Arvind Kejriwal આજે પણ ED સમક્ષ નહીં થાય હાજર, કેજરીવાલ હાજર કેમ નહીં થાય તેનું કારણ જણાવતા AAPએ કહ્યું કે....


  • Published By :
  • Published Date : 2024-02-26 16:58:11

કથિત દારૂ કૌભાંડને લઈ ઈડી દ્વારા અનેક વખત અરવિંદ કેજરીવાલને નોટિસ પાઠવવામાં આવી છે કે તે પૂછપરછ માટે હાજર થાય. પરંતુ હજી સુધી જેટલી વાર પણ નોટિસ મોકલવામાં આવી છે તેનો ઈન્કાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવ્યો છે. ઈડીએ સાતમી વખત અરવિંદ કેજરીવાલને હાજર થવા માટે સમન્સ મોકલ્યું હતું પરંતુ ફરી એક વખત પૂછપરછ માટે અરવિંદ કેજરીવાલ હાજર નહીં થાય. આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ મામલો હજી કોર્ટમાં છે. મહત્વનું છે કે આ કેસને લઈ આગળની સુનાવણી 16 માર્ચે થવાની છે. 

સાતમી વખત ઈડીએ પાઠવ્યું હતું અરવિંદ કેજરીવાલને સમન્સ! 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડીએ પૂછપરછ માટે હાજર થવા માટે અનેક વખત સમન્સ પાઠવ્યું છે. કથિત દારૂ કૌભાંડને લઈ ઈડી દ્વારા સમન્સ મોકલવામાં આવી રહ્યું છે. હજી સુધી ઈડીએ છ વખત સમન્સ પાઠવ્યા હતા પરંતુ તે એક વખત પણ હાજર થયા ના હતા. ત્યારે ઈડીએ સાતમી વખત અરવિંદ કેજરીવાલને સમન્સ પાઠવ્યું હતું પૂછપરછ માટે હાજર થવા માટે પરંતુ આજે પણ તે ઈડી સમક્ષ હાજર નહીં થાય. જ્યારે જ્યારે ઈડી સમન્સ મોકલતું હતું ત્યારે આપ દ્વારા કહેવામાં આવતું કે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવા માટે આ નોટિસ મોકલવામાં આવી રહી છે.


કોર્ટમાં ચાલી રહ્યો છે કેસ!

અરવિંદ કેજરીવાલ ઈડી સમક્ષ પૂછપરછ માટે હાજર થતા ન હતા જેને લઈ આ કેસ કોર્ટમાં પહોંચ્યો છે. 17 ફેબ્રુઆરીએ કોર્ટમાં આ કેસની સુનાવણી ચાલી હતી, અરવિંદ કેજરીવાલ કોર્ટ સમક્ષ ઓનલાઈન હાજર થયા હતા. તેમણે ફિઝીકલી કેમ હાજર ન થઈ શક્યા તેનું કારણ બતાવ્યું હતું. આ કેસ કોર્ટમાં છે જેને લઈ આમ આદમી પાર્ટી દ્વારા એવું કહેવામાં આવ્યું કે કેસ કોર્ટમાં છે. તો ઈડીએ કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ. આગામી સુનાવણી આ કેસને લઈ 16 માર્ચે થવાની છે. મહત્વનું છે કે ઈડી દ્વારા સાતમી વખત સમન્સ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોકલવામાં આવ્યું હતું.    



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.