અરવિંદ કેજરીવાલને EDએ બીજુ સમન્સ પાઠવ્યું, 21 ડિસેમ્બરે દારૂ કૌભાંડ મામલે પૂછપરછ માટે બોલાવ્યા


  • Published By :
  • Published Date : 2023-12-18 18:46:44

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેવી વધી રહી છે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં ફરી એકવાર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નોટિસ મોકલી છે. EDએ તેમને નોટિસ મોકલીને 21 ડિસેમ્બરે હાજર થવા જણાવ્યું છે. દારૂ કૌભાંડ કેસમાં કેજરીવાલને EDનું આ બીજું સમન્સ છે. આ પહેલા EDએ કેજરીવાલને 2 ડિસેમ્બરે પૂછપરછ માટે નોટિસ પણ મોકલી હતી. પરંતુ અરવિંદ કેજરીવાલે નોટિસને ગેરકાયદે ગણાવીને પાછી ખેંચવાની માંગ કરી હતી. તેઓ ED સમક્ષ હાજર થયા ન હતા. EDએ કેજરીવાલને આ સમન્સ એવા સમયે મોકલ્યું છે જ્યારે તેઓ 10 દિવસ માટે વિપશ્યના માટે જઈ રહ્યા છે. તેઓ 19મી ડિસેમ્બરે વિપશ્યના માટે રવાના થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેજરીવાલ દર વર્ષે વિપશ્યનાનો 10 દિવસનો કોર્સ કરવા જાય છે. આ વર્ષે પણ તેઓ 19 થી 30 ડિસેમ્બર સુધી વિપશ્યનામાં શિબિરમાં રહેશે.


AAPના આ નેતાઓ પહેલાથી જ જેલમાં છે


ઉલ્લેખનિય છે લિકર પોલીસી કેસમાં અગાઉ રાજ્યના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહ એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ન્યાયિક કસ્ટડીમાં છે. અન્ય આરોપીઓની પૂછપરછના આધારે ED કેજરીવાલની પૂછપરછ કરવા માંગે છે.


નવી દારૂની નીતિ શું હતી?


22 માર્ચ, 2021 ના ​​રોજ, મનીષ સિસોદિયાએ નવી દારૂ નીતિની જાહેરાત કરી હતી. 17 નવેમ્બર 2021 ના ​​રોજ, નવી દારૂ નીતિ એટલે કે આબકારી નીતિ 2021-22 લાગુ કરવામાં આવી હતી. દારૂની નવી નીતિ લાવ્યા બાદ દિલ્હી સરકાર દારૂના ધંધામાંથી બહાર નિકળી ગઈ અને દારૂની આખી દુકાનો ખાનગી હાથમાં ગઈ હતી. નવી નીતિ લાવવા પાછળ સરકારનો તર્ક હતો કે તેનાથી માફિયા શાસનનો અંત આવશે અને સરકારની આવકમાં વધારો થશે. જોકે, નવી નીતિ શરૂઆતથી જ વિવાદમાં રહી હતી. જ્યારે વિવાદ વધી ગયો ત્યારે 28 જુલાઈ, 2022 ના રોજ, સરકારે નવી દારૂ નીતિ રદ કરી અને ફરીથી જૂની નીતિ લાગુ કરી હતી.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે