સુરતમાં કેજરીવાલના રોડ શોમાં પથ્થરમારો, પોલીસે મામલો થાળે પાડ્યો


  • Published By :
  • Published Date : 2022-11-28 19:41:16


ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે જુજ દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો વચ્ચેની તકરાર હિંસક બની રહી છે. જેમ કે સુરતમાં આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ રોડ શો પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. જ્યારે આ પથ્થરમારો શરૂ થયો, ત્યારે અરવિંદ કેજરીવાલ તેમની કારની અંદર ગયા અને જ્યારે તેમની સુરક્ષા ફરીથી સુનિશ્ચિત કરવામાં આવી ત્યાર બાદ કાફલો આગળ વધ્યો હતો.


કેજરીવાલની રેલીમાં પથ્થરમારો


સુરતના વિધાનસભા બેઠકના ઉમેદવાર અલ્પેશ કથીરિયાના રોડ શોમાં અરવિંદ કેજરીવાલ જોડાયા હતા. સુરતના મગનનગર-2માં યોજાયેલા જબરદસ્ત રોડ શોમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો જોડાયા હતા. કાર્યકરોમાં રોડ-શોને લઈને ભવ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. જ્યારે બીજી બાજુ રોડ શોમાં થયેલી બબાલને કારણે કાર્યકરો રોષે ભરાયા હતા. કતારગામમાં રોડ-શો દરમિયાન એક ગલીમાંથી કેજરીવાલના કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરબાજો અને AAP સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જો કે પોલીસ અને સુરક્ષા જવાનોએ સ્થિતિ કાબુમાં લીધી હતી. 


અગાઉ પણ થઈ હતી બબાલ


ચૂંટણી ટાણે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સુરતમાં ખરાખરીનો જંગ જામ્યો છે. થોડા દિવસ પહેલા જ સુરતના કતારગામમાં આવેલ લલિતા ચોકડી પાસે  જનસભા યોજાઇ રહી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ દરમિયાન પથ્થરમાંરો થયો હતો. જેમાં એક બાળકને છૂટા પથ્થરનો ઘા વાગતા તેને આંખમાં ગંભીર ઇજા થવા પામી હતી. બાળકને તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અંતે પોલીસ આવતા પરિસ્થિતી કાબુમાં આવી હતી.



સુરત લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નિલેશ કુંભાણી અનેક દિવસોથી ગાયબ હતા. કોંગ્રેસે તેમને સસ્પેન્ડ કર્યા છે. ત્યારે આજે તેમણે વીડિયો બનાવી પોતાની પ્રતિકિયા આપી છે.

આપના પૂર્વ નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાવાના છે. આ મામલે ગોપાલ ઈટાલિયાએ પ્રતિક્રિયા આપી છે.. પ્રતિક્રિયા આપતા તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

કમાવવાની પાછળ આપણે એટલા બધા લાગી ગયા છીએ કે આપણને ખબર જ નથી પડતી કે આપણી જીંદગી પૂરી થઈ રહી છે... જવાનમાં આપણે ક્યારે ઘરડા થઈ જઈશું તેની ખબર નહીં પડે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જે વાતને બહુ સારી રીતે સમજાવે છે...

જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે. અનેક યુવાનો, બાળકો સાથે વાત કરી હતી ત્યારે તેમણે જે કહ્યું જે વિચારવા જેવું છે.. બાળકો જે જોવે છે તે કહે છે...