અશોક ગેહલોતે કોંગ્રેસ હાઈ કમાન્ડનું નાક દબાવવાનું શરૂ કર્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 22:04:46

અશોક ગેહલોતના સમર્થનના 82 જેટલા ધારાસભ્યો અનિશ્ચિત મુદત માટે વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. એટલે કે આ ધારાસભ્યો ગમે ત્યારે પોતાનું રાજીનામું પાછું ખેંચી શકે છે. 


સચિન પાયલટને CM ન બનવા દેવા માટે પ્રેશર ટેક્નિક 

રાજસ્થાનમાં રાજનીતિના ખળભળાટ વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે CM ગેહલોતે અધ્યક્ષ બનતા પહેલા જ ગાંધી પરિવારને પડકાર ફેંક્યો છે. 82 જેટલા ધારાસભ્યોને ભેગા કરીને રાજીનામાનો ખેલ શરૂ. કરી દેવાયો છે. તેનો હેતુ માત્ર એક સચિન પાયલટને મુખ્યમંત્રી ન બનવા દેવાનો છે.


કોંગ્રેસ હાઈકમાન્ડનું નાક દબાવી રહ્યા છે અશોક ગેહલોત

સ્થાનિક સૂત્રોના મારફતેથી જાણવા મળી રહ્યું છે કે અશોક ગેહલોત દિલ્લીમાં બેઠેલી કોંગ્રેસ હાઈકમાન્ડનું નાક દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અશોક ગેહલોતને ગાદી છોડ્યા બાદ પોતાના વ્યક્તિને રાજસ્થાનના મુખ્યમંત્રી પદે બિરાજવાનો પ્રયાસ છે. જો સચીન પાયલટ રાજસ્થાનના મુખ્યમંત્રી બની જાય તો અશોક ગેહલોતનો રાજસ્થાન પરથી કંટ્રોલ હટી જશે. પોતાનું બનાવેલું ઘર અશોક ગેહલોત પોતાના જ હાથે તોડવા નથી માગતા આથી તેઓ પ્રેશર ટેક્નિકનો ઉપયોગ કરી રહ્યા છે. 


સમાચાર અપડેટ થઈ રહ્યા છે. 



ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.