Arvind Kejriwalને EDએ ચોથી વખત પાઠવ્યું સમન્સ, લિકર પોલીસી કેસમાં પૂછપરછ માટે ઈડીએ આ તારીખે બોલાવ્યા


  • Published By :
  • Published Date : 2024-01-13 10:04:44

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડીએ ચોથી વખત સમન્સ પાઠવ્યું છે. લીકર પોલીસી કેસમાં પૂછપરછ માટે ફરી એક વખત દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજકને સમન્સ મોકલવામાં આવ્યું છે. 18 જાન્યુઆરીએ અરવિંદ કેજરીવાલને હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે આની પહેલા ત્રણ વખત ઈડીએ તેમને પૂછપરછ માટે બોલાવ્યા હતા. પરંતુ તે ત્રણેય વખત હાજર રહ્યા ન હતા.

ચોથી વખત ઈડીએ અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યું છે 

પ્રવર્તન નિર્દેશાલય એટલે ઈડીએ દિલ્હી લિકર પોલીસી કેસમાં પૂછપરછ કરવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ પાઠવ્યું છે હાજર થવા માટે. 18 જાન્યુઆરીએ હાજર રહેવા માટે સમન્સ મોકવામાં આવ્યું છે અને આ વખતે મોકલવામાં આવેલું સમન્સ ચોથી વારનું છે. ઈડીએ આની પહેલા ત્રણ વખત તેમને હાજર રહેવા માટે નોટિસ મોકલી હચી પરંતુ તે હાજર રહ્યા ન હતા. આમ આદમી પાર્ટીના નેતાઓએ આની પહેલા આશંકા વ્યક્ત કરી હતી કે ઈડી દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી શકે છે. 

કેજરીવાલ ED ઓફિસ ન પહોંચ્યા, હવે તપાસ એજન્સી પાસે શું વિકલ્પ ? કેવી રીતે થઇ  શકે ધરપકડ? | arvind kejriwal ed summon disobey when ed arrest aap chief  kejriwal

આની પહેલા ક્યારે ક્યારે ઈડીએ પાઠવ્યું છે કેજરીવાલને સમન્સ?  

ઈડીએ હજી સુધી પાઠવેલા સમન્સની વાત કરીએ તો 2 નવેમ્બર 2023, 21 ડિસેમ્બર 2023 તેમજ 3 જાન્યુઆરી 2024ના રોજ હાજર થવા માટે જણાવ્યું હતું. પરંતુ ત્રણેય વખત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઈડી સમક્ષ હાજર રહ્યા ન હતા. આમ આદમી પાર્ટીએ આ સમન્સને ગેરકાયદેસર ગણાવી હતી. ઈડી દ્વારા આપવામાં આવેલી નોટિસને લઈ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ત્યારે જોવું રહ્યું છે 18 જાન્યુઆરીએ ઈડી સમક્ષ પૂછપરછ માટે અરવિંદ કેજરીવાલ હાજર થાય છે કે નહીં.   



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.