ચૂંટણી નજીક આવતા જોરશોરથી આમ આદમી પાર્ટી કરી રહી છે ચૂંટણી પ્રચાર


  • Published By :
  • Published Date : 2022-11-15 12:30:25

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક પાર્ટી ગુજરાતમાં જીતનો દાવો વ્યક્ત કરી રહી છે. દરેક પાર્ટી પ્રચાર માટે સોશિયલ મીડિયોનો ભરપૂર ઉપયોગ કરાઈ રહ્યો છે. આમ આદમી પાર્ટી પણ જોરશોરથી પ્રચાર કરી રહી છે. અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, ઈસુદાન ગઢવી તેમજ ગોપાલ ઈટાલિયા આપનો પ્રચાર કરી રહી છે. ત્યારે ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે લોકો પાસે ભાજપ અને કોંગ્રેસ સિવાય કોઈ વિકલ્પ ન હતો જેને કારણે કંટાળીને ભાજપ-કોંગ્રેસને વોટ આપવો પડતો હતો પરંતુ હવે આમ આદમી પાર્ટી સ્વરૂપે મજબૂત વિકલ્પ છે. આ વખતે ગુજરાતમાં પરિવર્તન નિશ્ચિત છે.

ગુજરાત પાસે આમ આદમી પાર્ટી જેવો મજબૂત વિકલ્પ છે - ગોપાલ

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. આ વખતે ગુજરાતના રાજકારણમાં ત્રીજા પક્ષની એન્ટ્રી થઈ છે. કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. આ વખતે દરેક પાર્ટી વિવિધ રીતે પોતાની પાર્ટીનો પ્રચાર કરી રહી છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ માત્ર ભાજપ જ કરતું પરંતુ આ વખતે દરેક પાર્ટી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યું છે. ગોપાલ ઈટાલિયા આમ આદમી પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે. ત્રીજા પક્ષને લઈ ગોપાલ ઈટાલિયાએ નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં લાંબા સમયથી લોકોની ઈચ્છા પરિવર્તન લાવવાની હતી. પરંતુ લોકો પાસે કોઈ મજબૂત વિકલ્પ ન હતો. એટલે કંટાળીને લોકો ના છૂટકે ભાજપ-કોંગ્રેસને વોટ કરતા હતા. પરંતુ હવે ગુજરાત પાસે આમ આદમી પાર્ટી સ્વરૂપે એક મજબૂત અને સક્ષમ વિકલ્પ છે. આ વખતે ગુજરાતમાં પરિવર્તન નિશ્ચિત છે. 

Govt notices to BJP, Congress, AAP on overseas funding | India News - Times  of India

મતદારોને રિઝવવામાં આપ સફળ થશે?

આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં સરકાર બનાવા એડીચોટીનું જોર લગાવી રહી છે. ગુજરાતના રાજકારણમાં ઝંપલાવવા આમ આદમી પાર્ટી તત્પર હોય તેવું લાગી રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ જ્યારે ઉમેદવારોને લઈ મનોમંથન કરી રહી હતી ત્યારે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોના નામની જાહેરાત કરવાની શરૂઆત કરી દીધી હતી. ત્યારે આપ દ્વારા કરવામાં આવતા પ્રયાસ મતદારોને રિઝવવા સફળ થાય છે કે નહીં તે આવનાર સમયમાં ખબર પડશે.           




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.