વિપક્ષી નેતાના ફોન હેકિંગ મામલે Ashwini vaishnawએ આપ્યો જવાબ, આરોપને પાયા વિહોણા ગણાવતા કહી આ વાત...


  • Published By :
  • Published Date : 2023-10-31 16:34:34

વિપક્ષી નેતાઓના ફોન હેક કરવાની કોશિશ સરકારે કરી છે તેવા આરોપ અનેક નેતાઓ દ્વારા લગાવવામાં આવ્યા છે. એપલ કંપની દ્વારા નેતાઓને એલર્ટ મેસેજ આપવામાં આવ્યો કે તેમના ફોનને અને તેમના ઈમેલને હેક કરવાની કોશિશ કરવામાં આવી છે. આ લિસ્ટમાં કોંગ્રેસના અનેક નેતાઓ, આમ આદમી પાર્ટીના સાંસદ, અખિલેશ યાદવ સહિત અનેક નેતાઓના નામ સામેલ હતા. આ બાદ રાજકારણ ગરમાયું છે. સરકારને ઘેરવાનો પ્રયાસ વિપક્ષ દ્વારા તેમજ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યો છે. અદાણી મુદ્દે સરકાર પર રાહુલ ગાંધીએ પ્રહાર કર્યા છે. તો બીજી તરફ કેન્દ્રીય Telecommunication Minister અશ્વિની વૈષ્ણવે સરકાર વતી જવાબ આપ્યો છે.

અશ્વિની વૈષ્ણવે વિપક્ષના આરોપને નિરાધાર ગણાવ્યા 

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જવાબ આપતા આ વાતને વખોળી છે! સરકાર પર લગાવામાં આવતા આરોપનો જવાબ તેમણે આપ્યો છે. જવાબ આપતા તેમણે કહ્યું કે જ્યારે વિપક્ષ પાસે કોઈ મુદ્દો ન હોય ત્યારે જાસુસીનો આરોપ લગાવી દેવામાં આવે છે. વિપક્ષનો આરોપ નિરાધાર છે. તેમણે કહ્યું કે આ મામલે તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. આપણા કેટલાક ટીકાકારો એવા છે જે હંમેશા ખોટા આક્ષેપો કરતા રહે છે. તેઓ દેશની પ્રગતિ નથી ઈચ્છતા. 


  

વિપક્ષી નેતાઓનો શું છે દાવો?

દેશમાં વિપક્ષી નેતાઓ દાવો કરી રહ્યા છે કે તેમના ફોનને અને તેમના ઈમેલને હેક કરવાની કોશિશ કરવામાં આવી. નેતાઓનો દાવો છે કે ફોન બનાવનાર કંપની તરફથી તેમને એક ચેતવણી રૂપ એલર્ટ આપવામાં આવ્યું છે કે તેમના ફોનને હેક કરવાની કોશિશ કરવામાં આવી છે. એ એલર્ટમાં તેમને ચેતવણી આપવામાં આવી છે સરકાર તેમના ફોન હેક કરવાનો પ્રયાસ કરી રહી છે. અનેક વિપક્ષી નેતાઓએ ટ્વિટ કરી આ અંગેની જાણકારી આપી છે. ટીએમસી નેતા મહુઆ મોઈત્રા, કોંગ્રેસના નેતા શરીર થરૂર, પવન ખેરા તેમજ શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ તેમના ફોનના આવા સ્ક્રીનશોટ શેર કર્યો છે. તે ઉપરાંત એવી પણ માહિતી સામે આવી છે કે આવો મેસેજ આપના સાંસદ રાઘવ ચઢ્ઢા, સપાના અખિલેશ યાદવને પણ આવ્યો છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.