હિમાચલ પ્રદેશમાં ચૂંટણી નજીક આવતા પીએમના વધ્યા આંટાફેરા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 09:59:36

આ વર્ષના અંત સુધીમાં ગુજરાતની સાથે સાથે હિમાચલ પ્રદેશમાં પણ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીને લઈ વડાપ્રધાન મોદી હિમાચલ પ્રદેશની મુલાકાત લેવાના છે. ગુજરાતની સાથે સાથે હિમાચલમાં પણ ભાજપનો પ્રચાર મોદી કરવાના છે. હિમાચલ પ્રદેશને પણ અનેક વિકાસ કાર્યોની ભેટ આપવાના છે. ઉના એને ચંબા જિલ્લામાં અનેક યોજનાઓનો શિલાન્યાસ કરવાના છે તો અનેક કાર્યોનું લોકાર્પણ કરવાના છે. વડાપ્રધાન મોદીએ માહિતી આપતા લખ્યું કે હિમાચલ પ્રદેશના લોકોની આકાંક્ષા પૂર્ણ થશે. રાજ્યમાં વિકાસની ગતિને વેગ મળશે. 


અનેક વખત પીએમ લઈ રહ્યા છે હિમાચલની મુલાકાત

વિધાનસભા ચૂંટણી નજીક આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આંટાફેરા હિમાચલ પ્રદેશમાં વધી ગયા છે. ગુજરાત હોય કે હિમાચલ પ્રદેશ લોકો સાથે જોડાવાનો એક પણ મોકો તેઓ છોડતા નથી. પોતાના પ્રવાસ દરમિયાન વિકાસના અનેક કાર્યોની ભેટ આપતા હોય છે. ગુજરાતને પણ અનેક ભેટો આપી હતી. ત્યારે હિમાચલ પ્રદેશના લોકોને પણ ભેટો આપી રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. નવ દિવસમાં તેઓ બીજી વખત હિમાચલ પ્રદેશની મુલાકાતે જઈ રહ્યા છે.  

Vande Bharat Express: देश को मिलेगी चौथी वंदे भारत ट्रेन, इस राज्य को पीएम  मोदी कल देंगे सौगात - indian railways fourth vande bharat Express train  himachal pradesh pm narendra modi inauguration

અનેક કાર્યોની કરાવશે શરૂઆત

ગુજરાતમાં પણ જ્યારે તેઓ આવ્યા હતા ત્યારે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી, ત્યારે હિમાચલ પ્રદેશના અંબ-અંદૌરાથી દિલ્હી વચ્ચે ચાલતી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવાના છે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે. ઉપરાંત પ્રધાનમંત્રી મોદી ચંબાના ચૌગનથી હિમાચલ માટે પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજનાના ત્રીજા તબક્કાની શરૂઆત પણ તેઓ કરાવવના છે.  ત્યારબાદ 1200 કરોડના ખર્ચે બનનારૂ ઈન્દિરા સ્ટેડિયમથી ઉનાના હરોલીમાં બલ્ક ડ્રગ પાર્કનો પણ શિલાન્યાસ કરવાના છે. આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ઓક્ટોબરના રોજ હિમાચલ પ્રદેશની મુલાકાતે આવ્યા હતા. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે