Arvind Kejriwal આજે પણ ED સમક્ષ નહીં થાય હાજર, કેજરીવાલ હાજર કેમ નહીં થાય તેનું કારણ જણાવતા AAPએ કહ્યું કે....


  • Published By :
  • Published Date : 2024-02-26 16:58:11

કથિત દારૂ કૌભાંડને લઈ ઈડી દ્વારા અનેક વખત અરવિંદ કેજરીવાલને નોટિસ પાઠવવામાં આવી છે કે તે પૂછપરછ માટે હાજર થાય. પરંતુ હજી સુધી જેટલી વાર પણ નોટિસ મોકલવામાં આવી છે તેનો ઈન્કાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવ્યો છે. ઈડીએ સાતમી વખત અરવિંદ કેજરીવાલને હાજર થવા માટે સમન્સ મોકલ્યું હતું પરંતુ ફરી એક વખત પૂછપરછ માટે અરવિંદ કેજરીવાલ હાજર નહીં થાય. આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ મામલો હજી કોર્ટમાં છે. મહત્વનું છે કે આ કેસને લઈ આગળની સુનાવણી 16 માર્ચે થવાની છે. 

સાતમી વખત ઈડીએ પાઠવ્યું હતું અરવિંદ કેજરીવાલને સમન્સ! 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડીએ પૂછપરછ માટે હાજર થવા માટે અનેક વખત સમન્સ પાઠવ્યું છે. કથિત દારૂ કૌભાંડને લઈ ઈડી દ્વારા સમન્સ મોકલવામાં આવી રહ્યું છે. હજી સુધી ઈડીએ છ વખત સમન્સ પાઠવ્યા હતા પરંતુ તે એક વખત પણ હાજર થયા ના હતા. ત્યારે ઈડીએ સાતમી વખત અરવિંદ કેજરીવાલને સમન્સ પાઠવ્યું હતું પૂછપરછ માટે હાજર થવા માટે પરંતુ આજે પણ તે ઈડી સમક્ષ હાજર નહીં થાય. જ્યારે જ્યારે ઈડી સમન્સ મોકલતું હતું ત્યારે આપ દ્વારા કહેવામાં આવતું કે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવા માટે આ નોટિસ મોકલવામાં આવી રહી છે.


કોર્ટમાં ચાલી રહ્યો છે કેસ!

અરવિંદ કેજરીવાલ ઈડી સમક્ષ પૂછપરછ માટે હાજર થતા ન હતા જેને લઈ આ કેસ કોર્ટમાં પહોંચ્યો છે. 17 ફેબ્રુઆરીએ કોર્ટમાં આ કેસની સુનાવણી ચાલી હતી, અરવિંદ કેજરીવાલ કોર્ટ સમક્ષ ઓનલાઈન હાજર થયા હતા. તેમણે ફિઝીકલી કેમ હાજર ન થઈ શક્યા તેનું કારણ બતાવ્યું હતું. આ કેસ કોર્ટમાં છે જેને લઈ આમ આદમી પાર્ટી દ્વારા એવું કહેવામાં આવ્યું કે કેસ કોર્ટમાં છે. તો ઈડીએ કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ. આગામી સુનાવણી આ કેસને લઈ 16 માર્ચે થવાની છે. મહત્વનું છે કે ઈડી દ્વારા સાતમી વખત સમન્સ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોકલવામાં આવ્યું હતું.    



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .