પ્રથમ તબક્કાની બેઠકો માટે પ્રચાર કરવાનો અંતિમ દિવસ, દરેક પાર્ટી પ્રચારમાં લગાવી રહી છે એડીચોટીનું જોર


  • Published By :
  • Published Date : 2022-11-29 12:45:49

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે. પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરના રોજ યોજાવાનું છે. ચૂંટણીના 48 કલાક પહેલા પ્રચાર પડઘમ શાંત થઈ જાય છે. ચૂંટણી પંચના નિયમો અનુસાર ચૂંટણીના 48 કલાક પહેલાથી પ્રચાર બંધ કરી દેવો પડે છે. માત્ર ગણતરીના કલાકો બાકી હોવાને કારણે ઉમેદવારો તથા પાર્ટી મતદારોને આકર્ષવા તમામ પ્રયાસો કરશે. પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ સભાઓ કરી મતદારોને આકર્ષવા તનતોડ મહેનત કરશે. 

Image

ImageImage

પ્રથમ તબક્કાની બેઠકો પર આજથી શાંત થશે ચૂંટણી પ્રચાર 

ગુજરાતમાં જ્યારથી ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ છે ત્યારથી પાર્ટી દ્વારા પ્રચારને તેજ કરી દેવામાં આવ્યો છે. પાર્ટીના સ્ટાર પ્રચારકો ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે. ભાજપે તો સ્ટાર પ્રચારકોની ફોજ ઉતારી હોય એવું લાગે છે. આમ આદમી પાર્ટી પણ પોતાના રાષ્ટ્રીય સ્તરના નેતાઓને ગુજરાત બોલાવી પ્રચાર કરાવી રહ્યા છે જ્યારે કોંગ્રેસે પણ પોતાના રાષ્ટ્રીય નેતાઓને ગુજરાતમાં બોલાવ્યા હતા. 

Elections LIVE: 'Such bad governance is of no use', Gehlot on Morbi  accident | Hindustan Times

બીજા તબક્કાની બેઠકો પર વધારાશે પ્રચારનો માર 

પ્રથમ તબક્કાનું મતદાન 89 બેઠકો માટે થવાનું છે. જેને કારણે આ બેઠકો પર સાંજના પાંચ વાગ્યાથી પ્રચાર શાંત થઈ જશે. પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા રાષ્ટ્રીય નેતાઓ આ બેઠકો પર જનસભા યોજવાના છે અને રેલીઓ કાઢવાના છે. પાંચ વાગ્યા બાદ જાહેર સભાઓ નહીં યોજાય ઉપરાંત ડોર-ટુ-ડોર પ્રચાર પણ નહીં કરી શકાય. ત્યારે ચૂંટણી પડઘમ શાંત થાય તે  પહેલા તમામ પાર્ટી મહેનત કરી રહી છે. આ પડઘમ શાંત થતા બીજા તબક્કા માટેનો પ્રચાર જોર-શોરથી ચલાવામાં આવશે.   




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.