Arvind Kejriwalની પત્નીએ પ્રેસ કોન્ફરન્સ કરી કર્યો મોટો દાવો! કહ્યું 28 માર્ચે Arvind Kejriwal જણાવશે ક્યાં ગયા દારૂ કૌભાંડના પૈસા?


  • Published By :
  • Published Date : 2024-03-27 16:14:14

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કથિત દારૂ કૌભાંડ કેસમાં જેલવાસ ભોગવી રહ્યા છે. ઈડીએ 21 માર્ચે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લીધી હતી. અરવિંદ કેજરીવાલની જ્યારે ધરપકડ થઈ ત્યારે મોટી સંખ્યામાં તેમના સમર્થકો તેમજ નેતાઓ ત્યાં હાજર હતા ઉપરાંત કોંગ્રેસના પણ નેતાઓ હાજર હતા. અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ લોકો સમક્ષ આવે છે. થોડા સમય પહેલા પણ સુનિતા કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે આજે ફરી એક વખત પ્રેસ કોન્ફરન્સ કરી છે. સુનીતા કેજરીવાલે કહ્યું કે આવતી કાલે અરવિંદ કેજરીવાલ સમગ્ર દેશ સામે બતાવશે કે કથિત દારૂ કૌભાંડના પૈસા ક્યાં ગયા.?

સુનીતા કેજરીવાલે કરી પ્રેસ કોન્ફરન્સ અને કહ્યું કે... 

છેલ્લા ઘણા સમયથી ઈડીએ પૂછપરછ માટે હાજર થવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને અનેક સમન્સ પાઠવ્યા. પરંતુ તે હાજર થયા ના હતા અને અંતે ઈડી મુખ્યમંત્રીના ઘરે પહોંચી. પૂછપરછ કરી અને તે બાદ તેમની ધરપકડ કરી લીધી. અરવિંદ કેજરીવાલ પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. થોડા સમય પહેલા અરવિંદ કેજરીવાલે એક પત્ર મોકલ્યો હતો. તે વખતે અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને આજે ફરી એક વખત તેમણે  એક નિવેદન બહાર જારી કર્યું છે. એ નિવેદનમાં સુનીતા કેજરીવાલે એક મોટો દાવો કર્યો છે કે 28 માર્ચે અરવિંદ કેજરીવાલ સમગ્ર દેશને બતાવશે કે કથિત દારૂ કૌભાંડના પૈસા ક્યાં ગયા? સુનિતા કેજરીવાલે કહ્યું કે તપાસ દરમિયાન એક પણ રૂપિયો નથી મળ્યો. 


જે દિવસે કેજરીવાલની ધરપકડ થઈ ત્યારે... 

મહત્વનું છે કે અરવિંદ કેજરીવાલની ધરપકડ જે સમયે થઈ હતી તેને લઈ અનેક સવાલો થયા હતા. જે દિવસે અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ તે દિવસે ચૂંટણી બોન્ડના ડેટા સામે આવવાના હતા.. કઈ પાર્ટીને કોણે દાન આપ્યું તેની જાણકારી સામે આવવાની હતી.! અનેક લોકો આ ઘટનાને અને કેજરીવાલની ધરપકડને એક સાથે જોઈ રહ્યા છે. ત્યારે સૌ કોઈની નજર આવતી કાલ પર છે કારણ કે કથિત દારૂ કૌભાંડના પૈસા ક્યાં ગયા તેની જાણકારી અરવિંદ કેજરીવાલ આપવાના છે સુનીતા કેજરીવાલના કરવામાં આવેલા દાવા પ્રમાણે 



હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.

થોડાક સમય પેહલા ઈરાને કતારમાં આવેલા અમેરિકન બેઝીઝ પર મિસાઈલ દ્વારા અટેક કર્યો છે. તે પછી ઘણાબધા અખાતી દેશોએ પોતાની એરસ્પેસ બંધ કરી દેવી પડી છે . આ પછી ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે શાંતિકરારો માટે ઓફર કરી છે. ઈઝરાઈલે તો અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના સીઝફાયરના એલાન પર સેહમતી આપી દીધી છે.પરંતુ ઈરાન હજુ પણ માનવા તૈયાર નથી

૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.