Chaitar Vasavaના સમર્થનમાં Gujarat આવશે Arvind Kejriwal, નેત્રંગ ખાતે યોજાશે જનસભા, જાણો કેજરીવાલનો સમગ્ર કાર્યક્રમ


  • Published By :
  • Published Date : 2024-01-06 18:08:11

ભરૂચ લોકસભાની બેઠક અનેક વખત ચર્ચામાં રહેતી હોય છે. વસાવા vs વસાવાની જંગ ત્યાં જોવા મળતી હોય છે. મનસુખ વસાવા પોતાના નિવેદનને કારણે ચર્ચામાં હોય છે તો ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે તેને લઈ ચર્ચા થાય છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે. તે ભલે જેલમાં છે પરંતુ તેમના સમર્થકો એક્ટિવ મોડમાં આવી ગયા છે. તેમના સમર્થનમાં તેમના સમર્થકો રેલી નીકાળી રહ્યા છે. ચૈતર વસાવાના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવી રહ્યા છે. નેત્રંગ ખાતે મોટી જનસભાનું આયોજન કરવામાં આવ્યું છ.

ચૈતર વસાવા લોકસભા ચૂંટણી લડશે તેવી કરાઈ જાહેરાત 

આગામી વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટી દ્વારા ચૂંટણીને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ચૈતર વસાવા ભલે હમણાં જેલમાં છે પરંતુ તે લોકસભા ચૂંટણી લડશે તેવો સંદેશો તેમના દ્વારા મોકલવામાં આવ્યો છે. ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે તેવી જાહેરાત થયા બાદ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચૈતર વસાવા દ્વારા કરવામાં આવેલા કામોને લોકો સુધી પહોંચાડવા માટે પેમ્પ્લેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.


આવતી કાલે નેત્રંગમાં અરવિંદ કેજરીવાલ કરશે જનસભા 

આમ આદમી પાર્ટીને ગુજરાતના આપના નેતાઓનું સમર્થન તો મળતું જ હતું પરંતુ આવતી કાલે ગુજરાતના પ્રવાસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માન આવી રહ્યા છે. જનસભાને લઈ વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. મોટો મંડપ તૈયાર કરવામાં આવ્યો છે. આવતી કાલે નેત્રંગ ખાતે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સભાને સંબોધવાના છે. તે બાદ તે પછીના દિવસે જેલમાં બંધ ચૈતર વસાવા સાથે કેજરીવાલ મુલાકાત કરવાના છે. મહત્વનું છે કે અરવિંદ કેજરીવાલના આગમન પહેલા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી ગઈ છે.                                                  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.