આસામ પોલીસે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધી, યાત્રાને ગુવાહાટીમાં પ્રવેશ કરતા રોકી, કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ


  • Published By :
  • Published Date : 2024-01-23 14:39:24

રાહુલ ગાંધીના નેતૃત્વવાળી ભારત જોડો ન્યાય યાત્રાને આસામ પોલીસે ગુવાહાટીમાં પ્રવેશ કરતા રોકી દીધી છે. આ યાત્રા સાથે ચાલી રહેલા લગભગ પાંચ હજાર જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓને પોલીસે રોક્યા તો પોલીસ સાથે તેમનું ઘર્ષણ થયું હતું. કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે સંઘર્ષ થતાં પોલીસે રાહુલ ગાંધી સામે FIR નોંધાવી છે.


રાહુલ ગાંધીના કાફલાને રોકવામાં આવ્યો


મળતી જાણકારી મુજબ રાહુલ ગાંધીના કાફલાને ગુવાહાટી શહેરમાં પ્રવેશ રોકવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન અને બેરિકેડ તોડી નાખ્યા હતા. કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ વિરોધ પ્રદર્શન દરમિયાન પણ સુત્રોચ્ચાર ચાલું રાખ્યો હતો. કોંગ્રેસ સમર્થકોને આગળ વધતા રોકવા માટે પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. પોલીસે આ મામલે ખુલાસો કરતા કહ્યું કે યાત્રાને ગુવાહાટીમાં પ્રવેશની મંજુરી નહોંતી તેમ છતાં કોંગ્રેસે યાત્રાનો શહેરમાં પ્રવેશ કરાવ્યો હતો. આ મામલે CM હિમંત બિસ્વ સરમાએ DGP સાથે વાતચીત કર્યા બાદ રાહુલ ગાંધી વિરૂધ્ધ કેસ નોંધાવાની સૂચના આપી હતી.


મુખ્યમંત્રીએ શું કહ્યું? 


રાહુલ ગાધીની યાત્રા અંગે સીએમ હિમંત બિસ્વ સરમાએ કહ્યું હતું કે માર્ગો પર જામની સ્થિતીને ટાળવા માટે યાત્રાને ગુવાહાટી શહેરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. આ દરમિયાન ભારત જોડો યાત્રા દરમિયાન ખાનાપારામાં ગુવાહાટી ચોક પર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.