Arvind Kejriwalએ Supreme Courtમાંથી અરજી પાછી ખેંચી, Gujaratમાં ઠેર ઠેર AAPના કાર્યકર્તાઓનો વિરોધ, જુઓ વિરોધના દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2024-03-22 13:57:03

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઈડીએ ગઈકાલે ધરપકડ કરી લીધી હતી. લાંબી પૂછપરછ બાદ મોડી રાત્રે તેમને ઈડી લઈ ગઈ હતી. અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી પરંતુ તેમણે અરજીને પરત ખેંચી લીધી છે. મહત્વનું છે કે ધરપકડ થયા બાદ સુપ્રીમ કોર્ટના દ્વાર તેમણે ખખડાવ્યા હતા અને તરત સુનાવણી કરવામાં આવે તેવી માગ પણ કરી હતી. સુપ્રીમ કોર્ટે અરજીને સ્વીકારી પણ લીધી હતી અને સુનાવણી માટે ત્રણ જજની બેન્ચ પણ તૈયાર કરાઈ હતી.આ બધા વચ્ચે ઈડી સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. ઈડીએ કોર્ટને કહ્યું કે કોઈ પણ નિર્ણય સંભળાવતા પહેલા અમને સાંભળો. ત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે અરવિંદ કેજરીવાલે તેમની અરજીને પાછી ખેંચી લીધી છે. 

ઠેર ઠેર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનો વિરોધ

દેશભરમાં આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે. અલગ અલગ જગ્યાઓ પરથી વિરોધના દ્રશ્યો સામે આવ્યા છે. ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીના નેતાઓએ, કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો. રસ્તા પર સૂત્રોચ્ચાર કર્યા. પોલીસ તેમને ટિંગાટોળી કરીને લઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર વિરોધમાં જોડાયેલા કોંગેસના કાર્યકર્તાઓની પણ ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે જ્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ તે બાદ ગુજરાતના અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી હતી અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.      



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.