તમારા Jamawatને એક વર્ષ પૂરું થતાં અમે તમારા માટે લાવી રહ્યાં છીએ ખાસ ભેટ! Jamawat આવી રહ્યું છે આ પ્લેટફોર્મ પર...


  • Published By :
  • Published Date : 2023-08-25 11:49:43

25 ઓગસ્ટ વર્ષ 2022એ જમાવટનની શરૂઆત થઈ. જમાવટની સફરને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ એક વર્ષ દરમિયાન અમને ગુજરાત તરફથી ખૂબ પ્રેમ મળ્યો. ગુજરાતીઓએ સહર્ષ અમારો સ્વીકાર કર્યો અને જમાવટ, અમારી સફરને આગળ વધારવામાં અમારી સહાયતા કરી. જમાવટને અનેક વખત રજૂઆત મળતી હતી કે તમે ટીવી પર આવો. ચેનલ પર આવો. દર્શકો દ્વારા યુટ્યુબ પર આપવામાં આવતો પ્રેમ જ ઘણો છે કે ટીવી પર ચેનલ શરૂ કરીએ તેવો પ્લાન હમણાં નથી. 

જમાવટના સમાચાર અને વીડિયોઝ તમે જોઈ શક્શો એપ્લિકેશનમાં  

દર્શકોની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખી અમે એક નવા પ્લેટફોર્મ પર આવી રહ્યા છીએ. અમારા દર્શકોને એક ખૂશખબર આપવી છે કે જમાવટના પ્રથમ બર્થ-ડે પર અમે લોન્ચ કરી રહ્યા છીએ જમાવટની એપ્લિકેશન. સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર તો અમે છીએ જ, ફેસબૂક, ટ્વિટર, Instagram, યુ-ટ્યુબ પર તો જમાવટ છે જ પરંતુ હવે પોતાના અલગ પ્લેટફોર્મ પર અમે આવી રહ્યા છીએ. જમાવટના વીડિયોઝ, સમાચારો હવે તમે અમારી એપ્લિકેશનમાં જોઈ શક્શો. સારૂં કન્ટેટ આપવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. સમાચારો સારા કન્ટેન્ટ સાથે તમારા સુધી જલદી પહોંચે તે માટે અમે એપ્લિકેશન લોન્ચ કરી રહ્યા છે. મોબાઈલમાં તમે અમારી એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છે. જે પ્રેમ અમને આપ્યો છે તે માટે દિલથી આભાર ગુજરાત.... THANK YOU GUJARAT...  



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.