Arvind Kejriwal આજે પણ ED સમક્ષ નહીં થાય હાજર, કેજરીવાલ હાજર કેમ નહીં થાય તેનું કારણ જણાવતા AAPએ કહ્યું કે....


  • Published By :
  • Published Date : 2024-02-26 16:58:11

કથિત દારૂ કૌભાંડને લઈ ઈડી દ્વારા અનેક વખત અરવિંદ કેજરીવાલને નોટિસ પાઠવવામાં આવી છે કે તે પૂછપરછ માટે હાજર થાય. પરંતુ હજી સુધી જેટલી વાર પણ નોટિસ મોકલવામાં આવી છે તેનો ઈન્કાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવ્યો છે. ઈડીએ સાતમી વખત અરવિંદ કેજરીવાલને હાજર થવા માટે સમન્સ મોકલ્યું હતું પરંતુ ફરી એક વખત પૂછપરછ માટે અરવિંદ કેજરીવાલ હાજર નહીં થાય. આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ મામલો હજી કોર્ટમાં છે. મહત્વનું છે કે આ કેસને લઈ આગળની સુનાવણી 16 માર્ચે થવાની છે. 

સાતમી વખત ઈડીએ પાઠવ્યું હતું અરવિંદ કેજરીવાલને સમન્સ! 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડીએ પૂછપરછ માટે હાજર થવા માટે અનેક વખત સમન્સ પાઠવ્યું છે. કથિત દારૂ કૌભાંડને લઈ ઈડી દ્વારા સમન્સ મોકલવામાં આવી રહ્યું છે. હજી સુધી ઈડીએ છ વખત સમન્સ પાઠવ્યા હતા પરંતુ તે એક વખત પણ હાજર થયા ના હતા. ત્યારે ઈડીએ સાતમી વખત અરવિંદ કેજરીવાલને સમન્સ પાઠવ્યું હતું પૂછપરછ માટે હાજર થવા માટે પરંતુ આજે પણ તે ઈડી સમક્ષ હાજર નહીં થાય. જ્યારે જ્યારે ઈડી સમન્સ મોકલતું હતું ત્યારે આપ દ્વારા કહેવામાં આવતું કે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવા માટે આ નોટિસ મોકલવામાં આવી રહી છે.


કોર્ટમાં ચાલી રહ્યો છે કેસ!

અરવિંદ કેજરીવાલ ઈડી સમક્ષ પૂછપરછ માટે હાજર થતા ન હતા જેને લઈ આ કેસ કોર્ટમાં પહોંચ્યો છે. 17 ફેબ્રુઆરીએ કોર્ટમાં આ કેસની સુનાવણી ચાલી હતી, અરવિંદ કેજરીવાલ કોર્ટ સમક્ષ ઓનલાઈન હાજર થયા હતા. તેમણે ફિઝીકલી કેમ હાજર ન થઈ શક્યા તેનું કારણ બતાવ્યું હતું. આ કેસ કોર્ટમાં છે જેને લઈ આમ આદમી પાર્ટી દ્વારા એવું કહેવામાં આવ્યું કે કેસ કોર્ટમાં છે. તો ઈડીએ કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ. આગામી સુનાવણી આ કેસને લઈ 16 માર્ચે થવાની છે. મહત્વનું છે કે ઈડી દ્વારા સાતમી વખત સમન્સ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોકલવામાં આવ્યું હતું.    



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.