નવસારીના ચકચારી લવ જેહાદ કેસના આરોપી અસીમ શેખનું પોલીસે કાઢ્યું સરઘસ, લોકોએ પોલીસની કામગીરીની કરી પ્રશંસા


  • Published By :
  • Published Date : 2023-07-05 19:42:38

નવસારીમાં હિંદૂ સગીરાને લગ્નની લાલચ આપી અને ફોસલાવીને અનેક વાર દુષ્કર્મ આચરનારો અસીમ નિઝામમિયા શેખ નામનો યુવક અંતે ઝડપાઈ ગયો છે. નવસારીના ખેરગામમાં ચકચાર મચાવી દેનારા લવ જેહાદ કેસના મુખ્ય આરોપી અસીમ શેખનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. જિલ્લા પોલીસ દ્વારા કડક પોલીસ બંદોબસ્ત સાથે ખેરગામ બજારમાં આરોપી અસીમનું સરઘસ કાઢવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં લોકો તે જોવા માટે ઉમટ્યા હતા. લવ જેહાદનો આરોપી વિધર્મી અસીમ શેખ પકડાતા અને તેનું સરઘસ નિકળતા હિંદુ સંગઠનોએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. સંગઠનના કાર્યકરોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા, સ્થાનિક લોકોએ પણ પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી.


સમગ્ર મામલો શું હતો?


નવસારી જિલ્લાના ખેરગામના કુંભારવાડામાં રહેતો અસીમ નિઝામમિયા શેખ નામના યુવકે હિન્દુ સગીરાને પટાવી ફોસલાવીને અનેક વાર દુષ્કર્મ કર્યું હતું. આ મામલે ખેરગામ પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, અસીમ શેખે 2019થી એક હિન્દુ સગીર યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને તેની સાથે લગ્ન કરવાનું વચન આપીને તેનો ઉપયોગ કર્યો હતો. છોકરી તેનો બદઈરાદો જાણી જતાં તેણે તેનો વિરોધ કર્યો હતો.  જો કે અસીમે તેને ધમકાવીને મારપીટ કરી અને ઘણીવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ સમગ્ર મુદ્દે અંતે પીડિતાએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને પોલીસે આરોપીની મુંબઈથી ધરપકડ કરી હતી. મંગળવારે અસીમ શેખને કોર્ટમાં રજુ કરતા તારીખ 13 જુલાઈ સુધીના 10 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. 


આરોપી ગુનાઈત ઈતિહાસ ધરાવે છે


અસીમ શેખ હિસ્ટ્રીશીટર છે, નવસારી જિલ્લાનો માથા ભારેબુટલેગર છે. તેની સામે નવસારી, વલસાડ તેમજ સુરત શહેરમાં પ્રોહીબીશન અલગ-અલગ 14 જેટલા ગુનાઓ તથા મારામારીના ત્રણ ગુનાઓ ઉપરાંત વ્યાજખોરી બાબતનો એક ગુનો નોંધાયો છે. તેની પર કુલ 18 જેટલા ગુનાઓ નોંધાયેલ છે. જેમાં વલસાડ જિલ્લાના 05 જેટલા ગુનામાં તે હાલમાં વોન્ટેડ છે. ઉપરાંત તેના ઉપર બે વખત પાસાની કાર્યવાહી કરવામાં પણ આવેલી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.