વડાપ્રધાનના સંબોધન પર અરવિંદ કેજરીવાલે ઉઠાવ્યો સવાલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 18:18:07

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય માહોલ જામ્યો છે. ઈલેક્શન નજીક આવતા રાજકીય પાર્ટીઓના કદાવર નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ભાજપના મોટા નેતાઓ મેદાનમાં આવ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન પર પ્રહાર કર્યા છે. 

PM Modi Gujarat Visit: पीएम मोदी बोले, गुजरात अर्बन नक्सलियों को युवाओं की  जिंदगी बर्बाद नहीं करने देगा - PM Modi inaugurates various schemes worth  over Rs 8000 crores in Bharuch Gujarat

કોંગ્રેસ પર વડાપ્રધાને કર્યા પ્રહાર

3 દિવસના ગુજરાતના પ્રવાસે વડાપ્રધાન મોદી આવ્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યા છે. પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ પાર્ટીઓ પર પ્રહાર કર્યા હતા. આપ પર આડકતરી રીતે પ્રહાર કર્યા હતા જ્યારે કોંગ્રેસનું નામ લઈને પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસના લોકો બોલતા નથી, પરંતુ ગામડે ગામડે બેઠકો કરી રહ્યા છે. આ તેમની જૂની યુક્તિ છે. તેમણે કહ્યું કે મારે તમને સતર્ક કરવાના છે. આ વખતે કોંગ્રેસ નવી ચાલ ચાલી રહી છે. આ બધા વચ્ચે અરવિંદ કેજરીવાલે પ્રશ્ન ઉઠાવ્યો હતો. 

UP Elections 2022: Congress exudes confidence of winning 100 seats, says  miracles do happen in politics | The Financial Express

દિલ્હીના મુખ્યમંત્રીએ પૂછ્યો પીએમને સવાલ

અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન મોદીને સવાલ પૂછ્યો કે શું પીએમ ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે? આમ જોવા જઈએ તો તેમની વાત પણ સાચી છે. ભાજપના પ્રમાણે કોંગ્રેસનું ગુજરાતમાં અસ્તિત્વ જ નથી તો પોતાના સંબોધનમાં પીએમે શા માટે કોંગ્રેસનો ઉલ્લેખ કર્યો? 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.