નવસારીના ચકચારી લવ જેહાદ કેસના આરોપી અસીમ શેખનું પોલીસે કાઢ્યું સરઘસ, લોકોએ પોલીસની કામગીરીની કરી પ્રશંસા


  • Published By :
  • Published Date : 2023-07-05 19:42:38

નવસારીમાં હિંદૂ સગીરાને લગ્નની લાલચ આપી અને ફોસલાવીને અનેક વાર દુષ્કર્મ આચરનારો અસીમ નિઝામમિયા શેખ નામનો યુવક અંતે ઝડપાઈ ગયો છે. નવસારીના ખેરગામમાં ચકચાર મચાવી દેનારા લવ જેહાદ કેસના મુખ્ય આરોપી અસીમ શેખનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. જિલ્લા પોલીસ દ્વારા કડક પોલીસ બંદોબસ્ત સાથે ખેરગામ બજારમાં આરોપી અસીમનું સરઘસ કાઢવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં લોકો તે જોવા માટે ઉમટ્યા હતા. લવ જેહાદનો આરોપી વિધર્મી અસીમ શેખ પકડાતા અને તેનું સરઘસ નિકળતા હિંદુ સંગઠનોએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. સંગઠનના કાર્યકરોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા, સ્થાનિક લોકોએ પણ પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી.


સમગ્ર મામલો શું હતો?


નવસારી જિલ્લાના ખેરગામના કુંભારવાડામાં રહેતો અસીમ નિઝામમિયા શેખ નામના યુવકે હિન્દુ સગીરાને પટાવી ફોસલાવીને અનેક વાર દુષ્કર્મ કર્યું હતું. આ મામલે ખેરગામ પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, અસીમ શેખે 2019થી એક હિન્દુ સગીર યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને તેની સાથે લગ્ન કરવાનું વચન આપીને તેનો ઉપયોગ કર્યો હતો. છોકરી તેનો બદઈરાદો જાણી જતાં તેણે તેનો વિરોધ કર્યો હતો.  જો કે અસીમે તેને ધમકાવીને મારપીટ કરી અને ઘણીવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ સમગ્ર મુદ્દે અંતે પીડિતાએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને પોલીસે આરોપીની મુંબઈથી ધરપકડ કરી હતી. મંગળવારે અસીમ શેખને કોર્ટમાં રજુ કરતા તારીખ 13 જુલાઈ સુધીના 10 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. 


આરોપી ગુનાઈત ઈતિહાસ ધરાવે છે


અસીમ શેખ હિસ્ટ્રીશીટર છે, નવસારી જિલ્લાનો માથા ભારેબુટલેગર છે. તેની સામે નવસારી, વલસાડ તેમજ સુરત શહેરમાં પ્રોહીબીશન અલગ-અલગ 14 જેટલા ગુનાઓ તથા મારામારીના ત્રણ ગુનાઓ ઉપરાંત વ્યાજખોરી બાબતનો એક ગુનો નોંધાયો છે. તેની પર કુલ 18 જેટલા ગુનાઓ નોંધાયેલ છે. જેમાં વલસાડ જિલ્લાના 05 જેટલા ગુનામાં તે હાલમાં વોન્ટેડ છે. ઉપરાંત તેના ઉપર બે વખત પાસાની કાર્યવાહી કરવામાં પણ આવેલી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.