મણિપુરમાં થયેલી હિંસાની આગ સંસદ સુધી પહોંચી, લોકસભાની કાર્યવાહી આ તારીખ સુધી કરાઈ સ્થગિત


  • Published By :
  • Published Date : 2023-07-21 17:18:16

છેલ્લા ઘણા સમયથી મણિપુર ભડકે બળી રહ્યું છે. મણિપુરની ઘટના અંગે પ્રધાનમંત્રી કોઈ નિવેદન આપે તેવી ત્યાંના લોકોની તેમજ વિપક્ષી પાર્ટીઓની માગ છે. એમનું કહેવું છે કે પ્રધાનમંત્રી ધારે તો મણિપુરની સ્થિતિ પર નિયંત્રણ લાવી શકે છે. પીએમ મોદીએ ભલે મણિપુરની સ્થિતિ અંગે વાત નથી કરી પરંતુ ત્યાંથી જે વીડિયો સામે આવ્યો હતો જેમાં મહિલાઓને નિર્વસ્ત્ર કરીને ફેરવી હતી તેની પર પ્રતિક્રિયા આપી છે. પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે તેમનું દિલ ગુસ્સાથી ભરાઈ ગયું છે. તેમનું નિવેદન સાંભળી અનેક લોકોએ કહ્યું કે બડી દેર કરી દે જનાબ આતે આતે, તો કોઈએ કીધું કે દેર આયે દુરૂસ્ત આયે. 

લોકસભાની કાર્યવાહી 24 જુલાઈ સુધી સ્થગિત કરાઈ

હાલ સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. સંસદની કામગીરી દરમિયાન દેશમાં ચાલતા મુદ્દાઓને લઈ ચર્ચા કરવામાં આવતી હોય છે. પરંતુ અનેક એવા મુદ્દાઓ હોય છે જેને કારણે સંસદમાં હોબાળો થતો હોય છે અને કાર્યકાળને સ્થગિત કરવામાં આવતો હોય છે. ગઈકાલે પણ સંસદમાં ભારે હોબાળો મણિપુરની પરિસ્થિતિ અંગે થયો હતો જેને કારણે લોકસભાની કાર્યવાહીને સ્થગિત કરાઈ હતી. ત્યારે આજે ફરી એક વખત હોબાળો થવાને કારણે લોકસભાની કાર્યવાહી 24 જુલાઈ સુધી સ્થગિત કરવામાં આવી છે. 


મણિપુરની હિંસાને લઈ થયો હતો હોબાળો

ગઈકાલે સ્થગિત કરવામાં આવેલી કાર્યવાહી આજે 11 વાગ્યે ફરી શરૂ કરાઈ હતી. પરંતુ કાર્યવાહી શરૂ થતાં જ મણિપુરમાં થયેલી હિંસાને લઈ માહોલ ભડકી ઉઠ્યો હતો.સંસદની કાર્યવાહી સ્થગિત ગઈકાલે પણ કરવામાં આવી હતી પરંતુ આજે પણ તે મુદ્દાને લઈ હોબાળો થયો હતો. કોંગ્રેસના સાંસદો મનીષ તિવારી, લોકસભામાં મણિકમ ટાગોર અને AAP સાંસદ સંજય સિંહ અને રાજ્યસભામાં RJD નેતા મનોજ કુમાર ઝાએ મણિપુર હિંસા પર ચર્ચાની માંગ કરતી નોટિસ આપી હતી.  



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .