પ્રથમ તબક્કાની બેઠકો માટે પ્રચાર કરવાનો અંતિમ દિવસ, દરેક પાર્ટી પ્રચારમાં લગાવી રહી છે એડીચોટીનું જોર


  • Published By :
  • Published Date : 2022-11-29 12:45:49

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે. પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરના રોજ યોજાવાનું છે. ચૂંટણીના 48 કલાક પહેલા પ્રચાર પડઘમ શાંત થઈ જાય છે. ચૂંટણી પંચના નિયમો અનુસાર ચૂંટણીના 48 કલાક પહેલાથી પ્રચાર બંધ કરી દેવો પડે છે. માત્ર ગણતરીના કલાકો બાકી હોવાને કારણે ઉમેદવારો તથા પાર્ટી મતદારોને આકર્ષવા તમામ પ્રયાસો કરશે. પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ સભાઓ કરી મતદારોને આકર્ષવા તનતોડ મહેનત કરશે. 

Image

ImageImage

પ્રથમ તબક્કાની બેઠકો પર આજથી શાંત થશે ચૂંટણી પ્રચાર 

ગુજરાતમાં જ્યારથી ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ છે ત્યારથી પાર્ટી દ્વારા પ્રચારને તેજ કરી દેવામાં આવ્યો છે. પાર્ટીના સ્ટાર પ્રચારકો ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે. ભાજપે તો સ્ટાર પ્રચારકોની ફોજ ઉતારી હોય એવું લાગે છે. આમ આદમી પાર્ટી પણ પોતાના રાષ્ટ્રીય સ્તરના નેતાઓને ગુજરાત બોલાવી પ્રચાર કરાવી રહ્યા છે જ્યારે કોંગ્રેસે પણ પોતાના રાષ્ટ્રીય નેતાઓને ગુજરાતમાં બોલાવ્યા હતા. 

Elections LIVE: 'Such bad governance is of no use', Gehlot on Morbi  accident | Hindustan Times

બીજા તબક્કાની બેઠકો પર વધારાશે પ્રચારનો માર 

પ્રથમ તબક્કાનું મતદાન 89 બેઠકો માટે થવાનું છે. જેને કારણે આ બેઠકો પર સાંજના પાંચ વાગ્યાથી પ્રચાર શાંત થઈ જશે. પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા રાષ્ટ્રીય નેતાઓ આ બેઠકો પર જનસભા યોજવાના છે અને રેલીઓ કાઢવાના છે. પાંચ વાગ્યા બાદ જાહેર સભાઓ નહીં યોજાય ઉપરાંત ડોર-ટુ-ડોર પ્રચાર પણ નહીં કરી શકાય. ત્યારે ચૂંટણી પડઘમ શાંત થાય તે  પહેલા તમામ પાર્ટી મહેનત કરી રહી છે. આ પડઘમ શાંત થતા બીજા તબક્કા માટેનો પ્રચાર જોર-શોરથી ચલાવામાં આવશે.   




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.