Chaitar Vasava સાથેની મુલાકાત બાદ Arvind Kejriwalએ આપી પ્રતિક્રિયા, કહ્યું ચૈતર વસાવાને ભાજપ સરકારે જૂઠા અને નકલી કેસમાં પકડ્યા છે


  • Published By :
  • Published Date : 2024-01-08 14:44:15

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે તો મનસુખ વસાવા તેમને લઈ નિવેદન આપે છે. આ બધા વચ્ચે ચૈતર વસાવાના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ગઈકાલથી આવેલા મુખ્યમંત્રીએ આજે રાજપીપળા જેલમાં રહેલા ચૈતર વસાવાને મળવા પહોંચ્યા હતા. ચૈતર વસાવાની મુલાકાત બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું કે ચૈતર વસાવાને ભાજપ સરકારે જૂઠા અને નકલી કેસમાં પકડ્યા છે. આદિવાસી સમાજમાં ભારે રોષ છે. ચૈતર વસાવા અને તેમના પત્નીને અમે જેલમાં મળીને આવ્યા છીએ. બંનેના હોંસલા બુલંદ છે, લડશે, સંઘર્ષ કરશે. અંતમાં તો બીજેપીને જનતા ઉખાડીને ફેંકશે.  

પોલીસ સમક્ષ હાજર થયા હતા ચૈતર વસાવા  

નર્મદાનું રાજકારણ અનેક વખત ચર્ચામાં રહેતું હોય છે. કોઈ વખત ભાજપના સાંસદ મનસુખ વસાવા નિવેદન આપે છે તેને કારણે ન્યુઝ બને છે તો કોઈ વખત આપના ધારાસભ્ય ચૈતર વસાવા કોઈ સંદેશો મોકલે છે એટલે ન્યુઝ બને છે. હંમણા બંનેને કારણે નર્મદા જિલ્લો ચર્ચામાં છે. છેલ્લા થોડા દિવસોથી આપના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે. વન વિભાગના કર્મચારીને મારવા બદલ તેમના વિરૂદ્ધ કેસ કરવામાં આવ્યો છે. પોલીસની પકડથી તે ફરાર હતા પરંતુ થોડા સમય પહેલા તે અચાનક પોલીસ સમક્ષ હાજર થયા. તે વખતે તેમના સમર્થકો મોટી સંખ્યામાં ત્યાં હાજર હતા. 


ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવા લડશે લોકસભા ચૂંટણી 

ચૈતર વસાવાના સમર્થનમાં અનેક વખત સ્થાનિક લોકોએ રેલી કાઢી હતી. ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવા સતત એક્ટિવ દેખાઈ રહ્યા છે. ચૈતર વસાવાના કામો લોકો સુધી પહોંચે તે માટે અલગ અલગ રીતે તેમનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા. ગઈકાલે નેત્રંગ ખાતે કેજરીવાલ ઉપરાંત ભગવંત માને જનસભાને સંબોધી. ચૈતર વસાવા ભરૂચથી લોકસભા ચૂંટણી લડશે તેવી જાહેરાત પણ કરવામાં આવી. 

ભાજપ સરકારે જૂઠા કેસમાં ચૈતર વસાવાને પકડ્યા છે - કેજરીવાલ 

રાજપીપળા જેલમાં બંધ ચૈતર વસાવાને મળવા માટે અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માન પહોંચ્યા હતા. મળ્યા બાદ અરવિંદ કેજરીવાલે નિવેદન આપ્યું કે ચૈતર વસાવાને ભાજપ સરકારે જૂઠા અને નકલી કેસમાં પકડ્યા છે. આદિવાસી સમાજમાં ભારે રોષ છે. ચૈતર વસાવા અને તેમના પત્નીને અમે જેલમાં મળીને આવ્યા છીએ. બંનેના હોંસલા બુલંદ છે, લડશે, સંઘર્ષ કરશે. અંતમાં તો બીજેપીને જનતા ઉખાડીને ફેંકશે. ત્યારે જોવું રહ્યું કે લોકસભાની ચૂંટણીમાં શું નવા નવા ખેલ જોવા મળે છે?  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી