સૌરાષ્ટ્ર પર અરવિંદ કેજરીવાલની નજર, પ્રચાર માટે કરાયું રોડ-શોનું આયોજન


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-06 09:31:29

ગુજરાતમાં હાલ ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. દરેક પાર્ટી પોતાની સ્ટાઈલમાં મતદારોને આકર્ષવા પ્રયાસ કરી રહી છે. ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પાર્ટીના દિગ્ગજ નેતાઓ પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા છે. અરવિંદ કેજરીવાલ પણ આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવામાં લાગી ગયા છે. પ્રચાર અભિયાન અંતર્ગત કેજરીવાલ રોજકોટમાં રોડ-શો કરવાના છે. 

Image

સાંજે રાજકોટમાં કેજરીવાલ કરશે રોડ-શો

ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ દરેક પાર્ટી પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન મોદી પોતે ગુજરાત આવી રહ્યા છે, તો કોંગ્રેસનો પ્રચાર કરવા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. ઉપરાંત અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતમાં રહી આપનો પ્રચાર કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી પણ રોડ-શો યોજી શક્તિ પ્રદર્શન કરવાના છે. સાંજના 5 વાગ્યે રાજકોટના કોઠારીયા ચોકડીથી નિલકંઠ સિનેમા સુધી રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ શો દરમિયાન રાજકોટમાં આવેલી વિધાનસભા બેઠક પર તેમની નજર છે. જેમાં રાજકોટ ગ્રામ્ય, દક્ષિણ અને પૂર્વ બેઠકનો સમાવેશ થાય છે. આ અગાઉ અંજાર ખાતે પણ તેમણે રોડ-શો યોજ્યો હતો. 

Gujarat AAP leader Indranil Rajguru leaves party to join Congress,

ઈન્દ્રનીલને લઈ આપી પ્રતિક્રિયા 

રવિવારના દિવસે રોડ-શો હોવાને કારણે તેઓ શનિવારના રોજ રાજકોટ પહોંચી ગયા હતા. રાજકોટ એરપોર્ટ પર કેજરીવાલને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. એરપોર્ટ પર ઈન્દ્રનીલના સમર્થકોએ કોંગ્રેસ જિંદાબાદના નારા લગાવ્યા હતા. કોંગ્રેસમાં જોડાયા બાદ ઈન્દ્રનીલે આમ આદમી પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ઈન્દ્રનીલના આરોપો અંગે જવાબ આપતા તેમણે કહ્યું કે આ બધુ બકવાસ છે. રાજ્યગુરૂ સીએમ ઉમેદવાર બનવા માંગ્તા હતા, પરંતુ તેમને ઉમેદવાર ન બનાવતા તેઓ પાર્ટી છોડીને જતા રહ્યા.

અનેક દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે 

ગુજરાતમાં આજે રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ રેલી ગજવવાના છે. વડાપ્રધાન મોદી પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ઉપરાંત અશોક ગેહલોત પણ ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરવાના છે. ત્યારે આમ આદમી પાર્ટી પણ રોડ-શો કરી મતદારોને રિઝવવા પ્રયત્ન કરવાની છે. ત્યારે કરવામાં આવેલા પ્રચારનું શું પરિણામ આવશે તે 8 ડિસેમ્બરના રોજ ખબર પડશે. 



ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.