવે શું થશે એ આવતીકાલે જોવાનું રહેશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.