વિપક્ષી નેતાના ફોન હેકિંગ મામલે Ashwini vaishnawએ આપ્યો જવાબ, આરોપને પાયા વિહોણા ગણાવતા કહી આ વાત...


  • Published By :
  • Published Date : 2023-10-31 16:34:34

વિપક્ષી નેતાઓના ફોન હેક કરવાની કોશિશ સરકારે કરી છે તેવા આરોપ અનેક નેતાઓ દ્વારા લગાવવામાં આવ્યા છે. એપલ કંપની દ્વારા નેતાઓને એલર્ટ મેસેજ આપવામાં આવ્યો કે તેમના ફોનને અને તેમના ઈમેલને હેક કરવાની કોશિશ કરવામાં આવી છે. આ લિસ્ટમાં કોંગ્રેસના અનેક નેતાઓ, આમ આદમી પાર્ટીના સાંસદ, અખિલેશ યાદવ સહિત અનેક નેતાઓના નામ સામેલ હતા. આ બાદ રાજકારણ ગરમાયું છે. સરકારને ઘેરવાનો પ્રયાસ વિપક્ષ દ્વારા તેમજ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યો છે. અદાણી મુદ્દે સરકાર પર રાહુલ ગાંધીએ પ્રહાર કર્યા છે. તો બીજી તરફ કેન્દ્રીય Telecommunication Minister અશ્વિની વૈષ્ણવે સરકાર વતી જવાબ આપ્યો છે.

અશ્વિની વૈષ્ણવે વિપક્ષના આરોપને નિરાધાર ગણાવ્યા 

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જવાબ આપતા આ વાતને વખોળી છે! સરકાર પર લગાવામાં આવતા આરોપનો જવાબ તેમણે આપ્યો છે. જવાબ આપતા તેમણે કહ્યું કે જ્યારે વિપક્ષ પાસે કોઈ મુદ્દો ન હોય ત્યારે જાસુસીનો આરોપ લગાવી દેવામાં આવે છે. વિપક્ષનો આરોપ નિરાધાર છે. તેમણે કહ્યું કે આ મામલે તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. આપણા કેટલાક ટીકાકારો એવા છે જે હંમેશા ખોટા આક્ષેપો કરતા રહે છે. તેઓ દેશની પ્રગતિ નથી ઈચ્છતા. 


  

વિપક્ષી નેતાઓનો શું છે દાવો?

દેશમાં વિપક્ષી નેતાઓ દાવો કરી રહ્યા છે કે તેમના ફોનને અને તેમના ઈમેલને હેક કરવાની કોશિશ કરવામાં આવી. નેતાઓનો દાવો છે કે ફોન બનાવનાર કંપની તરફથી તેમને એક ચેતવણી રૂપ એલર્ટ આપવામાં આવ્યું છે કે તેમના ફોનને હેક કરવાની કોશિશ કરવામાં આવી છે. એ એલર્ટમાં તેમને ચેતવણી આપવામાં આવી છે સરકાર તેમના ફોન હેક કરવાનો પ્રયાસ કરી રહી છે. અનેક વિપક્ષી નેતાઓએ ટ્વિટ કરી આ અંગેની જાણકારી આપી છે. ટીએમસી નેતા મહુઆ મોઈત્રા, કોંગ્રેસના નેતા શરીર થરૂર, પવન ખેરા તેમજ શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ તેમના ફોનના આવા સ્ક્રીનશોટ શેર કર્યો છે. તે ઉપરાંત એવી પણ માહિતી સામે આવી છે કે આવો મેસેજ આપના સાંસદ રાઘવ ચઢ્ઢા, સપાના અખિલેશ યાદવને પણ આવ્યો છે. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.