ચૂંટણી નજીક આવતા વધ્યા રાજનેતાઓના ગુજરાત પ્રવાસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-01 12:40:43

ચૂંટણીનો સમય નજીક આવતા રાજકીય પાર્ટીઓમાં હલચલ જોવા મળી રહી છે. દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી ચૂંટણી પ્રચાર કરવામાં વ્યસ્ત બન્યા છે. દરેક પાર્ટી જોર-શોરથી ચૂંટણી પ્રચાર કરી રહી છે. ત્યારે ભાજપના દિગ્ગજ નેતાઓ અવાર-નવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. નવરાત્રીની શરૂઆત થતા જ શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. અને નવરાત્રી પૂર્ણ થાય તે પહેલાં ફરી એક વખત તેઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.

Next 30 years will be era of BJP, says Union Home Minister Amit Shah -  Sentinelassam

ફરી એક વખત ગુજરાતમાં અમિત શાહના ધામા  

2જી ઓક્ટોબરે અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ વખતે થનારો શાહનો પ્રવાસ મહત્વનો ગણવામાં આવી રહ્યો છે. ભાજપ સંગઠનને મજબૂત કરવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. કમલમ ખાતે ચૂંટણીલક્ષી અનેક બેઠકો યોજાવાની છે. અને કઈ રણનીતિથી આગળ વધવું તે પણ નક્કી કરવામાં આવી શકે છે.  



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .