CBIએ સમીર વાનખેડે સામે નોંધી FIR,શાહરૂખ પાસે 25 કરોડની લાંચ માગી હોવાનો ફરિયાદમાં થયો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-05-15 19:22:45

આર્યન ખાન કેસમાં નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોના પૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની મુશ્કેલી વધી છે. સમીર વાનખેડે વિરૂધ્ધ સીબીઆઈના દરોડા બાદ મોટો ખુલાસો થયો છે. આર્યન ખાન કેસમાં સમીર વાનખેડેએ શાહરૂખ ખાન પાસે રૂ. 25 કરોડની લાંચ માગી હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે. આ કેસમાં સમીર વાનખેડે સામે સીબીઆઈએ એફઆઈઆર નોંધી છે. 


શાહરૂખાનને આપી હતી ધમકી


સ્વતંત્ર સાક્ષી કેપી ગોસાવીએ આ અંગે ખુલાસો કરતા કહ્યું છે કે સમીર વાનખેડેએ શાહરૂખ ખાનના પરિવારને ધમકી આપી હતી કે જો તે 25 કરોડ નહીં આપે તો તેમના દિકરાને નશીલા પદાર્થના કેસમાં ફસાવી દેવામાં આવશે. સીબીઆઈએ આ કેસમાં સમીર વાનખેડે, એનસીબીના સુપ્રીટેન્ડન્ટ વીવી સિંહ અને આર્યન ખાન કેસના તપાસ અધિકારી આશીષ રંજનને આરોપી બનાવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે કેપી ગોસાવીની આર્યન ખાન સાથેની એક સેલ્ફી પણ વાયરલ થઈ હતી, આર્યન ખાન જ્યારે NCB અધિકારીઓની કસ્ટડીમાં હતો ત્યારે જ ક્લિક કરવામાં આવી હતી.


સોદો 18 કરોડમાં થયો હતો


આર્યનની ધરપકડ બાદ તેના પરિવારજનો પાસેથી 25 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જો કે આ 18 કરોડ રૂપિયામાં ફાઈનલ થઈ હતી, ત્યારબાદ 50 લાખ રૂપિયા એડવાન્સ પણ આપવામાં આવ્યા હતા. NCB દ્વારા અનુગામી આંતરિક તપાસમાં સ્વતંત્ર રીતે સમીર વાનખેડે અને આશિષ રંજન દ્વારા ગુનાહિત ગેરવર્તણૂક અને ભ્રષ્ટાચારના આરોપો બહાર આવ્યા છે. તેમની મિલકત પણ તપાસ હેઠળ આવી હતી. વાનખેડે પોતાના વિદેશ પ્રવાસનો  પણ યોગ્ય હિસાબ આપી શક્યા નથી. સીબીઆઈ દ્વારા વિજિલન્સ રિપોર્ટના આધારે પ્રાથમિક તપાસ બાદ વાનખેડે વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. સીબીઆઈએ એફઆઈઆર નોંધ્યા બાદ આ કેસમાં સમીર વાનખેડેના નિવાસસ્થાન અને ઓફિસ સહિત 30 જગ્યાઓ પર દરોડા પાડ્યા છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.