અસદુદ્દીન ઓવૈસીએ સંસદમાં લગાવ્યો જય પેલેસ્ટાઈનનો નારો! શું આ નારો વધારશે અસદુદ્દીન ઓવૈસીનું ટેન્શન?


  • Published By :
  • Published Date : 2024-06-28 10:15:45

18મી લોકસભાનું સત્ર ચાલી રહ્યું છે. સત્રની શરૂઆતમાં સાંસદોએ સાંસદ તરીકને શપથ લીધા.. શપથ વિધીના વીડિયો આપણી સામે આવ્યા છે. અસદુદ્દીન ઓવૈસીએ લોકસભામાં સાંસદ તરીકે શપથ લીધા તે વખતે તેમણે જય પેલેસ્ટાઈન કહ્યું.. આ શપથ વિધિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.. તે વીડિયો જોયો જ હશે અને હવે આ મુદ્દે વિવાદ વકર્યો છે અને હવે ઔવેસીનું પદ ખતરામાં છે તેવું લાગી રહ્યું છે. અસદુદ્દીન ઓવૈસીનું સાંસદ પદ ખતરામાં આવી ગયું છે..  



શપથ વિધી વખતે અસદુદ્દીન ઓવૈસીએ બોલાવી હતી.. 

AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ સાંસદ તરીકેના શપથ લીધા. તે જ્યારે શપથ લઈ રહ્યા હતા ત્યારે તેમણે જય પેલેસ્ટાઈનના નારા લગાવ્યા હતા. તેને લઈ વિવાદ છેડાઈ ગયો છે. હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ શપથ લીધા પછી જય ભીમ, જય મીમ, જય તેલંગાણા અને પછી જય પેલેસ્ટાઈન કહ્યું હતું જે મુદ્દે રાજકારણ ગરમાયું છે. જો કે અધ્યક્ષે તેને રેકોર્ડમાંથી હટાવી દીધો છે, પરંતુ ઘણા વરિષ્ઠ વકીલો ઓવૈસીનું સભ્યપદ રદ્દ કરવાની માગ કરી રહ્યા છે. ભાજપે તેમની પાસેથી માફી માંગવાની માગ કરી હતી સમજીએ કે શું શપથ લેતી વખતે બીજા દેશનું નામ લેવું ખોટું છે ગુન્હો છે? 



જ્યારે કોઈ નેતા બીજા દેશની જય બોલાવે છે ત્યારે 

તો સાંસદ તરીકે સભ્યપદ લેતી વખતે અત્યાર સુધી સાંસદ પોતાના રાજ્ય અને દેશની જ વાત કરતા હતા. આ પ્રથમ કિસ્સો છે જ્યારે કોઈ નેતાએ બીજા દેશની જય બોલાઈ જે કલમની વારંવાર ચર્ચા થઈ રહી છે એ કલમ 102(4) પ્રમાણે  જો તે વ્યક્તિ ભારતનો નાગરિક નથી અથવા તો તેણે સ્વેચ્છાએ કોઈ બીજા દેશની નાગરિકતા પ્રાપ્ત કરી લીધી છે અથવા તો તે કોઈ અન્ય દેશ પ્રત્યે નિષ્ઠા અથવા લગાવ રાખે છે તો તેવો વ્યક્તિ લોકસભાના સભ્ય તરીકે અયોગ્ય છે. આ એક કારણ છે અન્ય કેટલાક કારણો છે જે કારણે સભ્યપદ રદ થઈ શકે એટલું જ નહીં પક્ષપલટાને કારણે સભ્યપદ પણ ગુમાવી શકાય કલમ 102 હેઠળ પક્ષપલટાને કારણે સભ્યપદ પણ છીનવી શકાય છે. 


જો સમિતી ભલામણ કરે તો... 

વાત કરીએ તો સંસદના બંને ગૃહોમાં એથિક્સ કમિટી છે. તેઓ નેતાઓના નૈતિક વર્તન પર નજર રાખે છે. જો સમિતિ ભલામણ કરે છે કે કોઈ ચોક્કસ સભ્ય ગૃહની ગરિમા તોડી રહ્યો છે, અથવા જાહેર જીવનમાં શિષ્ટાચાર તોડી રહ્યો છે, તો આત્યંતિક કિસ્સામાં સભ્યપદ ગુમાવી શકાય છે. એ જ એથિક્સ કમિટીની ભલામણ પર મહુઆ મોઇત્રાનું સભ્યપદ પણ રદ કરવામાં આવ્યું હતું.



અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ ૨ના મેગા ડિમોલિશન વિશે.

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો . પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ લઇને આજે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે , ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે , પાકિસ્તાન સાથે DGMO સ્તરની કોઈ પણ વાતચીત આજે નઈ થાય . સીઝફાયર ચાલુ જ રહેશે. બેઉ દેશોના DGMO એટલેકે , ડિરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે આજે કોઈ જ સંવાદ નથી થવા જઈ રહ્યો .

રક્ષામંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે છે. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ એરફોર્સે , BSF અને આર્મીના અધિકારીઓ - જવાનોને મળીને ચર્ચા કરીને સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા કરી છે. આ સાથેજ રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાતમાં ભારત - પાકિસ્તાન સરહદના વિવિધ વિસ્તારોની મુલાકાત પણ કરી છે. તો આવો જાણીએ રક્ષામંત્રી રાજનાથ સિંહના પ્રવાસ વિશે.