Chaitar Vasavaના સમર્થનમાં Gujarat આવશે Arvind Kejriwal, નેત્રંગ ખાતે યોજાશે જનસભા, જાણો કેજરીવાલનો સમગ્ર કાર્યક્રમ


  • Published By :
  • Published Date : 2024-01-06 18:08:11

ભરૂચ લોકસભાની બેઠક અનેક વખત ચર્ચામાં રહેતી હોય છે. વસાવા vs વસાવાની જંગ ત્યાં જોવા મળતી હોય છે. મનસુખ વસાવા પોતાના નિવેદનને કારણે ચર્ચામાં હોય છે તો ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે તેને લઈ ચર્ચા થાય છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે. તે ભલે જેલમાં છે પરંતુ તેમના સમર્થકો એક્ટિવ મોડમાં આવી ગયા છે. તેમના સમર્થનમાં તેમના સમર્થકો રેલી નીકાળી રહ્યા છે. ચૈતર વસાવાના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવી રહ્યા છે. નેત્રંગ ખાતે મોટી જનસભાનું આયોજન કરવામાં આવ્યું છ.

ચૈતર વસાવા લોકસભા ચૂંટણી લડશે તેવી કરાઈ જાહેરાત 

આગામી વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટી દ્વારા ચૂંટણીને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ચૈતર વસાવા ભલે હમણાં જેલમાં છે પરંતુ તે લોકસભા ચૂંટણી લડશે તેવો સંદેશો તેમના દ્વારા મોકલવામાં આવ્યો છે. ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે તેવી જાહેરાત થયા બાદ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચૈતર વસાવા દ્વારા કરવામાં આવેલા કામોને લોકો સુધી પહોંચાડવા માટે પેમ્પ્લેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.


આવતી કાલે નેત્રંગમાં અરવિંદ કેજરીવાલ કરશે જનસભા 

આમ આદમી પાર્ટીને ગુજરાતના આપના નેતાઓનું સમર્થન તો મળતું જ હતું પરંતુ આવતી કાલે ગુજરાતના પ્રવાસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માન આવી રહ્યા છે. જનસભાને લઈ વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. મોટો મંડપ તૈયાર કરવામાં આવ્યો છે. આવતી કાલે નેત્રંગ ખાતે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સભાને સંબોધવાના છે. તે બાદ તે પછીના દિવસે જેલમાં બંધ ચૈતર વસાવા સાથે કેજરીવાલ મુલાકાત કરવાના છે. મહત્વનું છે કે અરવિંદ કેજરીવાલના આગમન પહેલા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી ગઈ છે.                                                  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.