નગરપાલિકાના કર્મચારીઓની પડતર માગણીઓનો ઉકેલ નહિ આવતા કર્મચારીઓએ પકડ્યો આંદોલનનો માર્ગ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 18:05:21

રાજ્યમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજ્યમાં વધુ એક આંદોલનના એંધાણ દેખાઈ રહ્યા છે. માંડ માંડ શાંત થયેલા આંદોલનો ફરી એક વખત શરૂ થઈ શકે છે. રાજ્યની 156 નગરપાલિકાઓના કર્મચારીઓ પોતાની પડતર માગ સાથે સરકાર વિરૂદ્ધ આંદોલન કરવાના મૂડમાં આવ્યા છે. અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળના બેનર હેઠળ નગરપાલિકાના કર્મચારીઓએ પેનડાઉન કરી દીધી છે. 18 તારીખથી આવશ્યક સેવાઓ બંધ કરી હડતાળ ચાલુ રાખશે. 

આંદોલન ફરી પકડી શકે છે વેગ  

થોડા સમય પહેલા ગાંધીનગર આંદોલનનું હબ બની ગયું હતું. પોતાની પડતર માગણીને લઈ સરકાર વિરૂદ્ધ આંદોલન કરી રહ્યા હતા. ખેડૂતો, શિક્ષકો, નિવૃત આર્મી મેન, આરોગ્ય કર્મચારીઓ પોતાની માગને લઈ ગાંધીનગર ખાતે ધરણા કરી રહ્યા હતા. સરકારે અનેક માગનો સ્વીકાર કર્યો જે બાદ આંદોલનો શાંત થઈ ગયા હતા. ત્યારે ફરી એક આંદોલનો  ગુજરાતમાં શરૂ થઈ શકે છે. 2 વર્ષથી પોતાની માગ ન સ્વીકારાતા હવે તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધી રહ્યા છે.     

શું છે તેમની પડતર માગ   

પોતાની 20 જેટલી પડતર માગને લઈ તેઓ હડતાળ કરવાના છે. તેમની મુખ્ય માગની વાત કરીએ તો રાજ્ય સરકારના કર્મચારીઓને મળતા લાભો મળે. નગરપાલિકાના ચીફ ઓફિસરોના પ્રમોશન કે બઢતી આપવામાં આવે. 7માં પગાર પંચનો લાભ મળે. તેમજ જૂની પેંશન યોજનાનો લાભ મળે સહિતના મુદ્દાઓને લઈ તેઓ આંદોલન કરવાના છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .