Election પહેલા Arvind Kejriwalની ધરપકડ BJPને નુકસાન કરાવશે? ધરપકડ બાદ વિપક્ષી નેતાઓએ આપી પ્રતિક્રિયા, Rahul Gandhi કેજરીવાલના પરિવારને મળશે!


  • Published By :
  • Published Date : 2024-03-22 11:46:59

લોકસભા ચૂંટણી પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. કથિત દારૂ કૌભાંડ મામલે તેમની ધરપકડ કરવામાં આવી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી વિપક્ષી પાર્ટીઓ દ્વારા ઈન્ડિયા ગઠબંધન કરવામાં આવ્યું છે. ગઠબંધન અંતર્ગત આમ આદમી પાર્ટીના સમર્થનમાં કોંગ્રેસ પણ આવ્યું છે. ગઈકાલે જ્યારે દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડ થઈ ત્યારે ના માત્ર આપના નેતાઓ ત્યાં હાજર હતા પરંતુ કોંગ્રેસના નેતાઓ પણ ત્યાં હાજર હતા. એવી માહિતી પણ સામે આવી છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે કેજરીવાલના પરિવારને મળવા જવાના છે. 

ઈન્ડિયા ગઠબંધનની દેખાઈ એકતા!

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ ગઈકાલ રાત્રે ઈડી દ્વારા કરવામાં આવી છે. કથિત દારૂ કૌભાંડ મામલે પૂછપરછ માટે અરવિંદ કેજરીવાલને અનેક વખત સમન્સ પાઠવવામાં આવ્યા પરંતુ તે હાજર થયા ન હતા. ત્યારે ગઈકાલે ઈડી તેમના ઘરે પહોંચી હતી, તપાસ કરી, 2 કલાક સુધી તેમની પૂછપરછ કરી અને તે બાદ તેમની ધરપકડ કરી લીધી. આ મામલે આમ આદમી પાર્ટીના નેતાઓમાં તો રોષ જોવા  મળી રહ્યો છે પરંતુ ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ થયેલી બીજી પાર્ટીઓ દ્વારા પણ રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પર અરવિંદ કેજરીવાલની ધરપકડ મામલે પ્રતિક્રિયા આપી હતી. અખિલેશ યાદવે પણ આ મામલે પ્રતિક્રિયા આપી હતી. 

રાહુલ ગાંધી આજે કરી શકે છે કેજરીવાલના પરિવાર સાથે મુલાકાત 

વિપક્ષી પાર્ટી દ્વારા અનેક વખત ભાજપ પર પ્રહારો કરવામાં આવ્યા છે. ગઈકાલે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. કોંગ્રેસ પાર્ટીના ખાતા ફ્રિઝ થવા બાબતે તેમણે ભાજપ પર પ્રહાર કર્યા હતા. આ મામલો શાંત નથી થયો તે પહેલા તો ઈડી દ્વારા દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવી ગઈ. જ્યારે મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવી તે વખતે આમ આદમી પાર્ટીના નેતાઓ તો હાજર હતા પરંતુ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ હાજર હતા. રાહુલ ગાંધી આજે અરવિંદ કેજરીવાલના પરિવારને મળવા જવાના છે.      



૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.