નગરપાલિકાના કર્મચારીઓની પડતર માગણીઓનો ઉકેલ નહિ આવતા કર્મચારીઓએ પકડ્યો આંદોલનનો માર્ગ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 18:05:21

રાજ્યમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજ્યમાં વધુ એક આંદોલનના એંધાણ દેખાઈ રહ્યા છે. માંડ માંડ શાંત થયેલા આંદોલનો ફરી એક વખત શરૂ થઈ શકે છે. રાજ્યની 156 નગરપાલિકાઓના કર્મચારીઓ પોતાની પડતર માગ સાથે સરકાર વિરૂદ્ધ આંદોલન કરવાના મૂડમાં આવ્યા છે. અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળના બેનર હેઠળ નગરપાલિકાના કર્મચારીઓએ પેનડાઉન કરી દીધી છે. 18 તારીખથી આવશ્યક સેવાઓ બંધ કરી હડતાળ ચાલુ રાખશે. 

આંદોલન ફરી પકડી શકે છે વેગ  

થોડા સમય પહેલા ગાંધીનગર આંદોલનનું હબ બની ગયું હતું. પોતાની પડતર માગણીને લઈ સરકાર વિરૂદ્ધ આંદોલન કરી રહ્યા હતા. ખેડૂતો, શિક્ષકો, નિવૃત આર્મી મેન, આરોગ્ય કર્મચારીઓ પોતાની માગને લઈ ગાંધીનગર ખાતે ધરણા કરી રહ્યા હતા. સરકારે અનેક માગનો સ્વીકાર કર્યો જે બાદ આંદોલનો શાંત થઈ ગયા હતા. ત્યારે ફરી એક આંદોલનો  ગુજરાતમાં શરૂ થઈ શકે છે. 2 વર્ષથી પોતાની માગ ન સ્વીકારાતા હવે તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધી રહ્યા છે.     

શું છે તેમની પડતર માગ   

પોતાની 20 જેટલી પડતર માગને લઈ તેઓ હડતાળ કરવાના છે. તેમની મુખ્ય માગની વાત કરીએ તો રાજ્ય સરકારના કર્મચારીઓને મળતા લાભો મળે. નગરપાલિકાના ચીફ ઓફિસરોના પ્રમોશન કે બઢતી આપવામાં આવે. 7માં પગાર પંચનો લાભ મળે. તેમજ જૂની પેંશન યોજનાનો લાભ મળે સહિતના મુદ્દાઓને લઈ તેઓ આંદોલન કરવાના છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે