Arvind Kejriwalને EDએ ચોથી વખત પાઠવ્યું સમન્સ, લિકર પોલીસી કેસમાં પૂછપરછ માટે ઈડીએ આ તારીખે બોલાવ્યા


  • Published By :
  • Published Date : 2024-01-13 10:04:44

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડીએ ચોથી વખત સમન્સ પાઠવ્યું છે. લીકર પોલીસી કેસમાં પૂછપરછ માટે ફરી એક વખત દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજકને સમન્સ મોકલવામાં આવ્યું છે. 18 જાન્યુઆરીએ અરવિંદ કેજરીવાલને હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે આની પહેલા ત્રણ વખત ઈડીએ તેમને પૂછપરછ માટે બોલાવ્યા હતા. પરંતુ તે ત્રણેય વખત હાજર રહ્યા ન હતા.

ચોથી વખત ઈડીએ અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યું છે 

પ્રવર્તન નિર્દેશાલય એટલે ઈડીએ દિલ્હી લિકર પોલીસી કેસમાં પૂછપરછ કરવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ પાઠવ્યું છે હાજર થવા માટે. 18 જાન્યુઆરીએ હાજર રહેવા માટે સમન્સ મોકવામાં આવ્યું છે અને આ વખતે મોકલવામાં આવેલું સમન્સ ચોથી વારનું છે. ઈડીએ આની પહેલા ત્રણ વખત તેમને હાજર રહેવા માટે નોટિસ મોકલી હચી પરંતુ તે હાજર રહ્યા ન હતા. આમ આદમી પાર્ટીના નેતાઓએ આની પહેલા આશંકા વ્યક્ત કરી હતી કે ઈડી દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી શકે છે. 

કેજરીવાલ ED ઓફિસ ન પહોંચ્યા, હવે તપાસ એજન્સી પાસે શું વિકલ્પ ? કેવી રીતે થઇ  શકે ધરપકડ? | arvind kejriwal ed summon disobey when ed arrest aap chief  kejriwal

આની પહેલા ક્યારે ક્યારે ઈડીએ પાઠવ્યું છે કેજરીવાલને સમન્સ?  

ઈડીએ હજી સુધી પાઠવેલા સમન્સની વાત કરીએ તો 2 નવેમ્બર 2023, 21 ડિસેમ્બર 2023 તેમજ 3 જાન્યુઆરી 2024ના રોજ હાજર થવા માટે જણાવ્યું હતું. પરંતુ ત્રણેય વખત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઈડી સમક્ષ હાજર રહ્યા ન હતા. આમ આદમી પાર્ટીએ આ સમન્સને ગેરકાયદેસર ગણાવી હતી. ઈડી દ્વારા આપવામાં આવેલી નોટિસને લઈ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ત્યારે જોવું રહ્યું છે 18 જાન્યુઆરીએ ઈડી સમક્ષ પૂછપરછ માટે અરવિંદ કેજરીવાલ હાજર થાય છે કે નહીં.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.