અશોક ગેહલોતે હાઈકમાનનો વિશ્વાસ ગુમાવ્યો, કોંગ્રેસ અધ્યક્ષની રેસમાંથી આઉટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 19:01:04

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની મુશ્કેલી વધી રહી છે. મુખ્યમંત્રીના પદ માટે અશોક ગેહલોતનો મોહ હવે તેમને ભારે પડી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડી રહેલા અશોક ગેહલોતને કોંગ્રેસ હાઈ કમાન તરફથી આજે મોટો ઝટકો લાગ્યો છે. હવે તેઓ કોંગ્રેસ અધ્યક્ષની રેસમાંથી બહાર ફેંકાઈ ગયા છે. ગઈકાલે જયપુરમાં કોંગ્રેસના ધારાસભ્યોના બળવા બાદ  કોંગ્રેસ હાઈકમાન્ડે આકરુ પગલું ભરતાં અશોક ગેહલોતને કોંગ્રેસ અધ્યક્ષની રેસમાંથી બહાર કરી દીધા છે. 


અશોક ગેહલોતને હાથના કર્યા હૈયે વાગ્યા


મુખ્યમંત્રી તરીકે સચિન પાયલટની વરણી થવાની ચર્ચાની વચ્ચે ગઈકાલે સીએમ ગેહલોતના વફાદાર 82 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા હતા. સમગ્ર ઘટના બાદ સોનિયા ગાંધી દ્વારા મલ્લિકાર્જન ખડગે અને અજય માકનને આ મુદ્દાનો ઉકેલ લાવવાનું જણાવીને હાઈકમાન્ડને રિપોર્ટ આપવાનું જણાવાયું હતું. જે અનુસાર આ બન્ને નેતાઓ આજે દિલ્હીમાં સોનિયા ગાંધીને મળ્યાં હતા અને તેમને રિપોર્ટ સોંપ્યો હતો. પાર્ટી સુત્રોના જણાવ્યા પ્રમાણે હાઈકમાન્ડ અશોક ગેહલોત અધ્યક્ષની ચૂંટણી લડે તેવું નથી ઈચ્છતો. 



ગેહલોત આઉટ થતાં અન્ય નેતાઓ માટે માર્ગ મોકળો થયો


અશોક ગેહલોત અધ્યક્ષની ચૂંટણીની રેસમાંથી ફેંકાઈ ગયા બાદ હવે કોંગ્રેસના ચાર નેતાઓ મુકુલ વાસનિક, મલ્લિકાર્જુન ખડગે, દિગ્વિજય સિંહ, કેસી વેણુગોપાલ મુખ્ય દાવેદાર મનાય છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે મલ્લિકાર્જુન ખડગે, મુકુલ વાસનિક, કમલનાથ જેવા નેતાઓ પણ અધ્યક્ષ પદની રેસમાં આવી ગયા છે. એટલું જ નહીં દિગ્વિજય સિંહ પણ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડી શકે છે. રાહુલ ગાંધીના નજીકના સાથી અને કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ પણ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડે તેવી શક્યતા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હાલમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અધ્યક્ષ પદની ચૂંટણી માટે કોને સમર્થન આપવું જોઈએ તે અંગે મંથન કરી રહ્યા છે. અગાઉ ગાંધી પરિવારે અશોક ગેહલોત પર મન બનાવી લીધું હતું, પરંતુ તેમના આ કૃત્યને કારણે તેઓ ગાંધી પરિવારનો વિશ્વાસ ગુમાવી બેઠા છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.