અશોક ગેહલોતે હાઈકમાનનો વિશ્વાસ ગુમાવ્યો, કોંગ્રેસ અધ્યક્ષની રેસમાંથી આઉટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 19:01:04

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની મુશ્કેલી વધી રહી છે. મુખ્યમંત્રીના પદ માટે અશોક ગેહલોતનો મોહ હવે તેમને ભારે પડી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડી રહેલા અશોક ગેહલોતને કોંગ્રેસ હાઈ કમાન તરફથી આજે મોટો ઝટકો લાગ્યો છે. હવે તેઓ કોંગ્રેસ અધ્યક્ષની રેસમાંથી બહાર ફેંકાઈ ગયા છે. ગઈકાલે જયપુરમાં કોંગ્રેસના ધારાસભ્યોના બળવા બાદ  કોંગ્રેસ હાઈકમાન્ડે આકરુ પગલું ભરતાં અશોક ગેહલોતને કોંગ્રેસ અધ્યક્ષની રેસમાંથી બહાર કરી દીધા છે. 


અશોક ગેહલોતને હાથના કર્યા હૈયે વાગ્યા


મુખ્યમંત્રી તરીકે સચિન પાયલટની વરણી થવાની ચર્ચાની વચ્ચે ગઈકાલે સીએમ ગેહલોતના વફાદાર 82 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા હતા. સમગ્ર ઘટના બાદ સોનિયા ગાંધી દ્વારા મલ્લિકાર્જન ખડગે અને અજય માકનને આ મુદ્દાનો ઉકેલ લાવવાનું જણાવીને હાઈકમાન્ડને રિપોર્ટ આપવાનું જણાવાયું હતું. જે અનુસાર આ બન્ને નેતાઓ આજે દિલ્હીમાં સોનિયા ગાંધીને મળ્યાં હતા અને તેમને રિપોર્ટ સોંપ્યો હતો. પાર્ટી સુત્રોના જણાવ્યા પ્રમાણે હાઈકમાન્ડ અશોક ગેહલોત અધ્યક્ષની ચૂંટણી લડે તેવું નથી ઈચ્છતો. 



ગેહલોત આઉટ થતાં અન્ય નેતાઓ માટે માર્ગ મોકળો થયો


અશોક ગેહલોત અધ્યક્ષની ચૂંટણીની રેસમાંથી ફેંકાઈ ગયા બાદ હવે કોંગ્રેસના ચાર નેતાઓ મુકુલ વાસનિક, મલ્લિકાર્જુન ખડગે, દિગ્વિજય સિંહ, કેસી વેણુગોપાલ મુખ્ય દાવેદાર મનાય છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે મલ્લિકાર્જુન ખડગે, મુકુલ વાસનિક, કમલનાથ જેવા નેતાઓ પણ અધ્યક્ષ પદની રેસમાં આવી ગયા છે. એટલું જ નહીં દિગ્વિજય સિંહ પણ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડી શકે છે. રાહુલ ગાંધીના નજીકના સાથી અને કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ પણ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડે તેવી શક્યતા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હાલમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અધ્યક્ષ પદની ચૂંટણી માટે કોને સમર્થન આપવું જોઈએ તે અંગે મંથન કરી રહ્યા છે. અગાઉ ગાંધી પરિવારે અશોક ગેહલોત પર મન બનાવી લીધું હતું, પરંતુ તેમના આ કૃત્યને કારણે તેઓ ગાંધી પરિવારનો વિશ્વાસ ગુમાવી બેઠા છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.