CBIએ સમીર વાનખેડે સામે નોંધી FIR,શાહરૂખ પાસે 25 કરોડની લાંચ માગી હોવાનો ફરિયાદમાં થયો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-05-15 19:22:45

આર્યન ખાન કેસમાં નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોના પૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની મુશ્કેલી વધી છે. સમીર વાનખેડે વિરૂધ્ધ સીબીઆઈના દરોડા બાદ મોટો ખુલાસો થયો છે. આર્યન ખાન કેસમાં સમીર વાનખેડેએ શાહરૂખ ખાન પાસે રૂ. 25 કરોડની લાંચ માગી હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે. આ કેસમાં સમીર વાનખેડે સામે સીબીઆઈએ એફઆઈઆર નોંધી છે. 


શાહરૂખાનને આપી હતી ધમકી


સ્વતંત્ર સાક્ષી કેપી ગોસાવીએ આ અંગે ખુલાસો કરતા કહ્યું છે કે સમીર વાનખેડેએ શાહરૂખ ખાનના પરિવારને ધમકી આપી હતી કે જો તે 25 કરોડ નહીં આપે તો તેમના દિકરાને નશીલા પદાર્થના કેસમાં ફસાવી દેવામાં આવશે. સીબીઆઈએ આ કેસમાં સમીર વાનખેડે, એનસીબીના સુપ્રીટેન્ડન્ટ વીવી સિંહ અને આર્યન ખાન કેસના તપાસ અધિકારી આશીષ રંજનને આરોપી બનાવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે કેપી ગોસાવીની આર્યન ખાન સાથેની એક સેલ્ફી પણ વાયરલ થઈ હતી, આર્યન ખાન જ્યારે NCB અધિકારીઓની કસ્ટડીમાં હતો ત્યારે જ ક્લિક કરવામાં આવી હતી.


સોદો 18 કરોડમાં થયો હતો


આર્યનની ધરપકડ બાદ તેના પરિવારજનો પાસેથી 25 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જો કે આ 18 કરોડ રૂપિયામાં ફાઈનલ થઈ હતી, ત્યારબાદ 50 લાખ રૂપિયા એડવાન્સ પણ આપવામાં આવ્યા હતા. NCB દ્વારા અનુગામી આંતરિક તપાસમાં સ્વતંત્ર રીતે સમીર વાનખેડે અને આશિષ રંજન દ્વારા ગુનાહિત ગેરવર્તણૂક અને ભ્રષ્ટાચારના આરોપો બહાર આવ્યા છે. તેમની મિલકત પણ તપાસ હેઠળ આવી હતી. વાનખેડે પોતાના વિદેશ પ્રવાસનો  પણ યોગ્ય હિસાબ આપી શક્યા નથી. સીબીઆઈ દ્વારા વિજિલન્સ રિપોર્ટના આધારે પ્રાથમિક તપાસ બાદ વાનખેડે વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. સીબીઆઈએ એફઆઈઆર નોંધ્યા બાદ આ કેસમાં સમીર વાનખેડેના નિવાસસ્થાન અને ઓફિસ સહિત 30 જગ્યાઓ પર દરોડા પાડ્યા છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.