Election પહેલા Arvind Kejriwalની ધરપકડ BJPને નુકસાન કરાવશે? ધરપકડ બાદ વિપક્ષી નેતાઓએ આપી પ્રતિક્રિયા, Rahul Gandhi કેજરીવાલના પરિવારને મળશે!


  • Published By :
  • Published Date : 2024-03-22 11:46:59

લોકસભા ચૂંટણી પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. કથિત દારૂ કૌભાંડ મામલે તેમની ધરપકડ કરવામાં આવી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી વિપક્ષી પાર્ટીઓ દ્વારા ઈન્ડિયા ગઠબંધન કરવામાં આવ્યું છે. ગઠબંધન અંતર્ગત આમ આદમી પાર્ટીના સમર્થનમાં કોંગ્રેસ પણ આવ્યું છે. ગઈકાલે જ્યારે દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડ થઈ ત્યારે ના માત્ર આપના નેતાઓ ત્યાં હાજર હતા પરંતુ કોંગ્રેસના નેતાઓ પણ ત્યાં હાજર હતા. એવી માહિતી પણ સામે આવી છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે કેજરીવાલના પરિવારને મળવા જવાના છે. 

ઈન્ડિયા ગઠબંધનની દેખાઈ એકતા!

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ ગઈકાલ રાત્રે ઈડી દ્વારા કરવામાં આવી છે. કથિત દારૂ કૌભાંડ મામલે પૂછપરછ માટે અરવિંદ કેજરીવાલને અનેક વખત સમન્સ પાઠવવામાં આવ્યા પરંતુ તે હાજર થયા ન હતા. ત્યારે ગઈકાલે ઈડી તેમના ઘરે પહોંચી હતી, તપાસ કરી, 2 કલાક સુધી તેમની પૂછપરછ કરી અને તે બાદ તેમની ધરપકડ કરી લીધી. આ મામલે આમ આદમી પાર્ટીના નેતાઓમાં તો રોષ જોવા  મળી રહ્યો છે પરંતુ ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ થયેલી બીજી પાર્ટીઓ દ્વારા પણ રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પર અરવિંદ કેજરીવાલની ધરપકડ મામલે પ્રતિક્રિયા આપી હતી. અખિલેશ યાદવે પણ આ મામલે પ્રતિક્રિયા આપી હતી. 

રાહુલ ગાંધી આજે કરી શકે છે કેજરીવાલના પરિવાર સાથે મુલાકાત 

વિપક્ષી પાર્ટી દ્વારા અનેક વખત ભાજપ પર પ્રહારો કરવામાં આવ્યા છે. ગઈકાલે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. કોંગ્રેસ પાર્ટીના ખાતા ફ્રિઝ થવા બાબતે તેમણે ભાજપ પર પ્રહાર કર્યા હતા. આ મામલો શાંત નથી થયો તે પહેલા તો ઈડી દ્વારા દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવી ગઈ. જ્યારે મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવી તે વખતે આમ આદમી પાર્ટીના નેતાઓ તો હાજર હતા પરંતુ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ હાજર હતા. રાહુલ ગાંધી આજે અરવિંદ કેજરીવાલના પરિવારને મળવા જવાના છે.      



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી