નગરપાલિકાના કર્મચારીઓની પડતર માગણીઓનો ઉકેલ નહિ આવતા કર્મચારીઓએ પકડ્યો આંદોલનનો માર્ગ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 18:05:21

રાજ્યમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજ્યમાં વધુ એક આંદોલનના એંધાણ દેખાઈ રહ્યા છે. માંડ માંડ શાંત થયેલા આંદોલનો ફરી એક વખત શરૂ થઈ શકે છે. રાજ્યની 156 નગરપાલિકાઓના કર્મચારીઓ પોતાની પડતર માગ સાથે સરકાર વિરૂદ્ધ આંદોલન કરવાના મૂડમાં આવ્યા છે. અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળના બેનર હેઠળ નગરપાલિકાના કર્મચારીઓએ પેનડાઉન કરી દીધી છે. 18 તારીખથી આવશ્યક સેવાઓ બંધ કરી હડતાળ ચાલુ રાખશે. 

આંદોલન ફરી પકડી શકે છે વેગ  

થોડા સમય પહેલા ગાંધીનગર આંદોલનનું હબ બની ગયું હતું. પોતાની પડતર માગણીને લઈ સરકાર વિરૂદ્ધ આંદોલન કરી રહ્યા હતા. ખેડૂતો, શિક્ષકો, નિવૃત આર્મી મેન, આરોગ્ય કર્મચારીઓ પોતાની માગને લઈ ગાંધીનગર ખાતે ધરણા કરી રહ્યા હતા. સરકારે અનેક માગનો સ્વીકાર કર્યો જે બાદ આંદોલનો શાંત થઈ ગયા હતા. ત્યારે ફરી એક આંદોલનો  ગુજરાતમાં શરૂ થઈ શકે છે. 2 વર્ષથી પોતાની માગ ન સ્વીકારાતા હવે તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધી રહ્યા છે.     

શું છે તેમની પડતર માગ   

પોતાની 20 જેટલી પડતર માગને લઈ તેઓ હડતાળ કરવાના છે. તેમની મુખ્ય માગની વાત કરીએ તો રાજ્ય સરકારના કર્મચારીઓને મળતા લાભો મળે. નગરપાલિકાના ચીફ ઓફિસરોના પ્રમોશન કે બઢતી આપવામાં આવે. 7માં પગાર પંચનો લાભ મળે. તેમજ જૂની પેંશન યોજનાનો લાભ મળે સહિતના મુદ્દાઓને લઈ તેઓ આંદોલન કરવાના છે.



ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.