સુરતમાં કેજરીવાલના રોડ શોમાં પથ્થરમારો, પોલીસે મામલો થાળે પાડ્યો


  • Published By :
  • Published Date : 2022-11-28 19:41:16


ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે જુજ દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો વચ્ચેની તકરાર હિંસક બની રહી છે. જેમ કે સુરતમાં આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ રોડ શો પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. જ્યારે આ પથ્થરમારો શરૂ થયો, ત્યારે અરવિંદ કેજરીવાલ તેમની કારની અંદર ગયા અને જ્યારે તેમની સુરક્ષા ફરીથી સુનિશ્ચિત કરવામાં આવી ત્યાર બાદ કાફલો આગળ વધ્યો હતો.


કેજરીવાલની રેલીમાં પથ્થરમારો


સુરતના વિધાનસભા બેઠકના ઉમેદવાર અલ્પેશ કથીરિયાના રોડ શોમાં અરવિંદ કેજરીવાલ જોડાયા હતા. સુરતના મગનનગર-2માં યોજાયેલા જબરદસ્ત રોડ શોમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો જોડાયા હતા. કાર્યકરોમાં રોડ-શોને લઈને ભવ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. જ્યારે બીજી બાજુ રોડ શોમાં થયેલી બબાલને કારણે કાર્યકરો રોષે ભરાયા હતા. કતારગામમાં રોડ-શો દરમિયાન એક ગલીમાંથી કેજરીવાલના કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરબાજો અને AAP સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જો કે પોલીસ અને સુરક્ષા જવાનોએ સ્થિતિ કાબુમાં લીધી હતી. 


અગાઉ પણ થઈ હતી બબાલ


ચૂંટણી ટાણે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સુરતમાં ખરાખરીનો જંગ જામ્યો છે. થોડા દિવસ પહેલા જ સુરતના કતારગામમાં આવેલ લલિતા ચોકડી પાસે  જનસભા યોજાઇ રહી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ દરમિયાન પથ્થરમાંરો થયો હતો. જેમાં એક બાળકને છૂટા પથ્થરનો ઘા વાગતા તેને આંખમાં ગંભીર ઇજા થવા પામી હતી. બાળકને તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અંતે પોલીસ આવતા પરિસ્થિતી કાબુમાં આવી હતી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.