ગુજરાતમાં આવેલા અરવિંદ કેજરીવાલને કરવો પડ્યો વિરોધનો સામનો


  • Published By :
  • Published Date : 2022-10-29 16:08:42

ગુજરાતમાં આમ આદમી પાર્ટી જોરશોરથી પોતાનો પ્રચાર કરી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાતમાં અનેક વખત આવી આપનો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આજે ફરી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે ત્યારે ચીખલી ખાતે અરવિંદ કેજરીવાલ પ્રચાર માટે જઈ રહ્યા હતા તે દરમિયાન મોદી-મોદીના નારા લાગ્યા હતા.


ગુજરાત ભાજપે ટ્વિટ કર્યો વીડિયો   

ભાજપ અને કોંગ્રેસ સિવાય પહેલી વખત કોઈ ત્રીજી પાર્ટી આટલા જોરશોરથી પ્રચાર કરી રહી છે. પંજાબ અને દિલ્હીમાં જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ ચૂંટણી લડવા મેદાનમાં ઉતર્યું છે. અરવિંદ કેજરીવાલ પોતે આપનો પ્રચાર કરી રહ્યા છે. ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં તેમના આંટાફેરા વધી ગયા છે. હાલ દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રી ગુજરાતમાં આવી આપનો પ્રચાર કરી રહ્યા છે. આપનો પ્રચાર કરવા અરવિંદ કેજરીવાલ ચીખલી જઈ રહ્યા હતા તે દરમિયાન મોદી મોદીના નારા લાગ્યા હતા. આ વીડિયો ગુજરાત ભાજપે ટ્વિટ કર્યો છે અને લખ્યું છે કે ગુજરાતના કોઈ પણ ખૂણે જાઓ, સ્વાગતતો મોદી-મોદીના નારાથી જ થવાનું છે. 

pm modi in gujarat, PM મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે, મોઢેશ્વરી  માતાની કરશે પૂજા - pm modi in gujarat for three days - I am Gujarat

ફરી એક વખત ગુજરાત આવશે પીએમ મોદી

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપ પણ પોતાના પ્રચારમાં લાગી ગયું છે. વડાપ્રધાન અને ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદીનો આ પ્રવાસ ચૂંટણી પૂર્વેનો અંતિમ પ્રવાસ હોવાનું માનવામાં આવી રહ્યો છે. પોતાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન અનેક સ્થળો પર જનસભાને પણ સંબોધવાના છે.            



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.