સૌરાષ્ટ્ર પર અરવિંદ કેજરીવાલની નજર, પ્રચાર માટે કરાયું રોડ-શોનું આયોજન


  • Published By :
  • Published Date : 2022-11-06 09:31:29

ગુજરાતમાં હાલ ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. દરેક પાર્ટી પોતાની સ્ટાઈલમાં મતદારોને આકર્ષવા પ્રયાસ કરી રહી છે. ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પાર્ટીના દિગ્ગજ નેતાઓ પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા છે. અરવિંદ કેજરીવાલ પણ આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવામાં લાગી ગયા છે. પ્રચાર અભિયાન અંતર્ગત કેજરીવાલ રોજકોટમાં રોડ-શો કરવાના છે. 

Image

સાંજે રાજકોટમાં કેજરીવાલ કરશે રોડ-શો

ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ દરેક પાર્ટી પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન મોદી પોતે ગુજરાત આવી રહ્યા છે, તો કોંગ્રેસનો પ્રચાર કરવા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. ઉપરાંત અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતમાં રહી આપનો પ્રચાર કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી પણ રોડ-શો યોજી શક્તિ પ્રદર્શન કરવાના છે. સાંજના 5 વાગ્યે રાજકોટના કોઠારીયા ચોકડીથી નિલકંઠ સિનેમા સુધી રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ શો દરમિયાન રાજકોટમાં આવેલી વિધાનસભા બેઠક પર તેમની નજર છે. જેમાં રાજકોટ ગ્રામ્ય, દક્ષિણ અને પૂર્વ બેઠકનો સમાવેશ થાય છે. આ અગાઉ અંજાર ખાતે પણ તેમણે રોડ-શો યોજ્યો હતો. 

Gujarat AAP leader Indranil Rajguru leaves party to join Congress,

ઈન્દ્રનીલને લઈ આપી પ્રતિક્રિયા 

રવિવારના દિવસે રોડ-શો હોવાને કારણે તેઓ શનિવારના રોજ રાજકોટ પહોંચી ગયા હતા. રાજકોટ એરપોર્ટ પર કેજરીવાલને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. એરપોર્ટ પર ઈન્દ્રનીલના સમર્થકોએ કોંગ્રેસ જિંદાબાદના નારા લગાવ્યા હતા. કોંગ્રેસમાં જોડાયા બાદ ઈન્દ્રનીલે આમ આદમી પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ઈન્દ્રનીલના આરોપો અંગે જવાબ આપતા તેમણે કહ્યું કે આ બધુ બકવાસ છે. રાજ્યગુરૂ સીએમ ઉમેદવાર બનવા માંગ્તા હતા, પરંતુ તેમને ઉમેદવાર ન બનાવતા તેઓ પાર્ટી છોડીને જતા રહ્યા.

અનેક દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે 

ગુજરાતમાં આજે રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ રેલી ગજવવાના છે. વડાપ્રધાન મોદી પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ઉપરાંત અશોક ગેહલોત પણ ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરવાના છે. ત્યારે આમ આદમી પાર્ટી પણ રોડ-શો કરી મતદારોને રિઝવવા પ્રયત્ન કરવાની છે. ત્યારે કરવામાં આવેલા પ્રચારનું શું પરિણામ આવશે તે 8 ડિસેમ્બરના રોજ ખબર પડશે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.