Chaitar Vasava સાથેની મુલાકાત બાદ Arvind Kejriwalએ આપી પ્રતિક્રિયા, કહ્યું ચૈતર વસાવાને ભાજપ સરકારે જૂઠા અને નકલી કેસમાં પકડ્યા છે


  • Published By :
  • Published Date : 2024-01-08 14:44:15

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે તો મનસુખ વસાવા તેમને લઈ નિવેદન આપે છે. આ બધા વચ્ચે ચૈતર વસાવાના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ગઈકાલથી આવેલા મુખ્યમંત્રીએ આજે રાજપીપળા જેલમાં રહેલા ચૈતર વસાવાને મળવા પહોંચ્યા હતા. ચૈતર વસાવાની મુલાકાત બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું કે ચૈતર વસાવાને ભાજપ સરકારે જૂઠા અને નકલી કેસમાં પકડ્યા છે. આદિવાસી સમાજમાં ભારે રોષ છે. ચૈતર વસાવા અને તેમના પત્નીને અમે જેલમાં મળીને આવ્યા છીએ. બંનેના હોંસલા બુલંદ છે, લડશે, સંઘર્ષ કરશે. અંતમાં તો બીજેપીને જનતા ઉખાડીને ફેંકશે.  

પોલીસ સમક્ષ હાજર થયા હતા ચૈતર વસાવા  

નર્મદાનું રાજકારણ અનેક વખત ચર્ચામાં રહેતું હોય છે. કોઈ વખત ભાજપના સાંસદ મનસુખ વસાવા નિવેદન આપે છે તેને કારણે ન્યુઝ બને છે તો કોઈ વખત આપના ધારાસભ્ય ચૈતર વસાવા કોઈ સંદેશો મોકલે છે એટલે ન્યુઝ બને છે. હંમણા બંનેને કારણે નર્મદા જિલ્લો ચર્ચામાં છે. છેલ્લા થોડા દિવસોથી આપના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે. વન વિભાગના કર્મચારીને મારવા બદલ તેમના વિરૂદ્ધ કેસ કરવામાં આવ્યો છે. પોલીસની પકડથી તે ફરાર હતા પરંતુ થોડા સમય પહેલા તે અચાનક પોલીસ સમક્ષ હાજર થયા. તે વખતે તેમના સમર્થકો મોટી સંખ્યામાં ત્યાં હાજર હતા. 


ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવા લડશે લોકસભા ચૂંટણી 

ચૈતર વસાવાના સમર્થનમાં અનેક વખત સ્થાનિક લોકોએ રેલી કાઢી હતી. ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવા સતત એક્ટિવ દેખાઈ રહ્યા છે. ચૈતર વસાવાના કામો લોકો સુધી પહોંચે તે માટે અલગ અલગ રીતે તેમનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા. ગઈકાલે નેત્રંગ ખાતે કેજરીવાલ ઉપરાંત ભગવંત માને જનસભાને સંબોધી. ચૈતર વસાવા ભરૂચથી લોકસભા ચૂંટણી લડશે તેવી જાહેરાત પણ કરવામાં આવી. 

ભાજપ સરકારે જૂઠા કેસમાં ચૈતર વસાવાને પકડ્યા છે - કેજરીવાલ 

રાજપીપળા જેલમાં બંધ ચૈતર વસાવાને મળવા માટે અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માન પહોંચ્યા હતા. મળ્યા બાદ અરવિંદ કેજરીવાલે નિવેદન આપ્યું કે ચૈતર વસાવાને ભાજપ સરકારે જૂઠા અને નકલી કેસમાં પકડ્યા છે. આદિવાસી સમાજમાં ભારે રોષ છે. ચૈતર વસાવા અને તેમના પત્નીને અમે જેલમાં મળીને આવ્યા છીએ. બંનેના હોંસલા બુલંદ છે, લડશે, સંઘર્ષ કરશે. અંતમાં તો બીજેપીને જનતા ઉખાડીને ફેંકશે. ત્યારે જોવું રહ્યું કે લોકસભાની ચૂંટણીમાં શું નવા નવા ખેલ જોવા મળે છે?  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.