Election પહેલા Arvind Kejriwalની ધરપકડ BJPને નુકસાન કરાવશે? ધરપકડ બાદ વિપક્ષી નેતાઓએ આપી પ્રતિક્રિયા, Rahul Gandhi કેજરીવાલના પરિવારને મળશે!


  • Published By :
  • Published Date : 2024-03-22 11:46:59

લોકસભા ચૂંટણી પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. કથિત દારૂ કૌભાંડ મામલે તેમની ધરપકડ કરવામાં આવી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી વિપક્ષી પાર્ટીઓ દ્વારા ઈન્ડિયા ગઠબંધન કરવામાં આવ્યું છે. ગઠબંધન અંતર્ગત આમ આદમી પાર્ટીના સમર્થનમાં કોંગ્રેસ પણ આવ્યું છે. ગઈકાલે જ્યારે દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડ થઈ ત્યારે ના માત્ર આપના નેતાઓ ત્યાં હાજર હતા પરંતુ કોંગ્રેસના નેતાઓ પણ ત્યાં હાજર હતા. એવી માહિતી પણ સામે આવી છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે કેજરીવાલના પરિવારને મળવા જવાના છે. 

ઈન્ડિયા ગઠબંધનની દેખાઈ એકતા!

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ ગઈકાલ રાત્રે ઈડી દ્વારા કરવામાં આવી છે. કથિત દારૂ કૌભાંડ મામલે પૂછપરછ માટે અરવિંદ કેજરીવાલને અનેક વખત સમન્સ પાઠવવામાં આવ્યા પરંતુ તે હાજર થયા ન હતા. ત્યારે ગઈકાલે ઈડી તેમના ઘરે પહોંચી હતી, તપાસ કરી, 2 કલાક સુધી તેમની પૂછપરછ કરી અને તે બાદ તેમની ધરપકડ કરી લીધી. આ મામલે આમ આદમી પાર્ટીના નેતાઓમાં તો રોષ જોવા  મળી રહ્યો છે પરંતુ ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ થયેલી બીજી પાર્ટીઓ દ્વારા પણ રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પર અરવિંદ કેજરીવાલની ધરપકડ મામલે પ્રતિક્રિયા આપી હતી. અખિલેશ યાદવે પણ આ મામલે પ્રતિક્રિયા આપી હતી. 

રાહુલ ગાંધી આજે કરી શકે છે કેજરીવાલના પરિવાર સાથે મુલાકાત 

વિપક્ષી પાર્ટી દ્વારા અનેક વખત ભાજપ પર પ્રહારો કરવામાં આવ્યા છે. ગઈકાલે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. કોંગ્રેસ પાર્ટીના ખાતા ફ્રિઝ થવા બાબતે તેમણે ભાજપ પર પ્રહાર કર્યા હતા. આ મામલો શાંત નથી થયો તે પહેલા તો ઈડી દ્વારા દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવી ગઈ. જ્યારે મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવી તે વખતે આમ આદમી પાર્ટીના નેતાઓ તો હાજર હતા પરંતુ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ હાજર હતા. રાહુલ ગાંધી આજે અરવિંદ કેજરીવાલના પરિવારને મળવા જવાના છે.      



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.