હિમાચલ પ્રદેશમાં ચૂંટણી નજીક આવતા પીએમના વધ્યા આંટાફેરા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 09:59:36

આ વર્ષના અંત સુધીમાં ગુજરાતની સાથે સાથે હિમાચલ પ્રદેશમાં પણ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીને લઈ વડાપ્રધાન મોદી હિમાચલ પ્રદેશની મુલાકાત લેવાના છે. ગુજરાતની સાથે સાથે હિમાચલમાં પણ ભાજપનો પ્રચાર મોદી કરવાના છે. હિમાચલ પ્રદેશને પણ અનેક વિકાસ કાર્યોની ભેટ આપવાના છે. ઉના એને ચંબા જિલ્લામાં અનેક યોજનાઓનો શિલાન્યાસ કરવાના છે તો અનેક કાર્યોનું લોકાર્પણ કરવાના છે. વડાપ્રધાન મોદીએ માહિતી આપતા લખ્યું કે હિમાચલ પ્રદેશના લોકોની આકાંક્ષા પૂર્ણ થશે. રાજ્યમાં વિકાસની ગતિને વેગ મળશે. 


અનેક વખત પીએમ લઈ રહ્યા છે હિમાચલની મુલાકાત

વિધાનસભા ચૂંટણી નજીક આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આંટાફેરા હિમાચલ પ્રદેશમાં વધી ગયા છે. ગુજરાત હોય કે હિમાચલ પ્રદેશ લોકો સાથે જોડાવાનો એક પણ મોકો તેઓ છોડતા નથી. પોતાના પ્રવાસ દરમિયાન વિકાસના અનેક કાર્યોની ભેટ આપતા હોય છે. ગુજરાતને પણ અનેક ભેટો આપી હતી. ત્યારે હિમાચલ પ્રદેશના લોકોને પણ ભેટો આપી રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. નવ દિવસમાં તેઓ બીજી વખત હિમાચલ પ્રદેશની મુલાકાતે જઈ રહ્યા છે.  

Vande Bharat Express: देश को मिलेगी चौथी वंदे भारत ट्रेन, इस राज्य को पीएम  मोदी कल देंगे सौगात - indian railways fourth vande bharat Express train  himachal pradesh pm narendra modi inauguration

અનેક કાર્યોની કરાવશે શરૂઆત

ગુજરાતમાં પણ જ્યારે તેઓ આવ્યા હતા ત્યારે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી, ત્યારે હિમાચલ પ્રદેશના અંબ-અંદૌરાથી દિલ્હી વચ્ચે ચાલતી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવાના છે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે. ઉપરાંત પ્રધાનમંત્રી મોદી ચંબાના ચૌગનથી હિમાચલ માટે પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજનાના ત્રીજા તબક્કાની શરૂઆત પણ તેઓ કરાવવના છે.  ત્યારબાદ 1200 કરોડના ખર્ચે બનનારૂ ઈન્દિરા સ્ટેડિયમથી ઉનાના હરોલીમાં બલ્ક ડ્રગ પાર્કનો પણ શિલાન્યાસ કરવાના છે. આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ઓક્ટોબરના રોજ હિમાચલ પ્રદેશની મુલાકાતે આવ્યા હતા. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.