અશોક ચવ્હાણ, કમલનાથ અને હવે મનીષ તિવારીનો પણ મોહ ભંગ, BJPના સંપર્કમાં હોવાની ચર્ચા


  • Published By :
  • Published Date : 2024-02-18 16:06:18

એક તરફ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે તો બીજી તરફ પાર્ટીના અગ્રણી નેતાઓનો મોહભંગ થઈ રહ્યો છે. પૂર્વ સાંસદ CM કમલનાથના ભાજપમાં જોડાવા અંગેની અટકળો વચ્ચે પૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારી પણ કોંગ્રેસ છોડી દે તેવી ચર્ચાએ જોર પકડ્યું  છે. સૂત્રોના હવાલાથી મળેલા સમાચાર મુજબ મનીષ તિવારી સતત ભાજપના સંપર્કમાં છે. જો અટકળો સાચી પડશે તો કોંગ્રેસને અશોક ચવ્હાણ બાદ ફરી મોટો ફટકો પડી શકે છે. કમલનાથ વિશે વાત કરીએ તો એવા સમાચાર છે કે તેઓ અને તેમના પુત્ર નકુલનાથ ટૂંક સમયમાં જ ભાજપમાં જોડાશે. શનિવારે પિતા-પુત્ર પણ દિલ્હી આવ્યા હતા પરંતુ હજુ સુધી કંઈ સ્પષ્ટ થયું નથી.


કોંગ્રેસને લાગશે ત્રીજો ઝટકો?

 

કોંગ્રેસ માટે 2024ની લોકસભા ચૂંટણી પહેલા આવા સમાચાર કોઈ મોટા આંચકાથી ઓછા નહીં હોય. થોડા દિવસ પહેલા જ મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અશોક ચવ્હાણ ભાજપમાં જોડાયા હતા. જ્યારે હવે કમલનાથ અને તેમના પુત્ર નકુલ નાથના બીજેપીમાં જોડાવાના સમાચાર આવ્યા છે. આ અટકળો વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે કે પૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારી પણ કોંગ્રેસથી નારાજ છે. 


મનીષ સતત ભાજપના સંપર્ક


દિલ્હીના રાજકીય વર્તુળોમાં ચાલતી ચર્ચાને સાચી માનીએ તો પંજાબના આનંદપુર સાહિબના સાંસદ મનીષ સતત ભાજપના સંપર્કમાં છે. જોકે તેમની નજીકના કોઈએ તેને હાસ્યાસ્પદ ગણાવ્યું છે. જો અટકળો સાચી સાબિત થશે તો ચૂંટણી પહેલા કોંગ્રેસને ત્રણ આંચકાઓનો સામનો કરવો પડી શકે છે. મનીષ તિવારી 2012 થી 2014 સુધી યુપીએ સરકારમાં માહિતી અને પ્રસારણ મંત્રી હતા. તેમણે કોંગ્રેસના પ્રવક્તા તરીકે પણ પાર્ટીમાં યોગદાન આપ્યું છે.



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .