અરવિંદ કેજરીવાલને EDએ બીજુ સમન્સ પાઠવ્યું, 21 ડિસેમ્બરે દારૂ કૌભાંડ મામલે પૂછપરછ માટે બોલાવ્યા


  • Published By :
  • Published Date : 2023-12-18 18:46:44

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેવી વધી રહી છે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં ફરી એકવાર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નોટિસ મોકલી છે. EDએ તેમને નોટિસ મોકલીને 21 ડિસેમ્બરે હાજર થવા જણાવ્યું છે. દારૂ કૌભાંડ કેસમાં કેજરીવાલને EDનું આ બીજું સમન્સ છે. આ પહેલા EDએ કેજરીવાલને 2 ડિસેમ્બરે પૂછપરછ માટે નોટિસ પણ મોકલી હતી. પરંતુ અરવિંદ કેજરીવાલે નોટિસને ગેરકાયદે ગણાવીને પાછી ખેંચવાની માંગ કરી હતી. તેઓ ED સમક્ષ હાજર થયા ન હતા. EDએ કેજરીવાલને આ સમન્સ એવા સમયે મોકલ્યું છે જ્યારે તેઓ 10 દિવસ માટે વિપશ્યના માટે જઈ રહ્યા છે. તેઓ 19મી ડિસેમ્બરે વિપશ્યના માટે રવાના થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેજરીવાલ દર વર્ષે વિપશ્યનાનો 10 દિવસનો કોર્સ કરવા જાય છે. આ વર્ષે પણ તેઓ 19 થી 30 ડિસેમ્બર સુધી વિપશ્યનામાં શિબિરમાં રહેશે.


AAPના આ નેતાઓ પહેલાથી જ જેલમાં છે


ઉલ્લેખનિય છે લિકર પોલીસી કેસમાં અગાઉ રાજ્યના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહ એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ન્યાયિક કસ્ટડીમાં છે. અન્ય આરોપીઓની પૂછપરછના આધારે ED કેજરીવાલની પૂછપરછ કરવા માંગે છે.


નવી દારૂની નીતિ શું હતી?


22 માર્ચ, 2021 ના ​​રોજ, મનીષ સિસોદિયાએ નવી દારૂ નીતિની જાહેરાત કરી હતી. 17 નવેમ્બર 2021 ના ​​રોજ, નવી દારૂ નીતિ એટલે કે આબકારી નીતિ 2021-22 લાગુ કરવામાં આવી હતી. દારૂની નવી નીતિ લાવ્યા બાદ દિલ્હી સરકાર દારૂના ધંધામાંથી બહાર નિકળી ગઈ અને દારૂની આખી દુકાનો ખાનગી હાથમાં ગઈ હતી. નવી નીતિ લાવવા પાછળ સરકારનો તર્ક હતો કે તેનાથી માફિયા શાસનનો અંત આવશે અને સરકારની આવકમાં વધારો થશે. જોકે, નવી નીતિ શરૂઆતથી જ વિવાદમાં રહી હતી. જ્યારે વિવાદ વધી ગયો ત્યારે 28 જુલાઈ, 2022 ના રોજ, સરકારે નવી દારૂ નીતિ રદ કરી અને ફરીથી જૂની નીતિ લાગુ કરી હતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.