સફળતા મળી જાય પછી સંઘર્ષ કરનાર લોકો ક્યાં યાદ રહે છે!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 16:38:35

સફળતા મળી જાય પછી સંઘર્ષ કરનાર લોકો ક્યાં યાદ રહે છે!

ગુજરાત પોલીસે એક જવાન ખોયો, સંઘર્ષ કરતા કરતા લોકો અચાનક મૃત્યુ પામે, અને પછી બધા લોકો યાદોમાં તસવીરો મુકે પણ એ માણસ પર જીવન દરમ્યાન શું વિતતી હોય છે એ તો એ જ જાણતો હોય છે.


ગુજરાત પોલીસની લડાઈની પરીક્ષા ગ્રેડ પેનો સંઘર્ષ

ગુજરાત પોલીસ લડી અને દમથી પોતાની પરવાહ કર્યા વગર અનેક લોકો મેદાનમાં કુદ્યા, આ લોકોને ખબર હતી કે સરકાર એમની સામે પગલા લેશે પણ અકળામણ એટલી હતી કે કંઈ કર્યા વિના રહી શકાય એમ નહોતું, માત્ર સવાલ વર્તમાન સરકાર સામે જ નહોતો, સવાલ વર્ષોથી ચાલી આવેલી એ સિસ્ટમ સામે હતો જ્યાં આખી દુનિયા બદલાઈ ગઈ પણ એમનો પગાર નહોતો બદલાયો, સિસ્ટમ એમને માણસ નહોતી ગણતી, મજૂરી કરાવ્યે જતી હતી અને એ પણ વળતર ચુકવ્યા વગર, ત્યારે હાર્દિક દુર્ગાશંક પંડ્યા નામના કૉન્સ્ટેબલ વિધાનસભાની બહાર યુનિફોર્મ સાથે ધરણા પર બેઠા અને પોતાની વાત કરતા કરતા રડી પડ્યા...આ થયું ત્યારે સામાન્ય માણસને અહેસાસ થયો કે પોલીસ કઈ પરિસ્થિતિમાં જીવી રહી છે. એ પછી નિલમ મકવાણા નામે કોન્સ્ટેબલ સામે આવ્યા, જે ડિબેટમાં ગયા, ઉપવાસ કર્યા, ગાંધીનગર ગયા તો અધિકારીઓએ ખરાબ વર્તન કર્યુ, લાફા ઝીંકી દીધા, પોલીસ જ પોલીસનું રૂપ જોઈ રહી હતી, પણ છતાંય આ લોકો લડતા રહ્યા, આમાંથી જ એક નામ હતુ શૈલેષ રાવલ, શૈલેષભાઈની સુરેન્દ્રનગરથી દ્વારકા બદલી થઈ પછી અંબાજી પણ થઈ, સરકારે ખૈરાત આપી હોય એમ પગાર વધારો જાહેર તો કર્યો પણ રાજ્યના 24 લોકો જેમની બદલી કે સસ્પેન્ડ કર્યા હતા એમને પાછા ના લીધા, શૈલેષ રાવલ પણ છેક સુધી ટ્રાન્સફર માટે સંઘર્ષ કરતા રહ્યા, પણ 15મી ઓક્ટોબરે એમને હાર્ટ એટેક આવ્યો અને મૃત્યુ પામ્યા.


નિલમ મકવાણાએ કહ્યું આજે શૈલેષભાઈ છે કાલે નિલમ હશે!

આ ઘટના પછી અમને કૉન્સ્ટેબલ નિલમ મકવાણાનો કોલ આવ્યો ત્યારે એ રડતાં હતા અને કહેતા હતા કે પોલીસ આમ જ પોતાનો હક માગતા-માગતા મરી જવાની છે, ગુજરાતના લાખો પોલીસ કર્મચારીઓ આજે પગાર વધારો મળતા ખુશ છે પણ જે લોકો આના માટે લડ્યા હતા એ લોકો તો નોકરી વગર કાં તો વતનથી એકદમ દુર કોઈ ખુણામાં જઈને પડ્યા છે, હવે એ લોકો સરકાર પર દબાણ નથી લાવી શકવાના કેમ કે હવે એ આંગળીના વેઢે ગણાય એટલા સિમિત લોકો છે અને એમનો અવાજ કોઈ બુલંદ નથી કરવાનું....કદાચ આવુ જોઈને જ લોકો ન્યાય માટે લડતા નથી. કેમ કે લડવા વાળા તો છેલ્લે એકલા જ રહી જાય છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.