અશોક ગેહલોતે હાઈકમાનનો વિશ્વાસ ગુમાવ્યો, કોંગ્રેસ અધ્યક્ષની રેસમાંથી આઉટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 19:01:04

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની મુશ્કેલી વધી રહી છે. મુખ્યમંત્રીના પદ માટે અશોક ગેહલોતનો મોહ હવે તેમને ભારે પડી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડી રહેલા અશોક ગેહલોતને કોંગ્રેસ હાઈ કમાન તરફથી આજે મોટો ઝટકો લાગ્યો છે. હવે તેઓ કોંગ્રેસ અધ્યક્ષની રેસમાંથી બહાર ફેંકાઈ ગયા છે. ગઈકાલે જયપુરમાં કોંગ્રેસના ધારાસભ્યોના બળવા બાદ  કોંગ્રેસ હાઈકમાન્ડે આકરુ પગલું ભરતાં અશોક ગેહલોતને કોંગ્રેસ અધ્યક્ષની રેસમાંથી બહાર કરી દીધા છે. 


અશોક ગેહલોતને હાથના કર્યા હૈયે વાગ્યા


મુખ્યમંત્રી તરીકે સચિન પાયલટની વરણી થવાની ચર્ચાની વચ્ચે ગઈકાલે સીએમ ગેહલોતના વફાદાર 82 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા હતા. સમગ્ર ઘટના બાદ સોનિયા ગાંધી દ્વારા મલ્લિકાર્જન ખડગે અને અજય માકનને આ મુદ્દાનો ઉકેલ લાવવાનું જણાવીને હાઈકમાન્ડને રિપોર્ટ આપવાનું જણાવાયું હતું. જે અનુસાર આ બન્ને નેતાઓ આજે દિલ્હીમાં સોનિયા ગાંધીને મળ્યાં હતા અને તેમને રિપોર્ટ સોંપ્યો હતો. પાર્ટી સુત્રોના જણાવ્યા પ્રમાણે હાઈકમાન્ડ અશોક ગેહલોત અધ્યક્ષની ચૂંટણી લડે તેવું નથી ઈચ્છતો. 



ગેહલોત આઉટ થતાં અન્ય નેતાઓ માટે માર્ગ મોકળો થયો


અશોક ગેહલોત અધ્યક્ષની ચૂંટણીની રેસમાંથી ફેંકાઈ ગયા બાદ હવે કોંગ્રેસના ચાર નેતાઓ મુકુલ વાસનિક, મલ્લિકાર્જુન ખડગે, દિગ્વિજય સિંહ, કેસી વેણુગોપાલ મુખ્ય દાવેદાર મનાય છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે મલ્લિકાર્જુન ખડગે, મુકુલ વાસનિક, કમલનાથ જેવા નેતાઓ પણ અધ્યક્ષ પદની રેસમાં આવી ગયા છે. એટલું જ નહીં દિગ્વિજય સિંહ પણ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડી શકે છે. રાહુલ ગાંધીના નજીકના સાથી અને કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ પણ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડે તેવી શક્યતા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હાલમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અધ્યક્ષ પદની ચૂંટણી માટે કોને સમર્થન આપવું જોઈએ તે અંગે મંથન કરી રહ્યા છે. અગાઉ ગાંધી પરિવારે અશોક ગેહલોત પર મન બનાવી લીધું હતું, પરંતુ તેમના આ કૃત્યને કારણે તેઓ ગાંધી પરિવારનો વિશ્વાસ ગુમાવી બેઠા છે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .