અશોક ચવ્હાણ, કમલનાથ અને હવે મનીષ તિવારીનો પણ મોહ ભંગ, BJPના સંપર્કમાં હોવાની ચર્ચા


  • Published By :
  • Published Date : 2024-02-18 16:06:18

એક તરફ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે તો બીજી તરફ પાર્ટીના અગ્રણી નેતાઓનો મોહભંગ થઈ રહ્યો છે. પૂર્વ સાંસદ CM કમલનાથના ભાજપમાં જોડાવા અંગેની અટકળો વચ્ચે પૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારી પણ કોંગ્રેસ છોડી દે તેવી ચર્ચાએ જોર પકડ્યું  છે. સૂત્રોના હવાલાથી મળેલા સમાચાર મુજબ મનીષ તિવારી સતત ભાજપના સંપર્કમાં છે. જો અટકળો સાચી પડશે તો કોંગ્રેસને અશોક ચવ્હાણ બાદ ફરી મોટો ફટકો પડી શકે છે. કમલનાથ વિશે વાત કરીએ તો એવા સમાચાર છે કે તેઓ અને તેમના પુત્ર નકુલનાથ ટૂંક સમયમાં જ ભાજપમાં જોડાશે. શનિવારે પિતા-પુત્ર પણ દિલ્હી આવ્યા હતા પરંતુ હજુ સુધી કંઈ સ્પષ્ટ થયું નથી.


કોંગ્રેસને લાગશે ત્રીજો ઝટકો?

 

કોંગ્રેસ માટે 2024ની લોકસભા ચૂંટણી પહેલા આવા સમાચાર કોઈ મોટા આંચકાથી ઓછા નહીં હોય. થોડા દિવસ પહેલા જ મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અશોક ચવ્હાણ ભાજપમાં જોડાયા હતા. જ્યારે હવે કમલનાથ અને તેમના પુત્ર નકુલ નાથના બીજેપીમાં જોડાવાના સમાચાર આવ્યા છે. આ અટકળો વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે કે પૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારી પણ કોંગ્રેસથી નારાજ છે. 


મનીષ સતત ભાજપના સંપર્ક


દિલ્હીના રાજકીય વર્તુળોમાં ચાલતી ચર્ચાને સાચી માનીએ તો પંજાબના આનંદપુર સાહિબના સાંસદ મનીષ સતત ભાજપના સંપર્કમાં છે. જોકે તેમની નજીકના કોઈએ તેને હાસ્યાસ્પદ ગણાવ્યું છે. જો અટકળો સાચી સાબિત થશે તો ચૂંટણી પહેલા કોંગ્રેસને ત્રણ આંચકાઓનો સામનો કરવો પડી શકે છે. મનીષ તિવારી 2012 થી 2014 સુધી યુપીએ સરકારમાં માહિતી અને પ્રસારણ મંત્રી હતા. તેમણે કોંગ્રેસના પ્રવક્તા તરીકે પણ પાર્ટીમાં યોગદાન આપ્યું છે.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.