મનીષ સિસોદિયાને CBIએ પાઠવેલા સમન્સ પર અરવિંદ કેજરીવાલે આપી પ્રતિક્રિયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 12:48:39

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં પ્રચાર કરી રહી છે. અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આપનો પ્રચાર કરી રહ્યા છે. મનીષ સિસોદિયા પણ અનેક વખત ગુજરાતની મુલાકાતે આવી ચૂક્યા છે. ત્યારે ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે તે સમયે CBI દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે. અરવિંદ કેજરીવાલે નામ લીધા વગર ભાજપ પર પ્રહાર કરતા આક્ષેપ લગાવ્યા છે. 

ગુજરાતનો દરેક વ્યક્તિ 'આપ'નો પ્રચાર કરશે - કેજરીવાલ 

અરવિંદ કેજરીવાલે ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે મનીષના ઘરમાંથી કંઈ ન મળ્યું, બેંક લોકરમાંથી પણ કંઈ મળ્યું નથી. જૂઠો કેસ કરી તેમને ફસાવવામાં આવી રહ્યા છે. પ્રચાર માટે તેઓ ગુજરાત આવવાના હતા. પણ તેમને રોકી દેવામાં આવ્યા. પરંતુ ચૂંટણી પ્રચાર નહીં રોકાઈ જાય. ગુજરાતનો દરેક વ્યક્તિ આપનો પ્રચાર કરશે.


આપનો પ્રચાર કરવા સિસોદિયા આવ્યા છે ગુજરાતના પ્રવાસે  

આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પણ ચૂનાવ મેદાનમાં ઉતરી છે. જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ અરવિંદ કેજરીવાલ સાથે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. મનીષ સિસોદિયા પણ આની પહેલા અનેક વખત ગુજરાતમાં આવી, આપનો પ્રચાર કર્યો હતો. ત્યારે પ્રશ્ન એ થાય કે આપ ભાજપ પર જે આરોપ લગાવી છે તે સાચા છે?     




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.