અસદુદ્દીન ઓવૈસીએ સંસદમાં લગાવ્યો જય પેલેસ્ટાઈનનો નારો! શું આ નારો વધારશે અસદુદ્દીન ઓવૈસીનું ટેન્શન?


  • Published By :
  • Published Date : 2024-06-28 10:15:45

18મી લોકસભાનું સત્ર ચાલી રહ્યું છે. સત્રની શરૂઆતમાં સાંસદોએ સાંસદ તરીકને શપથ લીધા.. શપથ વિધીના વીડિયો આપણી સામે આવ્યા છે. અસદુદ્દીન ઓવૈસીએ લોકસભામાં સાંસદ તરીકે શપથ લીધા તે વખતે તેમણે જય પેલેસ્ટાઈન કહ્યું.. આ શપથ વિધિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.. તે વીડિયો જોયો જ હશે અને હવે આ મુદ્દે વિવાદ વકર્યો છે અને હવે ઔવેસીનું પદ ખતરામાં છે તેવું લાગી રહ્યું છે. અસદુદ્દીન ઓવૈસીનું સાંસદ પદ ખતરામાં આવી ગયું છે..  



શપથ વિધી વખતે અસદુદ્દીન ઓવૈસીએ બોલાવી હતી.. 

AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ સાંસદ તરીકેના શપથ લીધા. તે જ્યારે શપથ લઈ રહ્યા હતા ત્યારે તેમણે જય પેલેસ્ટાઈનના નારા લગાવ્યા હતા. તેને લઈ વિવાદ છેડાઈ ગયો છે. હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ શપથ લીધા પછી જય ભીમ, જય મીમ, જય તેલંગાણા અને પછી જય પેલેસ્ટાઈન કહ્યું હતું જે મુદ્દે રાજકારણ ગરમાયું છે. જો કે અધ્યક્ષે તેને રેકોર્ડમાંથી હટાવી દીધો છે, પરંતુ ઘણા વરિષ્ઠ વકીલો ઓવૈસીનું સભ્યપદ રદ્દ કરવાની માગ કરી રહ્યા છે. ભાજપે તેમની પાસેથી માફી માંગવાની માગ કરી હતી સમજીએ કે શું શપથ લેતી વખતે બીજા દેશનું નામ લેવું ખોટું છે ગુન્હો છે? 



જ્યારે કોઈ નેતા બીજા દેશની જય બોલાવે છે ત્યારે 

તો સાંસદ તરીકે સભ્યપદ લેતી વખતે અત્યાર સુધી સાંસદ પોતાના રાજ્ય અને દેશની જ વાત કરતા હતા. આ પ્રથમ કિસ્સો છે જ્યારે કોઈ નેતાએ બીજા દેશની જય બોલાઈ જે કલમની વારંવાર ચર્ચા થઈ રહી છે એ કલમ 102(4) પ્રમાણે  જો તે વ્યક્તિ ભારતનો નાગરિક નથી અથવા તો તેણે સ્વેચ્છાએ કોઈ બીજા દેશની નાગરિકતા પ્રાપ્ત કરી લીધી છે અથવા તો તે કોઈ અન્ય દેશ પ્રત્યે નિષ્ઠા અથવા લગાવ રાખે છે તો તેવો વ્યક્તિ લોકસભાના સભ્ય તરીકે અયોગ્ય છે. આ એક કારણ છે અન્ય કેટલાક કારણો છે જે કારણે સભ્યપદ રદ થઈ શકે એટલું જ નહીં પક્ષપલટાને કારણે સભ્યપદ પણ ગુમાવી શકાય કલમ 102 હેઠળ પક્ષપલટાને કારણે સભ્યપદ પણ છીનવી શકાય છે. 


જો સમિતી ભલામણ કરે તો... 

વાત કરીએ તો સંસદના બંને ગૃહોમાં એથિક્સ કમિટી છે. તેઓ નેતાઓના નૈતિક વર્તન પર નજર રાખે છે. જો સમિતિ ભલામણ કરે છે કે કોઈ ચોક્કસ સભ્ય ગૃહની ગરિમા તોડી રહ્યો છે, અથવા જાહેર જીવનમાં શિષ્ટાચાર તોડી રહ્યો છે, તો આત્યંતિક કિસ્સામાં સભ્યપદ ગુમાવી શકાય છે. એ જ એથિક્સ કમિટીની ભલામણ પર મહુઆ મોઇત્રાનું સભ્યપદ પણ રદ કરવામાં આવ્યું હતું.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.