સફળતા મળી જાય પછી સંઘર્ષ કરનાર લોકો ક્યાં યાદ રહે છે!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 16:38:35

સફળતા મળી જાય પછી સંઘર્ષ કરનાર લોકો ક્યાં યાદ રહે છે!

ગુજરાત પોલીસે એક જવાન ખોયો, સંઘર્ષ કરતા કરતા લોકો અચાનક મૃત્યુ પામે, અને પછી બધા લોકો યાદોમાં તસવીરો મુકે પણ એ માણસ પર જીવન દરમ્યાન શું વિતતી હોય છે એ તો એ જ જાણતો હોય છે.


ગુજરાત પોલીસની લડાઈની પરીક્ષા ગ્રેડ પેનો સંઘર્ષ

ગુજરાત પોલીસ લડી અને દમથી પોતાની પરવાહ કર્યા વગર અનેક લોકો મેદાનમાં કુદ્યા, આ લોકોને ખબર હતી કે સરકાર એમની સામે પગલા લેશે પણ અકળામણ એટલી હતી કે કંઈ કર્યા વિના રહી શકાય એમ નહોતું, માત્ર સવાલ વર્તમાન સરકાર સામે જ નહોતો, સવાલ વર્ષોથી ચાલી આવેલી એ સિસ્ટમ સામે હતો જ્યાં આખી દુનિયા બદલાઈ ગઈ પણ એમનો પગાર નહોતો બદલાયો, સિસ્ટમ એમને માણસ નહોતી ગણતી, મજૂરી કરાવ્યે જતી હતી અને એ પણ વળતર ચુકવ્યા વગર, ત્યારે હાર્દિક દુર્ગાશંક પંડ્યા નામના કૉન્સ્ટેબલ વિધાનસભાની બહાર યુનિફોર્મ સાથે ધરણા પર બેઠા અને પોતાની વાત કરતા કરતા રડી પડ્યા...આ થયું ત્યારે સામાન્ય માણસને અહેસાસ થયો કે પોલીસ કઈ પરિસ્થિતિમાં જીવી રહી છે. એ પછી નિલમ મકવાણા નામે કોન્સ્ટેબલ સામે આવ્યા, જે ડિબેટમાં ગયા, ઉપવાસ કર્યા, ગાંધીનગર ગયા તો અધિકારીઓએ ખરાબ વર્તન કર્યુ, લાફા ઝીંકી દીધા, પોલીસ જ પોલીસનું રૂપ જોઈ રહી હતી, પણ છતાંય આ લોકો લડતા રહ્યા, આમાંથી જ એક નામ હતુ શૈલેષ રાવલ, શૈલેષભાઈની સુરેન્દ્રનગરથી દ્વારકા બદલી થઈ પછી અંબાજી પણ થઈ, સરકારે ખૈરાત આપી હોય એમ પગાર વધારો જાહેર તો કર્યો પણ રાજ્યના 24 લોકો જેમની બદલી કે સસ્પેન્ડ કર્યા હતા એમને પાછા ના લીધા, શૈલેષ રાવલ પણ છેક સુધી ટ્રાન્સફર માટે સંઘર્ષ કરતા રહ્યા, પણ 15મી ઓક્ટોબરે એમને હાર્ટ એટેક આવ્યો અને મૃત્યુ પામ્યા.


નિલમ મકવાણાએ કહ્યું આજે શૈલેષભાઈ છે કાલે નિલમ હશે!

આ ઘટના પછી અમને કૉન્સ્ટેબલ નિલમ મકવાણાનો કોલ આવ્યો ત્યારે એ રડતાં હતા અને કહેતા હતા કે પોલીસ આમ જ પોતાનો હક માગતા-માગતા મરી જવાની છે, ગુજરાતના લાખો પોલીસ કર્મચારીઓ આજે પગાર વધારો મળતા ખુશ છે પણ જે લોકો આના માટે લડ્યા હતા એ લોકો તો નોકરી વગર કાં તો વતનથી એકદમ દુર કોઈ ખુણામાં જઈને પડ્યા છે, હવે એ લોકો સરકાર પર દબાણ નથી લાવી શકવાના કેમ કે હવે એ આંગળીના વેઢે ગણાય એટલા સિમિત લોકો છે અને એમનો અવાજ કોઈ બુલંદ નથી કરવાનું....કદાચ આવુ જોઈને જ લોકો ન્યાય માટે લડતા નથી. કેમ કે લડવા વાળા તો છેલ્લે એકલા જ રહી જાય છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.