હિમંતા બિસ્વા સરમાનો વાણીવિલાસ, 'કોંગ્રેસને મત આપશો તો બાબરો અને ઔરંગઝેબોને વિટામિન મળશે'


  • Published By :
  • Published Date : 2023-11-08 22:29:40

મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. આ પહેલા તમામ રાજકીય પક્ષો જનતાને રિઝવવા માટે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પણ મધ્યપ્રદેશ પહોંચ્યા અને ખંડવામાં ચૂંટણી રેલીને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું, "જો કોંગ્રેસ ચૂંટણી જીતશે તો બાબર અને ઔરંગઝેબ આખા ભારતમાં આપણા લોકો પર અત્યાચાર કરવાનું શરૂ કરશે." તેમણે જનતાને કોંગ્રેસને મત ન આપવા અપીલ પણ કરી હતી.


'કોંગ્રેસને મત આપવાથી ઔરંગઝેબને વિટામિન મળે છે'


સરમાએ પોતાના સંબોધનમાં કહ્યું કે જ્યારે દિગ્વિજય સિંહ હિંદુઓ વિરુદ્ધ બોલે છે ત્યારે લોહી ઉકળી ઉઠે છે. આસામના સીએમએ કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે કોંગ્રેસને વોટ આપવાનો અર્થ છે દેશમાં 'બાબરો'ને પ્રોત્સાહિત કરવા. જ્યારે કોંગ્રેસને વોટ મળે છે ત્યારે ઔરંગઝેબોને વિટામિન મળે છે.


'કમલનાથ ચૂંટણીલક્ષી હિન્દુ બન્યા'


તેમણે વધુમાં કહ્યું કે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે કમલનાથ અને કોંગ્રેસ હિન્દુ બની જાય છે. આ દરમિયાન તેમણે મહાદેવ એપ કેસનો પણ ઉલ્લેખ કર્યો અને આરોપ લગાવ્યો કે ભૂપેશ બઘેલે રૂ. 500 કરોડનું કૌભાંડ કર્યું છે. તેઓએ મહાદેવ એપ નહીં પણ ભૂપેશ એપ લાવવી જોઈએ.


'કોંગ્રેસની જીત બાદ કર્ણાટકમાં તોફાનો શરૂ'


સરમાએ કહ્યું કે કર્ણાટકમાં કોંગ્રેસની જીત થઈ અને બાબરો અને ઔરંગઝેબોને ઓક્સિજન મળી ગયો. તેમને આ ઓક્સિજન ક્યાંથી મળ્યો તે ખબર નથી, પરંતુ ત્યાં હંગામો શરૂ થઈ ગયો. તેમણે દાવો કર્યો કે જો કોંગ્રેસ જીતે છે, તો તેમના તોફાનો તરત જ શરૂ થઈ જાય છે. આ તેમની રાજનીતિ છે... આપણે કોંગ્રેસના 'ચુંટણીલક્ષી' હિન્દુત્વને નકારી કાઢવું ​​પડશે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે