અશોક ગેહલોતે કોંગ્રેસ હાઈ કમાન્ડનું નાક દબાવવાનું શરૂ કર્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 22:04:46

અશોક ગેહલોતના સમર્થનના 82 જેટલા ધારાસભ્યો અનિશ્ચિત મુદત માટે વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. એટલે કે આ ધારાસભ્યો ગમે ત્યારે પોતાનું રાજીનામું પાછું ખેંચી શકે છે. 


સચિન પાયલટને CM ન બનવા દેવા માટે પ્રેશર ટેક્નિક 

રાજસ્થાનમાં રાજનીતિના ખળભળાટ વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે CM ગેહલોતે અધ્યક્ષ બનતા પહેલા જ ગાંધી પરિવારને પડકાર ફેંક્યો છે. 82 જેટલા ધારાસભ્યોને ભેગા કરીને રાજીનામાનો ખેલ શરૂ. કરી દેવાયો છે. તેનો હેતુ માત્ર એક સચિન પાયલટને મુખ્યમંત્રી ન બનવા દેવાનો છે.


કોંગ્રેસ હાઈકમાન્ડનું નાક દબાવી રહ્યા છે અશોક ગેહલોત

સ્થાનિક સૂત્રોના મારફતેથી જાણવા મળી રહ્યું છે કે અશોક ગેહલોત દિલ્લીમાં બેઠેલી કોંગ્રેસ હાઈકમાન્ડનું નાક દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અશોક ગેહલોતને ગાદી છોડ્યા બાદ પોતાના વ્યક્તિને રાજસ્થાનના મુખ્યમંત્રી પદે બિરાજવાનો પ્રયાસ છે. જો સચીન પાયલટ રાજસ્થાનના મુખ્યમંત્રી બની જાય તો અશોક ગેહલોતનો રાજસ્થાન પરથી કંટ્રોલ હટી જશે. પોતાનું બનાવેલું ઘર અશોક ગેહલોત પોતાના જ હાથે તોડવા નથી માગતા આથી તેઓ પ્રેશર ટેક્નિકનો ઉપયોગ કરી રહ્યા છે. 


સમાચાર અપડેટ થઈ રહ્યા છે. 



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.