Arvind Kejriwal આજે પણ ED સમક્ષ નહીં થાય હાજર, કેજરીવાલ હાજર કેમ નહીં થાય તેનું કારણ જણાવતા AAPએ કહ્યું કે....


  • Published By :
  • Published Date : 2024-02-26 16:58:11

કથિત દારૂ કૌભાંડને લઈ ઈડી દ્વારા અનેક વખત અરવિંદ કેજરીવાલને નોટિસ પાઠવવામાં આવી છે કે તે પૂછપરછ માટે હાજર થાય. પરંતુ હજી સુધી જેટલી વાર પણ નોટિસ મોકલવામાં આવી છે તેનો ઈન્કાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવ્યો છે. ઈડીએ સાતમી વખત અરવિંદ કેજરીવાલને હાજર થવા માટે સમન્સ મોકલ્યું હતું પરંતુ ફરી એક વખત પૂછપરછ માટે અરવિંદ કેજરીવાલ હાજર નહીં થાય. આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ મામલો હજી કોર્ટમાં છે. મહત્વનું છે કે આ કેસને લઈ આગળની સુનાવણી 16 માર્ચે થવાની છે. 

સાતમી વખત ઈડીએ પાઠવ્યું હતું અરવિંદ કેજરીવાલને સમન્સ! 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડીએ પૂછપરછ માટે હાજર થવા માટે અનેક વખત સમન્સ પાઠવ્યું છે. કથિત દારૂ કૌભાંડને લઈ ઈડી દ્વારા સમન્સ મોકલવામાં આવી રહ્યું છે. હજી સુધી ઈડીએ છ વખત સમન્સ પાઠવ્યા હતા પરંતુ તે એક વખત પણ હાજર થયા ના હતા. ત્યારે ઈડીએ સાતમી વખત અરવિંદ કેજરીવાલને સમન્સ પાઠવ્યું હતું પૂછપરછ માટે હાજર થવા માટે પરંતુ આજે પણ તે ઈડી સમક્ષ હાજર નહીં થાય. જ્યારે જ્યારે ઈડી સમન્સ મોકલતું હતું ત્યારે આપ દ્વારા કહેવામાં આવતું કે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવા માટે આ નોટિસ મોકલવામાં આવી રહી છે.


કોર્ટમાં ચાલી રહ્યો છે કેસ!

અરવિંદ કેજરીવાલ ઈડી સમક્ષ પૂછપરછ માટે હાજર થતા ન હતા જેને લઈ આ કેસ કોર્ટમાં પહોંચ્યો છે. 17 ફેબ્રુઆરીએ કોર્ટમાં આ કેસની સુનાવણી ચાલી હતી, અરવિંદ કેજરીવાલ કોર્ટ સમક્ષ ઓનલાઈન હાજર થયા હતા. તેમણે ફિઝીકલી કેમ હાજર ન થઈ શક્યા તેનું કારણ બતાવ્યું હતું. આ કેસ કોર્ટમાં છે જેને લઈ આમ આદમી પાર્ટી દ્વારા એવું કહેવામાં આવ્યું કે કેસ કોર્ટમાં છે. તો ઈડીએ કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ. આગામી સુનાવણી આ કેસને લઈ 16 માર્ચે થવાની છે. મહત્વનું છે કે ઈડી દ્વારા સાતમી વખત સમન્સ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોકલવામાં આવ્યું હતું.    



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .