આશ્રમશાળાના શિક્ષકોએ જૂની માગો સાથે ગાંધીનગરમાં વિરોધ નોંધાવ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 18:21:59

ચૂંટણી પહેલાનો સમય આંદોલનનો સમય હોય છે. નારાજ કર્મચારીઓ પોતાની માગ સરકાર સમક્ષ મૂકી સરકારને દબાણ કરતી હોય છે ત્યારે આશ્રમશાળાના કર્મચારીઓએ પોતાની માગ સાથે આજે ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન કર્યા હતા. 


4200 રૂપિયાના ગ્રેડ-પે મુદ્દે કર્યું વિરોધ પ્રદર્શન

આશ્રમ શાળાના શિક્ષકોએ આજે ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન કર્યા હતા. તેમની જૂની માગણીઓ સાથે તેમણે ગાંધીનગરમાં વિરોધ નોંધાવ્યો હતો. ગાંધી જયંતી હોવાના કારણે રામધૂન ગાઈ વિરોધ નોંધાવ્યો હતો. તેમની માગણી હતી કે અન્ય સરકારી કર્મચારીઓને ગ્રેડપેનો લાભ મળ્યો છે તો આશ્રમશાળાના શિક્ષકોને પણ સાતમા પગાર પંચનો અને ગ્રેડપેનો લાભ મળવો જોઈએ. પોતાનો રોષ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે તેમની નોકરી 24 કલાકની હોય છે. છોકરાઓને ભણાવવા સિવાય તેમને હોસ્ટેલમાં ગૃહમાતા અને ગૃહ પિતા તરીકે પણ સેવા આપવી પડે છે જેનું વેતન પણ નજીવું હોય છે.  ગૃહમાતા કે ગૃહપિતાને હોસ્ટેલ સંભાળવા માટે 30 રૂપિયાનું ભથ્થું મળતું હોય છે. પોતાનો રોષ સરકાર સામે ઠાલવતા આંદોલનકારીઓએ જણાવ્યું હતું કે, કાં તો અમારૂ ભથ્થું વધારો અથવા 30 રૂપિયા પણ ના આપો. આંદોલનકારીઓના જણાવ્યા મુજબ તેમને 1986થી 30 રૂપિયાનું જ ભથ્થું મળે છે તેને વધારવા મામલે સરકાર સાથે અનેકવાર બેઠકો કરી પરંતુ યોગ્ય નિર્ણય નહીં આવતા સરકાર સામે રોષ વ્યક્ત કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમની માગણી છે કે જો સરકારને ભથ્થું ના વધારવું હોય તો ગૃહમાતા અને ગૃહપિતાની અલગથી નિમણૂક કરો જેથી શિક્ષકોને માત્ર અભ્યાસનું જ કામ રહે.


પોલીસે ગૃહપતિ-ગૃહમાતાઓની અટકાયત કરી

ગાંધીનગર પોલીસને કોઈ પ્રકારની જાણ કર્યા વગર કે અનુમતિ વગર આશ્રમશાળાના શિક્ષકો વિરોધ નોંધાવતા પોલીસે તેમની અટકાયત કરી હતી. જો કે તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી અમારી માગણી નહીં સંતોષાય ત્યાં સુધી અમે ગાંધીનગર નથી છોડવાના.


ચૂંટણી નજીક આવતા અનેક પ્રકારના લોકો, સંઘો, ગ્રુપ અને સમાજો ગુજરાત સરકાર સામે પોતાની માગણીઓનો વરસાદ કર્યો હતો. જેમાં ગુજરાત સરકારે તેમની એક-બે માગ સંતોષી અથવા અમુક પક્ષોની લગભગ પૂરતી બધી માગ સંતોષી મામલો ચૂંટણી અને આચાર સંહિતા લાગે તે પહેલા પૂર્ણ કર્યો હતો. ચૂંટણીનો સમય હોવાના કારણે અનેક સરકારી અને બિનસરકારી પોતાની માગણીઓ સાથે સરકારનો કાન મરોડી રહ્યા છે ત્યારે ગાંધી જયંતીના દિવસે આશ્રમશાળાના શિક્ષકો પણ મેદાને આવ્યા છે. હવે સરકાર તેમને સાંભળે છે કે તેમની અટકાયત બાદ મુદ્દો શાંત પડી જશે તે જોવાનું રહેશે.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.