ચૂંટણી નજીક આવતા વધ્યા રાજનેતાઓના ગુજરાત પ્રવાસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-01 12:40:43

ચૂંટણીનો સમય નજીક આવતા રાજકીય પાર્ટીઓમાં હલચલ જોવા મળી રહી છે. દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી ચૂંટણી પ્રચાર કરવામાં વ્યસ્ત બન્યા છે. દરેક પાર્ટી જોર-શોરથી ચૂંટણી પ્રચાર કરી રહી છે. ત્યારે ભાજપના દિગ્ગજ નેતાઓ અવાર-નવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. નવરાત્રીની શરૂઆત થતા જ શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. અને નવરાત્રી પૂર્ણ થાય તે પહેલાં ફરી એક વખત તેઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.

Next 30 years will be era of BJP, says Union Home Minister Amit Shah -  Sentinelassam

ફરી એક વખત ગુજરાતમાં અમિત શાહના ધામા  

2જી ઓક્ટોબરે અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ વખતે થનારો શાહનો પ્રવાસ મહત્વનો ગણવામાં આવી રહ્યો છે. ભાજપ સંગઠનને મજબૂત કરવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. કમલમ ખાતે ચૂંટણીલક્ષી અનેક બેઠકો યોજાવાની છે. અને કઈ રણનીતિથી આગળ વધવું તે પણ નક્કી કરવામાં આવી શકે છે.  



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"