Assembly Elections : AAPએ પાંચ રાજ્યોમાં ઉમેદવારો ઉભા રાખ્યા પરંતુ ઉમેદવારોનું નથી ખુલ્યું ખાતું, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-03 16:44:25

દેશના પાંચ રાજ્યો માટે વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. મતદાત પૂર્ણ થતાં આજે મતગણતરી હાથ ધરવામાં આવી. ત્રણ રાજ્યોમાં ભાજપની સરકાર બની રહી છે તેવું હાલના પરિણામ જોતા લાગે છે. ભાજપ અને કોંગ્રેસની ચર્ચાઓ થઈ રહી છે કે આ પાર્ટીના ઉમેદવાર આ સિટથી આગળ ચાલી રહ્યા છે કે આ સિટથી પાછળ ચાલી રહ્યા છે. દરેક જગ્યાઓ પર બે જ પાર્ટીના ઉમેદવારની ચર્ચા થઈ રહી છે કારણ કે આમ આદમી પાર્ટીના અનેક ઉમેદવારો એવા છે જેમણે ખાતું જ નથી ખોલાવ્યું, 200 જેટલા ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા પરંતુ તેમને કોઈએ મત નથી આપ્યા!  મોટાભાગની બેઠકો પર AAPના ઉમેદવારોની ડિપોઝીટ પણ જપ્ત થઈ હતી. 

Most targeted, says Kejriwal, as AAP turns 11 | Delhi News - The Indian  Express

આપના અનેક ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત થશે!

છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ તેલંગાણા માટે આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. રાજસ્થાન, છત્તીસગઢ તેમજ મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર બની રહી છે. અનેક દિગ્ગજ નેતાઓ આ રાજ્યોમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોવા મળ્યો. ભાજપના તેમજ કોંગ્રેસના મોટા ચહેરાઓએ જનસભાઓ ગજવી. 200 જેટલા ઉમેદવારો આ ચૂંટણીમાં ઉભા રહ્યા હતા પરંતુ આમાંથી અનેક એવા ઉમેદવારો છે જેમણે ખાતું નથી ખોલ્યું. AAPએ મધ્યપ્રદેશની 70થી વધુ બેઠકો, રાજસ્થાનની 88 બેઠકો અને છત્તીસગઢની 57 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. દિલ્હી અને પંજાબની જેમ કેજરીવાલે આ રાજ્યોમાં પણ મફત વીજળી, પાણી અને શિક્ષણનું વચન આપ્યું હતું. અનેક રેલીઓ અને રોડ શો કરવા છતાં પરિણામ શું આવ્યું તે આપણી સામે છે.  

POSTERMALL Aap Logo Aaam Aadmi Party sl187 (Large Poster, 36x24 Inches,  Banner Media, Multicolor) : Amazon.in: Home & Kitchen

આપના ઉમેદવારો ખાતું પણ ખોલાઈ નથી શક્યા!

પંજાબ તેમજ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સત્તા છે. જે જે જગ્યાઓ પર ચૂંટણી હોય છે ત્યાં આપના ઉમેદવારો ઉભા રાખે છે. ગુજરાતમાં પણ આપે ઉમેદવારો વિધાનસભા ચૂંટણી માટે ઉભા રાખ્યા હતા. ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીના ઉમેદવારોને મત આપી તેમને ધારાસભ્યો બનાવ્યા. પંરતુ દેશના ચાર રાજ્યો માટે જ્યારે આજે પરિણામ આવ્યું ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારો ખાતું પણ ખોલી ન શક્યા તેવા સમાચાર સામે આવ્યા છે. અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માને રેલીઓ ગજવી પરંતુ તે મતમાં ફેરવાયા હોય તેવું નથી લાગી રહ્યું. 200 ઉમેદવારોમાંથી એક પણ ઉમેદવારે ખાતું ખોલાવ્યું નથી તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.