સફળતા મળી જાય પછી સંઘર્ષ કરનાર લોકો ક્યાં યાદ રહે છે!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 16:38:35

સફળતા મળી જાય પછી સંઘર્ષ કરનાર લોકો ક્યાં યાદ રહે છે!

ગુજરાત પોલીસે એક જવાન ખોયો, સંઘર્ષ કરતા કરતા લોકો અચાનક મૃત્યુ પામે, અને પછી બધા લોકો યાદોમાં તસવીરો મુકે પણ એ માણસ પર જીવન દરમ્યાન શું વિતતી હોય છે એ તો એ જ જાણતો હોય છે.


ગુજરાત પોલીસની લડાઈની પરીક્ષા ગ્રેડ પેનો સંઘર્ષ

ગુજરાત પોલીસ લડી અને દમથી પોતાની પરવાહ કર્યા વગર અનેક લોકો મેદાનમાં કુદ્યા, આ લોકોને ખબર હતી કે સરકાર એમની સામે પગલા લેશે પણ અકળામણ એટલી હતી કે કંઈ કર્યા વિના રહી શકાય એમ નહોતું, માત્ર સવાલ વર્તમાન સરકાર સામે જ નહોતો, સવાલ વર્ષોથી ચાલી આવેલી એ સિસ્ટમ સામે હતો જ્યાં આખી દુનિયા બદલાઈ ગઈ પણ એમનો પગાર નહોતો બદલાયો, સિસ્ટમ એમને માણસ નહોતી ગણતી, મજૂરી કરાવ્યે જતી હતી અને એ પણ વળતર ચુકવ્યા વગર, ત્યારે હાર્દિક દુર્ગાશંક પંડ્યા નામના કૉન્સ્ટેબલ વિધાનસભાની બહાર યુનિફોર્મ સાથે ધરણા પર બેઠા અને પોતાની વાત કરતા કરતા રડી પડ્યા...આ થયું ત્યારે સામાન્ય માણસને અહેસાસ થયો કે પોલીસ કઈ પરિસ્થિતિમાં જીવી રહી છે. એ પછી નિલમ મકવાણા નામે કોન્સ્ટેબલ સામે આવ્યા, જે ડિબેટમાં ગયા, ઉપવાસ કર્યા, ગાંધીનગર ગયા તો અધિકારીઓએ ખરાબ વર્તન કર્યુ, લાફા ઝીંકી દીધા, પોલીસ જ પોલીસનું રૂપ જોઈ રહી હતી, પણ છતાંય આ લોકો લડતા રહ્યા, આમાંથી જ એક નામ હતુ શૈલેષ રાવલ, શૈલેષભાઈની સુરેન્દ્રનગરથી દ્વારકા બદલી થઈ પછી અંબાજી પણ થઈ, સરકારે ખૈરાત આપી હોય એમ પગાર વધારો જાહેર તો કર્યો પણ રાજ્યના 24 લોકો જેમની બદલી કે સસ્પેન્ડ કર્યા હતા એમને પાછા ના લીધા, શૈલેષ રાવલ પણ છેક સુધી ટ્રાન્સફર માટે સંઘર્ષ કરતા રહ્યા, પણ 15મી ઓક્ટોબરે એમને હાર્ટ એટેક આવ્યો અને મૃત્યુ પામ્યા.


નિલમ મકવાણાએ કહ્યું આજે શૈલેષભાઈ છે કાલે નિલમ હશે!

આ ઘટના પછી અમને કૉન્સ્ટેબલ નિલમ મકવાણાનો કોલ આવ્યો ત્યારે એ રડતાં હતા અને કહેતા હતા કે પોલીસ આમ જ પોતાનો હક માગતા-માગતા મરી જવાની છે, ગુજરાતના લાખો પોલીસ કર્મચારીઓ આજે પગાર વધારો મળતા ખુશ છે પણ જે લોકો આના માટે લડ્યા હતા એ લોકો તો નોકરી વગર કાં તો વતનથી એકદમ દુર કોઈ ખુણામાં જઈને પડ્યા છે, હવે એ લોકો સરકાર પર દબાણ નથી લાવી શકવાના કેમ કે હવે એ આંગળીના વેઢે ગણાય એટલા સિમિત લોકો છે અને એમનો અવાજ કોઈ બુલંદ નથી કરવાનું....કદાચ આવુ જોઈને જ લોકો ન્યાય માટે લડતા નથી. કેમ કે લડવા વાળા તો છેલ્લે એકલા જ રહી જાય છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .