વડાપ્રધાનના સંબોધન પર અરવિંદ કેજરીવાલે ઉઠાવ્યો સવાલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 18:18:07

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય માહોલ જામ્યો છે. ઈલેક્શન નજીક આવતા રાજકીય પાર્ટીઓના કદાવર નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ભાજપના મોટા નેતાઓ મેદાનમાં આવ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન પર પ્રહાર કર્યા છે. 

PM Modi Gujarat Visit: पीएम मोदी बोले, गुजरात अर्बन नक्सलियों को युवाओं की  जिंदगी बर्बाद नहीं करने देगा - PM Modi inaugurates various schemes worth  over Rs 8000 crores in Bharuch Gujarat

કોંગ્રેસ પર વડાપ્રધાને કર્યા પ્રહાર

3 દિવસના ગુજરાતના પ્રવાસે વડાપ્રધાન મોદી આવ્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યા છે. પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ પાર્ટીઓ પર પ્રહાર કર્યા હતા. આપ પર આડકતરી રીતે પ્રહાર કર્યા હતા જ્યારે કોંગ્રેસનું નામ લઈને પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસના લોકો બોલતા નથી, પરંતુ ગામડે ગામડે બેઠકો કરી રહ્યા છે. આ તેમની જૂની યુક્તિ છે. તેમણે કહ્યું કે મારે તમને સતર્ક કરવાના છે. આ વખતે કોંગ્રેસ નવી ચાલ ચાલી રહી છે. આ બધા વચ્ચે અરવિંદ કેજરીવાલે પ્રશ્ન ઉઠાવ્યો હતો. 

UP Elections 2022: Congress exudes confidence of winning 100 seats, says  miracles do happen in politics | The Financial Express

દિલ્હીના મુખ્યમંત્રીએ પૂછ્યો પીએમને સવાલ

અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન મોદીને સવાલ પૂછ્યો કે શું પીએમ ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે? આમ જોવા જઈએ તો તેમની વાત પણ સાચી છે. ભાજપના પ્રમાણે કોંગ્રેસનું ગુજરાતમાં અસ્તિત્વ જ નથી તો પોતાના સંબોધનમાં પીએમે શા માટે કોંગ્રેસનો ઉલ્લેખ કર્યો? 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .