સફળતા મળી જાય પછી સંઘર્ષ કરનાર લોકો ક્યાં યાદ રહે છે!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 16:38:35

સફળતા મળી જાય પછી સંઘર્ષ કરનાર લોકો ક્યાં યાદ રહે છે!

ગુજરાત પોલીસે એક જવાન ખોયો, સંઘર્ષ કરતા કરતા લોકો અચાનક મૃત્યુ પામે, અને પછી બધા લોકો યાદોમાં તસવીરો મુકે પણ એ માણસ પર જીવન દરમ્યાન શું વિતતી હોય છે એ તો એ જ જાણતો હોય છે.


ગુજરાત પોલીસની લડાઈની પરીક્ષા ગ્રેડ પેનો સંઘર્ષ

ગુજરાત પોલીસ લડી અને દમથી પોતાની પરવાહ કર્યા વગર અનેક લોકો મેદાનમાં કુદ્યા, આ લોકોને ખબર હતી કે સરકાર એમની સામે પગલા લેશે પણ અકળામણ એટલી હતી કે કંઈ કર્યા વિના રહી શકાય એમ નહોતું, માત્ર સવાલ વર્તમાન સરકાર સામે જ નહોતો, સવાલ વર્ષોથી ચાલી આવેલી એ સિસ્ટમ સામે હતો જ્યાં આખી દુનિયા બદલાઈ ગઈ પણ એમનો પગાર નહોતો બદલાયો, સિસ્ટમ એમને માણસ નહોતી ગણતી, મજૂરી કરાવ્યે જતી હતી અને એ પણ વળતર ચુકવ્યા વગર, ત્યારે હાર્દિક દુર્ગાશંક પંડ્યા નામના કૉન્સ્ટેબલ વિધાનસભાની બહાર યુનિફોર્મ સાથે ધરણા પર બેઠા અને પોતાની વાત કરતા કરતા રડી પડ્યા...આ થયું ત્યારે સામાન્ય માણસને અહેસાસ થયો કે પોલીસ કઈ પરિસ્થિતિમાં જીવી રહી છે. એ પછી નિલમ મકવાણા નામે કોન્સ્ટેબલ સામે આવ્યા, જે ડિબેટમાં ગયા, ઉપવાસ કર્યા, ગાંધીનગર ગયા તો અધિકારીઓએ ખરાબ વર્તન કર્યુ, લાફા ઝીંકી દીધા, પોલીસ જ પોલીસનું રૂપ જોઈ રહી હતી, પણ છતાંય આ લોકો લડતા રહ્યા, આમાંથી જ એક નામ હતુ શૈલેષ રાવલ, શૈલેષભાઈની સુરેન્દ્રનગરથી દ્વારકા બદલી થઈ પછી અંબાજી પણ થઈ, સરકારે ખૈરાત આપી હોય એમ પગાર વધારો જાહેર તો કર્યો પણ રાજ્યના 24 લોકો જેમની બદલી કે સસ્પેન્ડ કર્યા હતા એમને પાછા ના લીધા, શૈલેષ રાવલ પણ છેક સુધી ટ્રાન્સફર માટે સંઘર્ષ કરતા રહ્યા, પણ 15મી ઓક્ટોબરે એમને હાર્ટ એટેક આવ્યો અને મૃત્યુ પામ્યા.


નિલમ મકવાણાએ કહ્યું આજે શૈલેષભાઈ છે કાલે નિલમ હશે!

આ ઘટના પછી અમને કૉન્સ્ટેબલ નિલમ મકવાણાનો કોલ આવ્યો ત્યારે એ રડતાં હતા અને કહેતા હતા કે પોલીસ આમ જ પોતાનો હક માગતા-માગતા મરી જવાની છે, ગુજરાતના લાખો પોલીસ કર્મચારીઓ આજે પગાર વધારો મળતા ખુશ છે પણ જે લોકો આના માટે લડ્યા હતા એ લોકો તો નોકરી વગર કાં તો વતનથી એકદમ દુર કોઈ ખુણામાં જઈને પડ્યા છે, હવે એ લોકો સરકાર પર દબાણ નથી લાવી શકવાના કેમ કે હવે એ આંગળીના વેઢે ગણાય એટલા સિમિત લોકો છે અને એમનો અવાજ કોઈ બુલંદ નથી કરવાનું....કદાચ આવુ જોઈને જ લોકો ન્યાય માટે લડતા નથી. કેમ કે લડવા વાળા તો છેલ્લે એકલા જ રહી જાય છે.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"