મણિપુરમાં થયેલી હિંસાની આગ સંસદ સુધી પહોંચી, લોકસભાની કાર્યવાહી આ તારીખ સુધી કરાઈ સ્થગિત


  • Published By :
  • Published Date : 2023-07-21 17:18:16

છેલ્લા ઘણા સમયથી મણિપુર ભડકે બળી રહ્યું છે. મણિપુરની ઘટના અંગે પ્રધાનમંત્રી કોઈ નિવેદન આપે તેવી ત્યાંના લોકોની તેમજ વિપક્ષી પાર્ટીઓની માગ છે. એમનું કહેવું છે કે પ્રધાનમંત્રી ધારે તો મણિપુરની સ્થિતિ પર નિયંત્રણ લાવી શકે છે. પીએમ મોદીએ ભલે મણિપુરની સ્થિતિ અંગે વાત નથી કરી પરંતુ ત્યાંથી જે વીડિયો સામે આવ્યો હતો જેમાં મહિલાઓને નિર્વસ્ત્ર કરીને ફેરવી હતી તેની પર પ્રતિક્રિયા આપી છે. પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે તેમનું દિલ ગુસ્સાથી ભરાઈ ગયું છે. તેમનું નિવેદન સાંભળી અનેક લોકોએ કહ્યું કે બડી દેર કરી દે જનાબ આતે આતે, તો કોઈએ કીધું કે દેર આયે દુરૂસ્ત આયે. 

લોકસભાની કાર્યવાહી 24 જુલાઈ સુધી સ્થગિત કરાઈ

હાલ સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. સંસદની કામગીરી દરમિયાન દેશમાં ચાલતા મુદ્દાઓને લઈ ચર્ચા કરવામાં આવતી હોય છે. પરંતુ અનેક એવા મુદ્દાઓ હોય છે જેને કારણે સંસદમાં હોબાળો થતો હોય છે અને કાર્યકાળને સ્થગિત કરવામાં આવતો હોય છે. ગઈકાલે પણ સંસદમાં ભારે હોબાળો મણિપુરની પરિસ્થિતિ અંગે થયો હતો જેને કારણે લોકસભાની કાર્યવાહીને સ્થગિત કરાઈ હતી. ત્યારે આજે ફરી એક વખત હોબાળો થવાને કારણે લોકસભાની કાર્યવાહી 24 જુલાઈ સુધી સ્થગિત કરવામાં આવી છે. 


મણિપુરની હિંસાને લઈ થયો હતો હોબાળો

ગઈકાલે સ્થગિત કરવામાં આવેલી કાર્યવાહી આજે 11 વાગ્યે ફરી શરૂ કરાઈ હતી. પરંતુ કાર્યવાહી શરૂ થતાં જ મણિપુરમાં થયેલી હિંસાને લઈ માહોલ ભડકી ઉઠ્યો હતો.સંસદની કાર્યવાહી સ્થગિત ગઈકાલે પણ કરવામાં આવી હતી પરંતુ આજે પણ તે મુદ્દાને લઈ હોબાળો થયો હતો. કોંગ્રેસના સાંસદો મનીષ તિવારી, લોકસભામાં મણિકમ ટાગોર અને AAP સાંસદ સંજય સિંહ અને રાજ્યસભામાં RJD નેતા મનોજ કુમાર ઝાએ મણિપુર હિંસા પર ચર્ચાની માંગ કરતી નોટિસ આપી હતી.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.