રાજપીપળામાં અશાંત ધારાનો અમલ, ધાર્મિક સ્થળોની સુરક્ષા માટે રાજ્ય સરકારે કર્યો નિર્ણય


  • Published By :
  • Published Date : 2022-12-11 13:35:37

નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરના કેટલાક વિસ્તારોમાં રાજ્ય સરકારે અશાંત ધારો અમલમાં મુક્યો છે. સ્થાનિક રહીશો અશાંત ધારો લાગુ કરવાની માગ કરી રહ્યા હોવાથી  સરકારે અંતે આ નિર્ણય કર્યો છે. રાજપીપળા શહેરમાં બે અલગ અલગ સમુદાયની વસતિ હોવાના કારણે ધાર્મિક સ્થળ હોય એ વિસ્તારમાં અશાંત ધારો લાગૂ કરવા માટે અપીલ કરાઈ હતી. સ્થાનિકોએ છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાને વિનંતી કરી હતી. ત્યાર બાદ તેમણે મહેસુલ મંત્રીને રજૂઆત કરતા આ મામલે કાર્યવાહી  શરૂ કરવામાં આવી હતી.


રાજપીપળાનાં કયા વિસ્તારોમાં અશાંત ધારાનો અમલ?


રાજ્ય સરકારે રાજપીપળાનાં દરબાર રોડ, શ્રીનાથજી હવેલી, વિશાવગા, માલીવાડ, પારેખ ખડકી, સહિતના વિસ્તારોમાં સ્થાનિકોએ અશાંત ધારો લાગૂ કર્યો છે. આ વિસ્તારમાં બે અલગ અલગ સમુદાયના લોકો વસવાટ કરે છે. વળી ધાર્મિક સ્થળોનો જે વિસ્તાર છે ત્યાં આ અશાંત ધારો લાગૂ કરવા માટે સ્થાનિકોએ રજૂઆત કરી હતી.


ગુજરાત સરકારે શા માટે લાગુ કર્યો અશાંત ધારો?


રાજ્ય સરકારે રાજપીપળા શહેરના અમુક વિસ્તારમા અશાંતધારો લાગુ કર્યો છે. જેમાં વિશવગા, સોનીવાડ, ભરાવાની ખડકી, શેઠ ફળીયા શ્રીનાથજી મંદિર, આશાપુરા મંદિર નજીકનો વિસ્તાર, શ્રીનાથજી મંદિર નજીકનો વિસ્તાર, સફેદ ટાવર નજીકનો કોહિનૂર હોટેલના વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવાનો હુકમ કર્યો છે. અત્રે ઉલ્લેખીય છે કે અગાઉ શ્રીનાથજી મંદિરના ટ્રસ્ટીઓએ અગાઉ એવી આશંકા વ્યક્ત કરી હતી કે ધાર્મિક વિસ્તારની આસપાસ જો અશાંતધારો લાગુ નહીં કરાય તો ભવિષ્યમાં અશાંતિ ઉભી થશે. ધાર્મિક ભેદભાવ ઉભા થશે. એમની રજુઆતને પગલે રાજ્ય સરકારના મહેસુલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદો અને ન્યાય તંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગ મંત્રીના અંગત સચિવ ડો.નિસર્ગ જોષી દ્વારા જિલ્લા કાલકેટરને અશાંત ધારા બાબતે નિયમાનુસાર ત્વરિત કામગીરી કરેલી અંગેની જાણ વિભાગને કરવા જણાવવામાં આવ્યું હતું. રાજપીપળા શહેરમાં અનેક હિન્દૂ વિસ્તારોમાં અન્ય કોમના લોકો મકાનો ખરીદતા હોવાની વાતથી હિન્દૂ સંગઠનો દ્વારા સ્થાનિક તંત્રને અશાંત ધારો લાગુ કરવા રજૂઆતો કરાઈ હોવા છતાં લાંબા સમયથી કોઈજ હકારાત્મક નિર્ણય ન આવતા અનેક સવાલો ઉઠ્યા હતા.




અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.