મણિપુરમાં થયેલી હિંસાની આગ સંસદ સુધી પહોંચી, લોકસભાની કાર્યવાહી આ તારીખ સુધી કરાઈ સ્થગિત


  • Published By :
  • Published Date : 2023-07-21 17:18:16

છેલ્લા ઘણા સમયથી મણિપુર ભડકે બળી રહ્યું છે. મણિપુરની ઘટના અંગે પ્રધાનમંત્રી કોઈ નિવેદન આપે તેવી ત્યાંના લોકોની તેમજ વિપક્ષી પાર્ટીઓની માગ છે. એમનું કહેવું છે કે પ્રધાનમંત્રી ધારે તો મણિપુરની સ્થિતિ પર નિયંત્રણ લાવી શકે છે. પીએમ મોદીએ ભલે મણિપુરની સ્થિતિ અંગે વાત નથી કરી પરંતુ ત્યાંથી જે વીડિયો સામે આવ્યો હતો જેમાં મહિલાઓને નિર્વસ્ત્ર કરીને ફેરવી હતી તેની પર પ્રતિક્રિયા આપી છે. પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે તેમનું દિલ ગુસ્સાથી ભરાઈ ગયું છે. તેમનું નિવેદન સાંભળી અનેક લોકોએ કહ્યું કે બડી દેર કરી દે જનાબ આતે આતે, તો કોઈએ કીધું કે દેર આયે દુરૂસ્ત આયે. 

લોકસભાની કાર્યવાહી 24 જુલાઈ સુધી સ્થગિત કરાઈ

હાલ સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. સંસદની કામગીરી દરમિયાન દેશમાં ચાલતા મુદ્દાઓને લઈ ચર્ચા કરવામાં આવતી હોય છે. પરંતુ અનેક એવા મુદ્દાઓ હોય છે જેને કારણે સંસદમાં હોબાળો થતો હોય છે અને કાર્યકાળને સ્થગિત કરવામાં આવતો હોય છે. ગઈકાલે પણ સંસદમાં ભારે હોબાળો મણિપુરની પરિસ્થિતિ અંગે થયો હતો જેને કારણે લોકસભાની કાર્યવાહીને સ્થગિત કરાઈ હતી. ત્યારે આજે ફરી એક વખત હોબાળો થવાને કારણે લોકસભાની કાર્યવાહી 24 જુલાઈ સુધી સ્થગિત કરવામાં આવી છે. 


મણિપુરની હિંસાને લઈ થયો હતો હોબાળો

ગઈકાલે સ્થગિત કરવામાં આવેલી કાર્યવાહી આજે 11 વાગ્યે ફરી શરૂ કરાઈ હતી. પરંતુ કાર્યવાહી શરૂ થતાં જ મણિપુરમાં થયેલી હિંસાને લઈ માહોલ ભડકી ઉઠ્યો હતો.સંસદની કાર્યવાહી સ્થગિત ગઈકાલે પણ કરવામાં આવી હતી પરંતુ આજે પણ તે મુદ્દાને લઈ હોબાળો થયો હતો. કોંગ્રેસના સાંસદો મનીષ તિવારી, લોકસભામાં મણિકમ ટાગોર અને AAP સાંસદ સંજય સિંહ અને રાજ્યસભામાં RJD નેતા મનોજ કુમાર ઝાએ મણિપુર હિંસા પર ચર્ચાની માંગ કરતી નોટિસ આપી હતી.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.