અશોક ચવ્હાણ, કમલનાથ અને હવે મનીષ તિવારીનો પણ મોહ ભંગ, BJPના સંપર્કમાં હોવાની ચર્ચા


  • Published By :
  • Published Date : 2024-02-18 16:06:18

એક તરફ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે તો બીજી તરફ પાર્ટીના અગ્રણી નેતાઓનો મોહભંગ થઈ રહ્યો છે. પૂર્વ સાંસદ CM કમલનાથના ભાજપમાં જોડાવા અંગેની અટકળો વચ્ચે પૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારી પણ કોંગ્રેસ છોડી દે તેવી ચર્ચાએ જોર પકડ્યું  છે. સૂત્રોના હવાલાથી મળેલા સમાચાર મુજબ મનીષ તિવારી સતત ભાજપના સંપર્કમાં છે. જો અટકળો સાચી પડશે તો કોંગ્રેસને અશોક ચવ્હાણ બાદ ફરી મોટો ફટકો પડી શકે છે. કમલનાથ વિશે વાત કરીએ તો એવા સમાચાર છે કે તેઓ અને તેમના પુત્ર નકુલનાથ ટૂંક સમયમાં જ ભાજપમાં જોડાશે. શનિવારે પિતા-પુત્ર પણ દિલ્હી આવ્યા હતા પરંતુ હજુ સુધી કંઈ સ્પષ્ટ થયું નથી.


કોંગ્રેસને લાગશે ત્રીજો ઝટકો?

 

કોંગ્રેસ માટે 2024ની લોકસભા ચૂંટણી પહેલા આવા સમાચાર કોઈ મોટા આંચકાથી ઓછા નહીં હોય. થોડા દિવસ પહેલા જ મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અશોક ચવ્હાણ ભાજપમાં જોડાયા હતા. જ્યારે હવે કમલનાથ અને તેમના પુત્ર નકુલ નાથના બીજેપીમાં જોડાવાના સમાચાર આવ્યા છે. આ અટકળો વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે કે પૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારી પણ કોંગ્રેસથી નારાજ છે. 


મનીષ સતત ભાજપના સંપર્ક


દિલ્હીના રાજકીય વર્તુળોમાં ચાલતી ચર્ચાને સાચી માનીએ તો પંજાબના આનંદપુર સાહિબના સાંસદ મનીષ સતત ભાજપના સંપર્કમાં છે. જોકે તેમની નજીકના કોઈએ તેને હાસ્યાસ્પદ ગણાવ્યું છે. જો અટકળો સાચી સાબિત થશે તો ચૂંટણી પહેલા કોંગ્રેસને ત્રણ આંચકાઓનો સામનો કરવો પડી શકે છે. મનીષ તિવારી 2012 થી 2014 સુધી યુપીએ સરકારમાં માહિતી અને પ્રસારણ મંત્રી હતા. તેમણે કોંગ્રેસના પ્રવક્તા તરીકે પણ પાર્ટીમાં યોગદાન આપ્યું છે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .