અશોક ગેહલોતે કોંગ્રેસ હાઈ કમાન્ડનું નાક દબાવવાનું શરૂ કર્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 22:04:46

અશોક ગેહલોતના સમર્થનના 82 જેટલા ધારાસભ્યો અનિશ્ચિત મુદત માટે વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. એટલે કે આ ધારાસભ્યો ગમે ત્યારે પોતાનું રાજીનામું પાછું ખેંચી શકે છે. 


સચિન પાયલટને CM ન બનવા દેવા માટે પ્રેશર ટેક્નિક 

રાજસ્થાનમાં રાજનીતિના ખળભળાટ વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે CM ગેહલોતે અધ્યક્ષ બનતા પહેલા જ ગાંધી પરિવારને પડકાર ફેંક્યો છે. 82 જેટલા ધારાસભ્યોને ભેગા કરીને રાજીનામાનો ખેલ શરૂ. કરી દેવાયો છે. તેનો હેતુ માત્ર એક સચિન પાયલટને મુખ્યમંત્રી ન બનવા દેવાનો છે.


કોંગ્રેસ હાઈકમાન્ડનું નાક દબાવી રહ્યા છે અશોક ગેહલોત

સ્થાનિક સૂત્રોના મારફતેથી જાણવા મળી રહ્યું છે કે અશોક ગેહલોત દિલ્લીમાં બેઠેલી કોંગ્રેસ હાઈકમાન્ડનું નાક દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અશોક ગેહલોતને ગાદી છોડ્યા બાદ પોતાના વ્યક્તિને રાજસ્થાનના મુખ્યમંત્રી પદે બિરાજવાનો પ્રયાસ છે. જો સચીન પાયલટ રાજસ્થાનના મુખ્યમંત્રી બની જાય તો અશોક ગેહલોતનો રાજસ્થાન પરથી કંટ્રોલ હટી જશે. પોતાનું બનાવેલું ઘર અશોક ગેહલોત પોતાના જ હાથે તોડવા નથી માગતા આથી તેઓ પ્રેશર ટેક્નિકનો ઉપયોગ કરી રહ્યા છે. 


સમાચાર અપડેટ થઈ રહ્યા છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.