ગુજરાતમાં આવેલા અરવિંદ કેજરીવાલને કરવો પડ્યો વિરોધનો સામનો


  • Published By :
  • Published Date : 2022-10-29 16:08:42

ગુજરાતમાં આમ આદમી પાર્ટી જોરશોરથી પોતાનો પ્રચાર કરી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાતમાં અનેક વખત આવી આપનો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આજે ફરી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે ત્યારે ચીખલી ખાતે અરવિંદ કેજરીવાલ પ્રચાર માટે જઈ રહ્યા હતા તે દરમિયાન મોદી-મોદીના નારા લાગ્યા હતા.


ગુજરાત ભાજપે ટ્વિટ કર્યો વીડિયો   

ભાજપ અને કોંગ્રેસ સિવાય પહેલી વખત કોઈ ત્રીજી પાર્ટી આટલા જોરશોરથી પ્રચાર કરી રહી છે. પંજાબ અને દિલ્હીમાં જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ ચૂંટણી લડવા મેદાનમાં ઉતર્યું છે. અરવિંદ કેજરીવાલ પોતે આપનો પ્રચાર કરી રહ્યા છે. ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં તેમના આંટાફેરા વધી ગયા છે. હાલ દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રી ગુજરાતમાં આવી આપનો પ્રચાર કરી રહ્યા છે. આપનો પ્રચાર કરવા અરવિંદ કેજરીવાલ ચીખલી જઈ રહ્યા હતા તે દરમિયાન મોદી મોદીના નારા લાગ્યા હતા. આ વીડિયો ગુજરાત ભાજપે ટ્વિટ કર્યો છે અને લખ્યું છે કે ગુજરાતના કોઈ પણ ખૂણે જાઓ, સ્વાગતતો મોદી-મોદીના નારાથી જ થવાનું છે. 

pm modi in gujarat, PM મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે, મોઢેશ્વરી  માતાની કરશે પૂજા - pm modi in gujarat for three days - I am Gujarat

ફરી એક વખત ગુજરાત આવશે પીએમ મોદી

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપ પણ પોતાના પ્રચારમાં લાગી ગયું છે. વડાપ્રધાન અને ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદીનો આ પ્રવાસ ચૂંટણી પૂર્વેનો અંતિમ પ્રવાસ હોવાનું માનવામાં આવી રહ્યો છે. પોતાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન અનેક સ્થળો પર જનસભાને પણ સંબોધવાના છે.            



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.