આશ્રમશાળાના શિક્ષકોએ જૂની માગો સાથે ગાંધીનગરમાં વિરોધ નોંધાવ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 18:21:59

ચૂંટણી પહેલાનો સમય આંદોલનનો સમય હોય છે. નારાજ કર્મચારીઓ પોતાની માગ સરકાર સમક્ષ મૂકી સરકારને દબાણ કરતી હોય છે ત્યારે આશ્રમશાળાના કર્મચારીઓએ પોતાની માગ સાથે આજે ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન કર્યા હતા. 


4200 રૂપિયાના ગ્રેડ-પે મુદ્દે કર્યું વિરોધ પ્રદર્શન

આશ્રમ શાળાના શિક્ષકોએ આજે ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન કર્યા હતા. તેમની જૂની માગણીઓ સાથે તેમણે ગાંધીનગરમાં વિરોધ નોંધાવ્યો હતો. ગાંધી જયંતી હોવાના કારણે રામધૂન ગાઈ વિરોધ નોંધાવ્યો હતો. તેમની માગણી હતી કે અન્ય સરકારી કર્મચારીઓને ગ્રેડપેનો લાભ મળ્યો છે તો આશ્રમશાળાના શિક્ષકોને પણ સાતમા પગાર પંચનો અને ગ્રેડપેનો લાભ મળવો જોઈએ. પોતાનો રોષ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે તેમની નોકરી 24 કલાકની હોય છે. છોકરાઓને ભણાવવા સિવાય તેમને હોસ્ટેલમાં ગૃહમાતા અને ગૃહ પિતા તરીકે પણ સેવા આપવી પડે છે જેનું વેતન પણ નજીવું હોય છે.  ગૃહમાતા કે ગૃહપિતાને હોસ્ટેલ સંભાળવા માટે 30 રૂપિયાનું ભથ્થું મળતું હોય છે. પોતાનો રોષ સરકાર સામે ઠાલવતા આંદોલનકારીઓએ જણાવ્યું હતું કે, કાં તો અમારૂ ભથ્થું વધારો અથવા 30 રૂપિયા પણ ના આપો. આંદોલનકારીઓના જણાવ્યા મુજબ તેમને 1986થી 30 રૂપિયાનું જ ભથ્થું મળે છે તેને વધારવા મામલે સરકાર સાથે અનેકવાર બેઠકો કરી પરંતુ યોગ્ય નિર્ણય નહીં આવતા સરકાર સામે રોષ વ્યક્ત કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમની માગણી છે કે જો સરકારને ભથ્થું ના વધારવું હોય તો ગૃહમાતા અને ગૃહપિતાની અલગથી નિમણૂક કરો જેથી શિક્ષકોને માત્ર અભ્યાસનું જ કામ રહે.


પોલીસે ગૃહપતિ-ગૃહમાતાઓની અટકાયત કરી

ગાંધીનગર પોલીસને કોઈ પ્રકારની જાણ કર્યા વગર કે અનુમતિ વગર આશ્રમશાળાના શિક્ષકો વિરોધ નોંધાવતા પોલીસે તેમની અટકાયત કરી હતી. જો કે તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી અમારી માગણી નહીં સંતોષાય ત્યાં સુધી અમે ગાંધીનગર નથી છોડવાના.


ચૂંટણી નજીક આવતા અનેક પ્રકારના લોકો, સંઘો, ગ્રુપ અને સમાજો ગુજરાત સરકાર સામે પોતાની માગણીઓનો વરસાદ કર્યો હતો. જેમાં ગુજરાત સરકારે તેમની એક-બે માગ સંતોષી અથવા અમુક પક્ષોની લગભગ પૂરતી બધી માગ સંતોષી મામલો ચૂંટણી અને આચાર સંહિતા લાગે તે પહેલા પૂર્ણ કર્યો હતો. ચૂંટણીનો સમય હોવાના કારણે અનેક સરકારી અને બિનસરકારી પોતાની માગણીઓ સાથે સરકારનો કાન મરોડી રહ્યા છે ત્યારે ગાંધી જયંતીના દિવસે આશ્રમશાળાના શિક્ષકો પણ મેદાને આવ્યા છે. હવે સરકાર તેમને સાંભળે છે કે તેમની અટકાયત બાદ મુદ્દો શાંત પડી જશે તે જોવાનું રહેશે.




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે