અસદુદ્દીન ઓવૈસીએ સંસદમાં લગાવ્યો જય પેલેસ્ટાઈનનો નારો! શું આ નારો વધારશે અસદુદ્દીન ઓવૈસીનું ટેન્શન?


  • Published By :
  • Published Date : 2024-06-28 10:15:45

18મી લોકસભાનું સત્ર ચાલી રહ્યું છે. સત્રની શરૂઆતમાં સાંસદોએ સાંસદ તરીકને શપથ લીધા.. શપથ વિધીના વીડિયો આપણી સામે આવ્યા છે. અસદુદ્દીન ઓવૈસીએ લોકસભામાં સાંસદ તરીકે શપથ લીધા તે વખતે તેમણે જય પેલેસ્ટાઈન કહ્યું.. આ શપથ વિધિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.. તે વીડિયો જોયો જ હશે અને હવે આ મુદ્દે વિવાદ વકર્યો છે અને હવે ઔવેસીનું પદ ખતરામાં છે તેવું લાગી રહ્યું છે. અસદુદ્દીન ઓવૈસીનું સાંસદ પદ ખતરામાં આવી ગયું છે..  



શપથ વિધી વખતે અસદુદ્દીન ઓવૈસીએ બોલાવી હતી.. 

AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ સાંસદ તરીકેના શપથ લીધા. તે જ્યારે શપથ લઈ રહ્યા હતા ત્યારે તેમણે જય પેલેસ્ટાઈનના નારા લગાવ્યા હતા. તેને લઈ વિવાદ છેડાઈ ગયો છે. હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ શપથ લીધા પછી જય ભીમ, જય મીમ, જય તેલંગાણા અને પછી જય પેલેસ્ટાઈન કહ્યું હતું જે મુદ્દે રાજકારણ ગરમાયું છે. જો કે અધ્યક્ષે તેને રેકોર્ડમાંથી હટાવી દીધો છે, પરંતુ ઘણા વરિષ્ઠ વકીલો ઓવૈસીનું સભ્યપદ રદ્દ કરવાની માગ કરી રહ્યા છે. ભાજપે તેમની પાસેથી માફી માંગવાની માગ કરી હતી સમજીએ કે શું શપથ લેતી વખતે બીજા દેશનું નામ લેવું ખોટું છે ગુન્હો છે? 



જ્યારે કોઈ નેતા બીજા દેશની જય બોલાવે છે ત્યારે 

તો સાંસદ તરીકે સભ્યપદ લેતી વખતે અત્યાર સુધી સાંસદ પોતાના રાજ્ય અને દેશની જ વાત કરતા હતા. આ પ્રથમ કિસ્સો છે જ્યારે કોઈ નેતાએ બીજા દેશની જય બોલાઈ જે કલમની વારંવાર ચર્ચા થઈ રહી છે એ કલમ 102(4) પ્રમાણે  જો તે વ્યક્તિ ભારતનો નાગરિક નથી અથવા તો તેણે સ્વેચ્છાએ કોઈ બીજા દેશની નાગરિકતા પ્રાપ્ત કરી લીધી છે અથવા તો તે કોઈ અન્ય દેશ પ્રત્યે નિષ્ઠા અથવા લગાવ રાખે છે તો તેવો વ્યક્તિ લોકસભાના સભ્ય તરીકે અયોગ્ય છે. આ એક કારણ છે અન્ય કેટલાક કારણો છે જે કારણે સભ્યપદ રદ થઈ શકે એટલું જ નહીં પક્ષપલટાને કારણે સભ્યપદ પણ ગુમાવી શકાય કલમ 102 હેઠળ પક્ષપલટાને કારણે સભ્યપદ પણ છીનવી શકાય છે. 


જો સમિતી ભલામણ કરે તો... 

વાત કરીએ તો સંસદના બંને ગૃહોમાં એથિક્સ કમિટી છે. તેઓ નેતાઓના નૈતિક વર્તન પર નજર રાખે છે. જો સમિતિ ભલામણ કરે છે કે કોઈ ચોક્કસ સભ્ય ગૃહની ગરિમા તોડી રહ્યો છે, અથવા જાહેર જીવનમાં શિષ્ટાચાર તોડી રહ્યો છે, તો આત્યંતિક કિસ્સામાં સભ્યપદ ગુમાવી શકાય છે. એ જ એથિક્સ કમિટીની ભલામણ પર મહુઆ મોઇત્રાનું સભ્યપદ પણ રદ કરવામાં આવ્યું હતું.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી