Arvind Kejriwalને EDએ ચોથી વખત પાઠવ્યું સમન્સ, લિકર પોલીસી કેસમાં પૂછપરછ માટે ઈડીએ આ તારીખે બોલાવ્યા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-13 10:04:44

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડીએ ચોથી વખત સમન્સ પાઠવ્યું છે. લીકર પોલીસી કેસમાં પૂછપરછ માટે ફરી એક વખત દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજકને સમન્સ મોકલવામાં આવ્યું છે. 18 જાન્યુઆરીએ અરવિંદ કેજરીવાલને હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે આની પહેલા ત્રણ વખત ઈડીએ તેમને પૂછપરછ માટે બોલાવ્યા હતા. પરંતુ તે ત્રણેય વખત હાજર રહ્યા ન હતા.

ચોથી વખત ઈડીએ અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યું છે 

પ્રવર્તન નિર્દેશાલય એટલે ઈડીએ દિલ્હી લિકર પોલીસી કેસમાં પૂછપરછ કરવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ પાઠવ્યું છે હાજર થવા માટે. 18 જાન્યુઆરીએ હાજર રહેવા માટે સમન્સ મોકવામાં આવ્યું છે અને આ વખતે મોકલવામાં આવેલું સમન્સ ચોથી વારનું છે. ઈડીએ આની પહેલા ત્રણ વખત તેમને હાજર રહેવા માટે નોટિસ મોકલી હચી પરંતુ તે હાજર રહ્યા ન હતા. આમ આદમી પાર્ટીના નેતાઓએ આની પહેલા આશંકા વ્યક્ત કરી હતી કે ઈડી દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી શકે છે. 

કેજરીવાલ ED ઓફિસ ન પહોંચ્યા, હવે તપાસ એજન્સી પાસે શું વિકલ્પ ? કેવી રીતે થઇ  શકે ધરપકડ? | arvind kejriwal ed summon disobey when ed arrest aap chief  kejriwal

આની પહેલા ક્યારે ક્યારે ઈડીએ પાઠવ્યું છે કેજરીવાલને સમન્સ?  

ઈડીએ હજી સુધી પાઠવેલા સમન્સની વાત કરીએ તો 2 નવેમ્બર 2023, 21 ડિસેમ્બર 2023 તેમજ 3 જાન્યુઆરી 2024ના રોજ હાજર થવા માટે જણાવ્યું હતું. પરંતુ ત્રણેય વખત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઈડી સમક્ષ હાજર રહ્યા ન હતા. આમ આદમી પાર્ટીએ આ સમન્સને ગેરકાયદેસર ગણાવી હતી. ઈડી દ્વારા આપવામાં આવેલી નોટિસને લઈ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ત્યારે જોવું રહ્યું છે 18 જાન્યુઆરીએ ઈડી સમક્ષ પૂછપરછ માટે અરવિંદ કેજરીવાલ હાજર થાય છે કે નહીં.   



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.