Arvind Kejriwalએ Supreme Courtમાંથી અરજી પાછી ખેંચી, Gujaratમાં ઠેર ઠેર AAPના કાર્યકર્તાઓનો વિરોધ, જુઓ વિરોધના દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2024-03-22 13:57:03

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઈડીએ ગઈકાલે ધરપકડ કરી લીધી હતી. લાંબી પૂછપરછ બાદ મોડી રાત્રે તેમને ઈડી લઈ ગઈ હતી. અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી પરંતુ તેમણે અરજીને પરત ખેંચી લીધી છે. મહત્વનું છે કે ધરપકડ થયા બાદ સુપ્રીમ કોર્ટના દ્વાર તેમણે ખખડાવ્યા હતા અને તરત સુનાવણી કરવામાં આવે તેવી માગ પણ કરી હતી. સુપ્રીમ કોર્ટે અરજીને સ્વીકારી પણ લીધી હતી અને સુનાવણી માટે ત્રણ જજની બેન્ચ પણ તૈયાર કરાઈ હતી.આ બધા વચ્ચે ઈડી સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. ઈડીએ કોર્ટને કહ્યું કે કોઈ પણ નિર્ણય સંભળાવતા પહેલા અમને સાંભળો. ત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે અરવિંદ કેજરીવાલે તેમની અરજીને પાછી ખેંચી લીધી છે. 

ઠેર ઠેર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનો વિરોધ

દેશભરમાં આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે. અલગ અલગ જગ્યાઓ પરથી વિરોધના દ્રશ્યો સામે આવ્યા છે. ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીના નેતાઓએ, કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો. રસ્તા પર સૂત્રોચ્ચાર કર્યા. પોલીસ તેમને ટિંગાટોળી કરીને લઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર વિરોધમાં જોડાયેલા કોંગેસના કાર્યકર્તાઓની પણ ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે જ્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ તે બાદ ગુજરાતના અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી હતી અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.      



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.