સૌરાષ્ટ્ર પર અરવિંદ કેજરીવાલની નજર, પ્રચાર માટે કરાયું રોડ-શોનું આયોજન


  • Published By :
  • Published Date : 2022-11-06 09:31:29

ગુજરાતમાં હાલ ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. દરેક પાર્ટી પોતાની સ્ટાઈલમાં મતદારોને આકર્ષવા પ્રયાસ કરી રહી છે. ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પાર્ટીના દિગ્ગજ નેતાઓ પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા છે. અરવિંદ કેજરીવાલ પણ આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવામાં લાગી ગયા છે. પ્રચાર અભિયાન અંતર્ગત કેજરીવાલ રોજકોટમાં રોડ-શો કરવાના છે. 

Image

સાંજે રાજકોટમાં કેજરીવાલ કરશે રોડ-શો

ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ દરેક પાર્ટી પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન મોદી પોતે ગુજરાત આવી રહ્યા છે, તો કોંગ્રેસનો પ્રચાર કરવા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. ઉપરાંત અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતમાં રહી આપનો પ્રચાર કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી પણ રોડ-શો યોજી શક્તિ પ્રદર્શન કરવાના છે. સાંજના 5 વાગ્યે રાજકોટના કોઠારીયા ચોકડીથી નિલકંઠ સિનેમા સુધી રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ શો દરમિયાન રાજકોટમાં આવેલી વિધાનસભા બેઠક પર તેમની નજર છે. જેમાં રાજકોટ ગ્રામ્ય, દક્ષિણ અને પૂર્વ બેઠકનો સમાવેશ થાય છે. આ અગાઉ અંજાર ખાતે પણ તેમણે રોડ-શો યોજ્યો હતો. 

Gujarat AAP leader Indranil Rajguru leaves party to join Congress,

ઈન્દ્રનીલને લઈ આપી પ્રતિક્રિયા 

રવિવારના દિવસે રોડ-શો હોવાને કારણે તેઓ શનિવારના રોજ રાજકોટ પહોંચી ગયા હતા. રાજકોટ એરપોર્ટ પર કેજરીવાલને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. એરપોર્ટ પર ઈન્દ્રનીલના સમર્થકોએ કોંગ્રેસ જિંદાબાદના નારા લગાવ્યા હતા. કોંગ્રેસમાં જોડાયા બાદ ઈન્દ્રનીલે આમ આદમી પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ઈન્દ્રનીલના આરોપો અંગે જવાબ આપતા તેમણે કહ્યું કે આ બધુ બકવાસ છે. રાજ્યગુરૂ સીએમ ઉમેદવાર બનવા માંગ્તા હતા, પરંતુ તેમને ઉમેદવાર ન બનાવતા તેઓ પાર્ટી છોડીને જતા રહ્યા.

અનેક દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે 

ગુજરાતમાં આજે રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ રેલી ગજવવાના છે. વડાપ્રધાન મોદી પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ઉપરાંત અશોક ગેહલોત પણ ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરવાના છે. ત્યારે આમ આદમી પાર્ટી પણ રોડ-શો કરી મતદારોને રિઝવવા પ્રયત્ન કરવાની છે. ત્યારે કરવામાં આવેલા પ્રચારનું શું પરિણામ આવશે તે 8 ડિસેમ્બરના રોજ ખબર પડશે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.