ચૂંટણી નજીક આવતા વધ્યા રાજનેતાઓના ગુજરાત પ્રવાસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-01 12:40:43

ચૂંટણીનો સમય નજીક આવતા રાજકીય પાર્ટીઓમાં હલચલ જોવા મળી રહી છે. દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી ચૂંટણી પ્રચાર કરવામાં વ્યસ્ત બન્યા છે. દરેક પાર્ટી જોર-શોરથી ચૂંટણી પ્રચાર કરી રહી છે. ત્યારે ભાજપના દિગ્ગજ નેતાઓ અવાર-નવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. નવરાત્રીની શરૂઆત થતા જ શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. અને નવરાત્રી પૂર્ણ થાય તે પહેલાં ફરી એક વખત તેઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.

Next 30 years will be era of BJP, says Union Home Minister Amit Shah -  Sentinelassam

ફરી એક વખત ગુજરાતમાં અમિત શાહના ધામા  

2જી ઓક્ટોબરે અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ વખતે થનારો શાહનો પ્રવાસ મહત્વનો ગણવામાં આવી રહ્યો છે. ભાજપ સંગઠનને મજબૂત કરવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. કમલમ ખાતે ચૂંટણીલક્ષી અનેક બેઠકો યોજાવાની છે. અને કઈ રણનીતિથી આગળ વધવું તે પણ નક્કી કરવામાં આવી શકે છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.