કેજરીવાલનો પડકાર, શહેરી વિસ્તારની 66 વિધાનસભા સીટો પર ભાજપ હારશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 18:27:57

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે તેમની એક દિવસના મુલાકાતે વડોદરા પહોંચ્યા હતા. કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે 'તેમની આમ આદમી પાર્ટી પાર્ટી સત્તામાં આવશે, તો ગુજરાતમાં જૂની પેન્શન યોજના ચોક્કસ લાગુ કરશે.'


અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને સંબોધતા જણાવ્યું કે, આજે જ્યારે હું વડોદરા એરપોર્ટ પર ઉતર્યો ત્યારે લગભગ 30-40 લોકોએ “મોદી મોદી” ના નારા લગાવ્યા હતા. અત્યારે ગુજરાતમાં એવું વાતાવરણ બની ગયું છે કે ભાજપને મોટા પ્રમાણમાં નુકસાન થવાનું છે. કહેવાય છે કે ગુજરાતમાં શહેરી વિસ્તારની 66 વિધાનસભા સીટો એવી છે જ્યાં ભાજપ ક્યારેય હાર્યું નથી. આ વખતે તેમને તે 66 સીટો પર પણ મુશ્કેલી પડવાની છે. કારણ કે તેઓ આ વખતે ત્યાંની બધી સીટો જીતવાનાં નથી. આથી સ્વાભાવિક છે કે તે લોકો મારા વિરુદ્ધ જ નારા લગાવશે.


આ સરકાર ભ્રષ્ટ છે, 27 વર્ષના શાસનથી ઘમંડ આવી ગયો છે: કેજરીવાલ


સરકારી કર્મચારીઓને લઈ કેજરીવાલે જણાવ્યું કે, છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના સરકારી કર્મચારીઓ મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તમામ સરકારી કર્મચારીઓ ખૂબ જ દુઃખી છે, ખૂબ ગુસ્સે છે અને સચિવાલયનો જે રીતે ઘેરાવ કરવામાં આવ્યો હતો અને આટલી મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ રસ્તા પર ઉતરી રહ્યા હતા તે પહેલીવાર જોયું છે. કેજરીવાલે કહ્યું કે, ફોરેસ્ટ ગાર્ડ, પોલીસ, પૂર્વ સૈનિકો, કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે. કર્મચારીઓ આંદોલન કરીને બદલાવ ઈચ્છી રહ્યા છે. કોઈપણ રાજ્યમાં ચૂંટણી જીતવામાં કે હારવામાં સરકારી કર્મચારીઓની સૌથી મોટી ભૂમિકા હોય છે. હું તેમને વિનંતી કરું છું કે આ સરકાર ભ્રષ્ટ છે. આ સરકાર જન વિરોધી કામ કરી રહી છે. આ સરકારને 27 વર્ષ થઈ ગયા, હવે તેમનામાં ઘમંડ આવી ગયો છે. એકવાર તેને દૂર કરવી ખૂબ જરૂરી છે. બધા સાથે મળીને તેમને દૂર કરવાની તૈયારી કરો અને તે દિશામાં કામ કરો. અમે તમારી પાસેથી એક તક માંગીએ છીએ. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.