ચૂંટણી નજીક આવતા જોરશોરથી આમ આદમી પાર્ટી કરી રહી છે ચૂંટણી પ્રચાર


  • Published By :
  • Published Date : 2022-11-15 12:30:25

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક પાર્ટી ગુજરાતમાં જીતનો દાવો વ્યક્ત કરી રહી છે. દરેક પાર્ટી પ્રચાર માટે સોશિયલ મીડિયોનો ભરપૂર ઉપયોગ કરાઈ રહ્યો છે. આમ આદમી પાર્ટી પણ જોરશોરથી પ્રચાર કરી રહી છે. અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, ઈસુદાન ગઢવી તેમજ ગોપાલ ઈટાલિયા આપનો પ્રચાર કરી રહી છે. ત્યારે ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે લોકો પાસે ભાજપ અને કોંગ્રેસ સિવાય કોઈ વિકલ્પ ન હતો જેને કારણે કંટાળીને ભાજપ-કોંગ્રેસને વોટ આપવો પડતો હતો પરંતુ હવે આમ આદમી પાર્ટી સ્વરૂપે મજબૂત વિકલ્પ છે. આ વખતે ગુજરાતમાં પરિવર્તન નિશ્ચિત છે.

ગુજરાત પાસે આમ આદમી પાર્ટી જેવો મજબૂત વિકલ્પ છે - ગોપાલ

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. આ વખતે ગુજરાતના રાજકારણમાં ત્રીજા પક્ષની એન્ટ્રી થઈ છે. કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. આ વખતે દરેક પાર્ટી વિવિધ રીતે પોતાની પાર્ટીનો પ્રચાર કરી રહી છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ માત્ર ભાજપ જ કરતું પરંતુ આ વખતે દરેક પાર્ટી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યું છે. ગોપાલ ઈટાલિયા આમ આદમી પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે. ત્રીજા પક્ષને લઈ ગોપાલ ઈટાલિયાએ નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં લાંબા સમયથી લોકોની ઈચ્છા પરિવર્તન લાવવાની હતી. પરંતુ લોકો પાસે કોઈ મજબૂત વિકલ્પ ન હતો. એટલે કંટાળીને લોકો ના છૂટકે ભાજપ-કોંગ્રેસને વોટ કરતા હતા. પરંતુ હવે ગુજરાત પાસે આમ આદમી પાર્ટી સ્વરૂપે એક મજબૂત અને સક્ષમ વિકલ્પ છે. આ વખતે ગુજરાતમાં પરિવર્તન નિશ્ચિત છે. 

Govt notices to BJP, Congress, AAP on overseas funding | India News - Times  of India

મતદારોને રિઝવવામાં આપ સફળ થશે?

આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં સરકાર બનાવા એડીચોટીનું જોર લગાવી રહી છે. ગુજરાતના રાજકારણમાં ઝંપલાવવા આમ આદમી પાર્ટી તત્પર હોય તેવું લાગી રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ જ્યારે ઉમેદવારોને લઈ મનોમંથન કરી રહી હતી ત્યારે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોના નામની જાહેરાત કરવાની શરૂઆત કરી દીધી હતી. ત્યારે આપ દ્વારા કરવામાં આવતા પ્રયાસ મતદારોને રિઝવવા સફળ થાય છે કે નહીં તે આવનાર સમયમાં ખબર પડશે.           




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.