આસામ પોલીસે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધી, યાત્રાને ગુવાહાટીમાં પ્રવેશ કરતા રોકી, કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ


  • Published By :
  • Published Date : 2024-01-23 14:39:24

રાહુલ ગાંધીના નેતૃત્વવાળી ભારત જોડો ન્યાય યાત્રાને આસામ પોલીસે ગુવાહાટીમાં પ્રવેશ કરતા રોકી દીધી છે. આ યાત્રા સાથે ચાલી રહેલા લગભગ પાંચ હજાર જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓને પોલીસે રોક્યા તો પોલીસ સાથે તેમનું ઘર્ષણ થયું હતું. કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે સંઘર્ષ થતાં પોલીસે રાહુલ ગાંધી સામે FIR નોંધાવી છે.


રાહુલ ગાંધીના કાફલાને રોકવામાં આવ્યો


મળતી જાણકારી મુજબ રાહુલ ગાંધીના કાફલાને ગુવાહાટી શહેરમાં પ્રવેશ રોકવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન અને બેરિકેડ તોડી નાખ્યા હતા. કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ વિરોધ પ્રદર્શન દરમિયાન પણ સુત્રોચ્ચાર ચાલું રાખ્યો હતો. કોંગ્રેસ સમર્થકોને આગળ વધતા રોકવા માટે પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. પોલીસે આ મામલે ખુલાસો કરતા કહ્યું કે યાત્રાને ગુવાહાટીમાં પ્રવેશની મંજુરી નહોંતી તેમ છતાં કોંગ્રેસે યાત્રાનો શહેરમાં પ્રવેશ કરાવ્યો હતો. આ મામલે CM હિમંત બિસ્વ સરમાએ DGP સાથે વાતચીત કર્યા બાદ રાહુલ ગાંધી વિરૂધ્ધ કેસ નોંધાવાની સૂચના આપી હતી.


મુખ્યમંત્રીએ શું કહ્યું? 


રાહુલ ગાધીની યાત્રા અંગે સીએમ હિમંત બિસ્વ સરમાએ કહ્યું હતું કે માર્ગો પર જામની સ્થિતીને ટાળવા માટે યાત્રાને ગુવાહાટી શહેરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. આ દરમિયાન ભારત જોડો યાત્રા દરમિયાન ખાનાપારામાં ગુવાહાટી ચોક પર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે