Chaitar Vasavaના સમર્થનમાં Gujarat આવશે Arvind Kejriwal, નેત્રંગ ખાતે યોજાશે જનસભા, જાણો કેજરીવાલનો સમગ્ર કાર્યક્રમ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-06 18:08:11

ભરૂચ લોકસભાની બેઠક અનેક વખત ચર્ચામાં રહેતી હોય છે. વસાવા vs વસાવાની જંગ ત્યાં જોવા મળતી હોય છે. મનસુખ વસાવા પોતાના નિવેદનને કારણે ચર્ચામાં હોય છે તો ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે તેને લઈ ચર્ચા થાય છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે. તે ભલે જેલમાં છે પરંતુ તેમના સમર્થકો એક્ટિવ મોડમાં આવી ગયા છે. તેમના સમર્થનમાં તેમના સમર્થકો રેલી નીકાળી રહ્યા છે. ચૈતર વસાવાના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવી રહ્યા છે. નેત્રંગ ખાતે મોટી જનસભાનું આયોજન કરવામાં આવ્યું છ.

ચૈતર વસાવા લોકસભા ચૂંટણી લડશે તેવી કરાઈ જાહેરાત 

આગામી વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટી દ્વારા ચૂંટણીને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ચૈતર વસાવા ભલે હમણાં જેલમાં છે પરંતુ તે લોકસભા ચૂંટણી લડશે તેવો સંદેશો તેમના દ્વારા મોકલવામાં આવ્યો છે. ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે તેવી જાહેરાત થયા બાદ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચૈતર વસાવા દ્વારા કરવામાં આવેલા કામોને લોકો સુધી પહોંચાડવા માટે પેમ્પ્લેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.


આવતી કાલે નેત્રંગમાં અરવિંદ કેજરીવાલ કરશે જનસભા 

આમ આદમી પાર્ટીને ગુજરાતના આપના નેતાઓનું સમર્થન તો મળતું જ હતું પરંતુ આવતી કાલે ગુજરાતના પ્રવાસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માન આવી રહ્યા છે. જનસભાને લઈ વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. મોટો મંડપ તૈયાર કરવામાં આવ્યો છે. આવતી કાલે નેત્રંગ ખાતે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સભાને સંબોધવાના છે. તે બાદ તે પછીના દિવસે જેલમાં બંધ ચૈતર વસાવા સાથે કેજરીવાલ મુલાકાત કરવાના છે. મહત્વનું છે કે અરવિંદ કેજરીવાલના આગમન પહેલા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી ગઈ છે.                                                  



આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલ દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપોની ચર્ચા થઈ રહી છે.. આપ સાંસદ સ્વાતી માલીવાલે આરોપ લગાવ્યો હતો કે અરવિંદ કેજરીવાલના પીએ વિભવ કુમારે તેમની સાથે મારપીટ કરી છે. સીએમના સત્તાવાર નિવાસસ્થાન પર વિભવ કુમાર દ્વારા દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે.

ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આવનાર દિવસમાં તાપમાનનો પારો વધશે તેવી વાત કરવામાં આવી હતી પરંતુ લોકોની એની રાહ જોઈ રહ્યા છે કે ચોમાસું ક્યારે બેસશે? ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.

જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં તેમણે ગોકળગાયની ગતિએ ચાલતા નરસિંહ મહેતા તળાવના બ્યુટિફિકેશનની કામગીરી અંગે વાત કરી હતી.. પત્રમાં તેમણે જણાવ્યું કે જો એક મહિનાની અંદર જો આ કામગીરી પૂર્ણ નહીં થાય તો પરિસ્થિતિ ગત વર્ષ જેવી થશે..મુખ્યમંત્રી દ્વારા એક્શન લેવામાં આવે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે.

ચારધામના દ્વાર ખુલતા જ હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ત્યાં આવી પહોંચ્યા છે જેને કારણે વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે... અનેક લોકો મોબાઈલમાં રિલ બનાવતા હોય છે જેને કારણે ભીડ જામી જતી હોય છે. ત્યારે વ્યવસ્થા ના ખોરવાય તે માટે પ્રશાસન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.