પ્રથમ તબક્કાની બેઠકો માટે પ્રચાર કરવાનો અંતિમ દિવસ, દરેક પાર્ટી પ્રચારમાં લગાવી રહી છે એડીચોટીનું જોર


  • Published By :
  • Published Date : 2022-11-29 12:45:49

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે. પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરના રોજ યોજાવાનું છે. ચૂંટણીના 48 કલાક પહેલા પ્રચાર પડઘમ શાંત થઈ જાય છે. ચૂંટણી પંચના નિયમો અનુસાર ચૂંટણીના 48 કલાક પહેલાથી પ્રચાર બંધ કરી દેવો પડે છે. માત્ર ગણતરીના કલાકો બાકી હોવાને કારણે ઉમેદવારો તથા પાર્ટી મતદારોને આકર્ષવા તમામ પ્રયાસો કરશે. પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ સભાઓ કરી મતદારોને આકર્ષવા તનતોડ મહેનત કરશે. 

Image

ImageImage

પ્રથમ તબક્કાની બેઠકો પર આજથી શાંત થશે ચૂંટણી પ્રચાર 

ગુજરાતમાં જ્યારથી ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ છે ત્યારથી પાર્ટી દ્વારા પ્રચારને તેજ કરી દેવામાં આવ્યો છે. પાર્ટીના સ્ટાર પ્રચારકો ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે. ભાજપે તો સ્ટાર પ્રચારકોની ફોજ ઉતારી હોય એવું લાગે છે. આમ આદમી પાર્ટી પણ પોતાના રાષ્ટ્રીય સ્તરના નેતાઓને ગુજરાત બોલાવી પ્રચાર કરાવી રહ્યા છે જ્યારે કોંગ્રેસે પણ પોતાના રાષ્ટ્રીય નેતાઓને ગુજરાતમાં બોલાવ્યા હતા. 

Elections LIVE: 'Such bad governance is of no use', Gehlot on Morbi  accident | Hindustan Times

બીજા તબક્કાની બેઠકો પર વધારાશે પ્રચારનો માર 

પ્રથમ તબક્કાનું મતદાન 89 બેઠકો માટે થવાનું છે. જેને કારણે આ બેઠકો પર સાંજના પાંચ વાગ્યાથી પ્રચાર શાંત થઈ જશે. પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા રાષ્ટ્રીય નેતાઓ આ બેઠકો પર જનસભા યોજવાના છે અને રેલીઓ કાઢવાના છે. પાંચ વાગ્યા બાદ જાહેર સભાઓ નહીં યોજાય ઉપરાંત ડોર-ટુ-ડોર પ્રચાર પણ નહીં કરી શકાય. ત્યારે ચૂંટણી પડઘમ શાંત થાય તે  પહેલા તમામ પાર્ટી મહેનત કરી રહી છે. આ પડઘમ શાંત થતા બીજા તબક્કા માટેનો પ્રચાર જોર-શોરથી ચલાવામાં આવશે.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.