વિપક્ષી નેતાના ફોન હેકિંગ મામલે Ashwini vaishnawએ આપ્યો જવાબ, આરોપને પાયા વિહોણા ગણાવતા કહી આ વાત...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-31 16:34:34

વિપક્ષી નેતાઓના ફોન હેક કરવાની કોશિશ સરકારે કરી છે તેવા આરોપ અનેક નેતાઓ દ્વારા લગાવવામાં આવ્યા છે. એપલ કંપની દ્વારા નેતાઓને એલર્ટ મેસેજ આપવામાં આવ્યો કે તેમના ફોનને અને તેમના ઈમેલને હેક કરવાની કોશિશ કરવામાં આવી છે. આ લિસ્ટમાં કોંગ્રેસના અનેક નેતાઓ, આમ આદમી પાર્ટીના સાંસદ, અખિલેશ યાદવ સહિત અનેક નેતાઓના નામ સામેલ હતા. આ બાદ રાજકારણ ગરમાયું છે. સરકારને ઘેરવાનો પ્રયાસ વિપક્ષ દ્વારા તેમજ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યો છે. અદાણી મુદ્દે સરકાર પર રાહુલ ગાંધીએ પ્રહાર કર્યા છે. તો બીજી તરફ કેન્દ્રીય Telecommunication Minister અશ્વિની વૈષ્ણવે સરકાર વતી જવાબ આપ્યો છે.

અશ્વિની વૈષ્ણવે વિપક્ષના આરોપને નિરાધાર ગણાવ્યા 

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જવાબ આપતા આ વાતને વખોળી છે! સરકાર પર લગાવામાં આવતા આરોપનો જવાબ તેમણે આપ્યો છે. જવાબ આપતા તેમણે કહ્યું કે જ્યારે વિપક્ષ પાસે કોઈ મુદ્દો ન હોય ત્યારે જાસુસીનો આરોપ લગાવી દેવામાં આવે છે. વિપક્ષનો આરોપ નિરાધાર છે. તેમણે કહ્યું કે આ મામલે તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. આપણા કેટલાક ટીકાકારો એવા છે જે હંમેશા ખોટા આક્ષેપો કરતા રહે છે. તેઓ દેશની પ્રગતિ નથી ઈચ્છતા. 


  

વિપક્ષી નેતાઓનો શું છે દાવો?

દેશમાં વિપક્ષી નેતાઓ દાવો કરી રહ્યા છે કે તેમના ફોનને અને તેમના ઈમેલને હેક કરવાની કોશિશ કરવામાં આવી. નેતાઓનો દાવો છે કે ફોન બનાવનાર કંપની તરફથી તેમને એક ચેતવણી રૂપ એલર્ટ આપવામાં આવ્યું છે કે તેમના ફોનને હેક કરવાની કોશિશ કરવામાં આવી છે. એ એલર્ટમાં તેમને ચેતવણી આપવામાં આવી છે સરકાર તેમના ફોન હેક કરવાનો પ્રયાસ કરી રહી છે. અનેક વિપક્ષી નેતાઓએ ટ્વિટ કરી આ અંગેની જાણકારી આપી છે. ટીએમસી નેતા મહુઆ મોઈત્રા, કોંગ્રેસના નેતા શરીર થરૂર, પવન ખેરા તેમજ શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ તેમના ફોનના આવા સ્ક્રીનશોટ શેર કર્યો છે. તે ઉપરાંત એવી પણ માહિતી સામે આવી છે કે આવો મેસેજ આપના સાંસદ રાઘવ ચઢ્ઢા, સપાના અખિલેશ યાદવને પણ આવ્યો છે. 



પીએમ મોદી ગઈકાલથી ગુજરાતમાં છે. ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદીએ પ્રચાર કર્યો છે. ત્યારે જામનગરમાં તેમણે પ્રચાર કર્યો હતો. સભા પહેલા તે જામસાહેબને મળવા પહોંચ્યા હતા.

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટિકીટ આપવામાં આવી છે તો ઈન્ડિયા ગઠબંધન દ્વારા ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. ત્યારે જમાવટની ટીમે બંને ઉમેદવારને ફોન કરવામાં આવ્યો અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમય આપણે એટલો બધો વિતાવીએ છીએ કે આપણને ખબર નથી હોતી. મોબાઈલમાં આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને આસપાસ શું થાય છે તેની ખબર નથી હોતી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયાની દુનિયાને સમર્પિત રચના..

ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.. ત્યારે રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. પોરબંદર, ભાવનગર, દીવ, કચ્છ, વલસાડ, કચ્છ, મોરબી, જામનગર સહિતના ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.