હિમાચલ પ્રદેશમાં ચૂંટણી નજીક આવતા પીએમના વધ્યા આંટાફેરા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 09:59:36

આ વર્ષના અંત સુધીમાં ગુજરાતની સાથે સાથે હિમાચલ પ્રદેશમાં પણ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીને લઈ વડાપ્રધાન મોદી હિમાચલ પ્રદેશની મુલાકાત લેવાના છે. ગુજરાતની સાથે સાથે હિમાચલમાં પણ ભાજપનો પ્રચાર મોદી કરવાના છે. હિમાચલ પ્રદેશને પણ અનેક વિકાસ કાર્યોની ભેટ આપવાના છે. ઉના એને ચંબા જિલ્લામાં અનેક યોજનાઓનો શિલાન્યાસ કરવાના છે તો અનેક કાર્યોનું લોકાર્પણ કરવાના છે. વડાપ્રધાન મોદીએ માહિતી આપતા લખ્યું કે હિમાચલ પ્રદેશના લોકોની આકાંક્ષા પૂર્ણ થશે. રાજ્યમાં વિકાસની ગતિને વેગ મળશે. 


અનેક વખત પીએમ લઈ રહ્યા છે હિમાચલની મુલાકાત

વિધાનસભા ચૂંટણી નજીક આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આંટાફેરા હિમાચલ પ્રદેશમાં વધી ગયા છે. ગુજરાત હોય કે હિમાચલ પ્રદેશ લોકો સાથે જોડાવાનો એક પણ મોકો તેઓ છોડતા નથી. પોતાના પ્રવાસ દરમિયાન વિકાસના અનેક કાર્યોની ભેટ આપતા હોય છે. ગુજરાતને પણ અનેક ભેટો આપી હતી. ત્યારે હિમાચલ પ્રદેશના લોકોને પણ ભેટો આપી રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. નવ દિવસમાં તેઓ બીજી વખત હિમાચલ પ્રદેશની મુલાકાતે જઈ રહ્યા છે.  

Vande Bharat Express: देश को मिलेगी चौथी वंदे भारत ट्रेन, इस राज्य को पीएम  मोदी कल देंगे सौगात - indian railways fourth vande bharat Express train  himachal pradesh pm narendra modi inauguration

અનેક કાર્યોની કરાવશે શરૂઆત

ગુજરાતમાં પણ જ્યારે તેઓ આવ્યા હતા ત્યારે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી, ત્યારે હિમાચલ પ્રદેશના અંબ-અંદૌરાથી દિલ્હી વચ્ચે ચાલતી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવાના છે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે. ઉપરાંત પ્રધાનમંત્રી મોદી ચંબાના ચૌગનથી હિમાચલ માટે પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજનાના ત્રીજા તબક્કાની શરૂઆત પણ તેઓ કરાવવના છે.  ત્યારબાદ 1200 કરોડના ખર્ચે બનનારૂ ઈન્દિરા સ્ટેડિયમથી ઉનાના હરોલીમાં બલ્ક ડ્રગ પાર્કનો પણ શિલાન્યાસ કરવાના છે. આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ઓક્ટોબરના રોજ હિમાચલ પ્રદેશની મુલાકાતે આવ્યા હતા. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .