ગુજરાતમાં આવેલા અરવિંદ કેજરીવાલને કરવો પડ્યો વિરોધનો સામનો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-10-29 16:08:42

ગુજરાતમાં આમ આદમી પાર્ટી જોરશોરથી પોતાનો પ્રચાર કરી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાતમાં અનેક વખત આવી આપનો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આજે ફરી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે ત્યારે ચીખલી ખાતે અરવિંદ કેજરીવાલ પ્રચાર માટે જઈ રહ્યા હતા તે દરમિયાન મોદી-મોદીના નારા લાગ્યા હતા.


ગુજરાત ભાજપે ટ્વિટ કર્યો વીડિયો   

ભાજપ અને કોંગ્રેસ સિવાય પહેલી વખત કોઈ ત્રીજી પાર્ટી આટલા જોરશોરથી પ્રચાર કરી રહી છે. પંજાબ અને દિલ્હીમાં જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ ચૂંટણી લડવા મેદાનમાં ઉતર્યું છે. અરવિંદ કેજરીવાલ પોતે આપનો પ્રચાર કરી રહ્યા છે. ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં તેમના આંટાફેરા વધી ગયા છે. હાલ દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રી ગુજરાતમાં આવી આપનો પ્રચાર કરી રહ્યા છે. આપનો પ્રચાર કરવા અરવિંદ કેજરીવાલ ચીખલી જઈ રહ્યા હતા તે દરમિયાન મોદી મોદીના નારા લાગ્યા હતા. આ વીડિયો ગુજરાત ભાજપે ટ્વિટ કર્યો છે અને લખ્યું છે કે ગુજરાતના કોઈ પણ ખૂણે જાઓ, સ્વાગતતો મોદી-મોદીના નારાથી જ થવાનું છે. 

pm modi in gujarat, PM મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે, મોઢેશ્વરી  માતાની કરશે પૂજા - pm modi in gujarat for three days - I am Gujarat

ફરી એક વખત ગુજરાત આવશે પીએમ મોદી

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપ પણ પોતાના પ્રચારમાં લાગી ગયું છે. વડાપ્રધાન અને ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદીનો આ પ્રવાસ ચૂંટણી પૂર્વેનો અંતિમ પ્રવાસ હોવાનું માનવામાં આવી રહ્યો છે. પોતાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન અનેક સ્થળો પર જનસભાને પણ સંબોધવાના છે.            



હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી ચોમાસાને લઈ આગાહી કરવામાં આવી છે. આ વર્ષનું ચોમાસું સારૂં રહેશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. તેમણે કહ્યું કે 7 જૂનની આસપાસ પવનો બદલાશે ઉપરાંત સમુદ્રમાં કરંટ ઉત્પન્ન થશે. તારીખ 7થી 14 જૂન આંધી પવન સાથે ચોમાસું બેસવાની શક્યતાઓ છે.

એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે જેમાં પોલીસની ટીમ દ્વારા શ્રમજીવીને નવી સાયકલ આપવામાં આવી છે... સાયકલ મળતા જ શ્રમજીવીની આંખો હરખથી ભરાઈ આવી હતી.. હર્ષ સંઘવીએ આનો વીડિયો શેર કર્યો છે.

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પોઈચામાં બનેલી ઘટના જેમાં નર્મદા નદીમાં ન્હાવા ગયેલા 8 લોકો ડૂબી ગયા હતા તેની ચર્ચા ચાલી રહી છે... તેમાંથી એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.. બીજી એક ઘટના મોરબીમાં બની હતી. મચ્છુ નદીમાં ન્હાવા માટે યુવાનો ગયા હતા જેમાંથી ત્રણ લોકો ડૂબી ગયા હતા.

રાજ્ય શિક્ષણ વિભાગની પરિણામ પુસ્તિકા મુજબ આ વર્ષે એટલે કે 2024માં ગુજરાતી વિષયમાં 5.83 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, તેમાંથી 5.37 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ આંકડા પરથી સમજી શકીએ છીએ કે બોર્ડનું ઓવરઓલ પરિણામ ઊંચું આવ્યું છે છતાં 7.91% વિદ્યાર્થીઓ એટલે કે 46 હજારથી વધુ વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં નાપાસ થયા છે,