મનીષ સિસોદિયાને CBIએ પાઠવેલા સમન્સ પર અરવિંદ કેજરીવાલે આપી પ્રતિક્રિયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 12:48:39

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં પ્રચાર કરી રહી છે. અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આપનો પ્રચાર કરી રહ્યા છે. મનીષ સિસોદિયા પણ અનેક વખત ગુજરાતની મુલાકાતે આવી ચૂક્યા છે. ત્યારે ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે તે સમયે CBI દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે. અરવિંદ કેજરીવાલે નામ લીધા વગર ભાજપ પર પ્રહાર કરતા આક્ષેપ લગાવ્યા છે. 

ગુજરાતનો દરેક વ્યક્તિ 'આપ'નો પ્રચાર કરશે - કેજરીવાલ 

અરવિંદ કેજરીવાલે ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે મનીષના ઘરમાંથી કંઈ ન મળ્યું, બેંક લોકરમાંથી પણ કંઈ મળ્યું નથી. જૂઠો કેસ કરી તેમને ફસાવવામાં આવી રહ્યા છે. પ્રચાર માટે તેઓ ગુજરાત આવવાના હતા. પણ તેમને રોકી દેવામાં આવ્યા. પરંતુ ચૂંટણી પ્રચાર નહીં રોકાઈ જાય. ગુજરાતનો દરેક વ્યક્તિ આપનો પ્રચાર કરશે.


આપનો પ્રચાર કરવા સિસોદિયા આવ્યા છે ગુજરાતના પ્રવાસે  

આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પણ ચૂનાવ મેદાનમાં ઉતરી છે. જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ અરવિંદ કેજરીવાલ સાથે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. મનીષ સિસોદિયા પણ આની પહેલા અનેક વખત ગુજરાતમાં આવી, આપનો પ્રચાર કર્યો હતો. ત્યારે પ્રશ્ન એ થાય કે આપ ભાજપ પર જે આરોપ લગાવી છે તે સાચા છે?     




ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .