Chaitar Vasavaના સમર્થનમાં Gujarat આવશે Arvind Kejriwal, નેત્રંગ ખાતે યોજાશે જનસભા, જાણો કેજરીવાલનો સમગ્ર કાર્યક્રમ


  • Published By :
  • Published Date : 2024-01-06 18:08:11

ભરૂચ લોકસભાની બેઠક અનેક વખત ચર્ચામાં રહેતી હોય છે. વસાવા vs વસાવાની જંગ ત્યાં જોવા મળતી હોય છે. મનસુખ વસાવા પોતાના નિવેદનને કારણે ચર્ચામાં હોય છે તો ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે તેને લઈ ચર્ચા થાય છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે. તે ભલે જેલમાં છે પરંતુ તેમના સમર્થકો એક્ટિવ મોડમાં આવી ગયા છે. તેમના સમર્થનમાં તેમના સમર્થકો રેલી નીકાળી રહ્યા છે. ચૈતર વસાવાના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવી રહ્યા છે. નેત્રંગ ખાતે મોટી જનસભાનું આયોજન કરવામાં આવ્યું છ.

ચૈતર વસાવા લોકસભા ચૂંટણી લડશે તેવી કરાઈ જાહેરાત 

આગામી વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટી દ્વારા ચૂંટણીને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ચૈતર વસાવા ભલે હમણાં જેલમાં છે પરંતુ તે લોકસભા ચૂંટણી લડશે તેવો સંદેશો તેમના દ્વારા મોકલવામાં આવ્યો છે. ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે તેવી જાહેરાત થયા બાદ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચૈતર વસાવા દ્વારા કરવામાં આવેલા કામોને લોકો સુધી પહોંચાડવા માટે પેમ્પ્લેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.


આવતી કાલે નેત્રંગમાં અરવિંદ કેજરીવાલ કરશે જનસભા 

આમ આદમી પાર્ટીને ગુજરાતના આપના નેતાઓનું સમર્થન તો મળતું જ હતું પરંતુ આવતી કાલે ગુજરાતના પ્રવાસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માન આવી રહ્યા છે. જનસભાને લઈ વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. મોટો મંડપ તૈયાર કરવામાં આવ્યો છે. આવતી કાલે નેત્રંગ ખાતે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સભાને સંબોધવાના છે. તે બાદ તે પછીના દિવસે જેલમાં બંધ ચૈતર વસાવા સાથે કેજરીવાલ મુલાકાત કરવાના છે. મહત્વનું છે કે અરવિંદ કેજરીવાલના આગમન પહેલા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી ગઈ છે.                                                  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે