Assembly Elections : AAPએ પાંચ રાજ્યોમાં ઉમેદવારો ઉભા રાખ્યા પરંતુ ઉમેદવારોનું નથી ખુલ્યું ખાતું, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-03 16:44:25

દેશના પાંચ રાજ્યો માટે વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. મતદાત પૂર્ણ થતાં આજે મતગણતરી હાથ ધરવામાં આવી. ત્રણ રાજ્યોમાં ભાજપની સરકાર બની રહી છે તેવું હાલના પરિણામ જોતા લાગે છે. ભાજપ અને કોંગ્રેસની ચર્ચાઓ થઈ રહી છે કે આ પાર્ટીના ઉમેદવાર આ સિટથી આગળ ચાલી રહ્યા છે કે આ સિટથી પાછળ ચાલી રહ્યા છે. દરેક જગ્યાઓ પર બે જ પાર્ટીના ઉમેદવારની ચર્ચા થઈ રહી છે કારણ કે આમ આદમી પાર્ટીના અનેક ઉમેદવારો એવા છે જેમણે ખાતું જ નથી ખોલાવ્યું, 200 જેટલા ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા પરંતુ તેમને કોઈએ મત નથી આપ્યા!  મોટાભાગની બેઠકો પર AAPના ઉમેદવારોની ડિપોઝીટ પણ જપ્ત થઈ હતી. 

Most targeted, says Kejriwal, as AAP turns 11 | Delhi News - The Indian  Express

આપના અનેક ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત થશે!

છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ તેલંગાણા માટે આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. રાજસ્થાન, છત્તીસગઢ તેમજ મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર બની રહી છે. અનેક દિગ્ગજ નેતાઓ આ રાજ્યોમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોવા મળ્યો. ભાજપના તેમજ કોંગ્રેસના મોટા ચહેરાઓએ જનસભાઓ ગજવી. 200 જેટલા ઉમેદવારો આ ચૂંટણીમાં ઉભા રહ્યા હતા પરંતુ આમાંથી અનેક એવા ઉમેદવારો છે જેમણે ખાતું નથી ખોલ્યું. AAPએ મધ્યપ્રદેશની 70થી વધુ બેઠકો, રાજસ્થાનની 88 બેઠકો અને છત્તીસગઢની 57 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. દિલ્હી અને પંજાબની જેમ કેજરીવાલે આ રાજ્યોમાં પણ મફત વીજળી, પાણી અને શિક્ષણનું વચન આપ્યું હતું. અનેક રેલીઓ અને રોડ શો કરવા છતાં પરિણામ શું આવ્યું તે આપણી સામે છે.  

POSTERMALL Aap Logo Aaam Aadmi Party sl187 (Large Poster, 36x24 Inches,  Banner Media, Multicolor) : Amazon.in: Home & Kitchen

આપના ઉમેદવારો ખાતું પણ ખોલાઈ નથી શક્યા!

પંજાબ તેમજ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સત્તા છે. જે જે જગ્યાઓ પર ચૂંટણી હોય છે ત્યાં આપના ઉમેદવારો ઉભા રાખે છે. ગુજરાતમાં પણ આપે ઉમેદવારો વિધાનસભા ચૂંટણી માટે ઉભા રાખ્યા હતા. ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીના ઉમેદવારોને મત આપી તેમને ધારાસભ્યો બનાવ્યા. પંરતુ દેશના ચાર રાજ્યો માટે જ્યારે આજે પરિણામ આવ્યું ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારો ખાતું પણ ખોલી ન શક્યા તેવા સમાચાર સામે આવ્યા છે. અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માને રેલીઓ ગજવી પરંતુ તે મતમાં ફેરવાયા હોય તેવું નથી લાગી રહ્યું. 200 ઉમેદવારોમાંથી એક પણ ઉમેદવારે ખાતું ખોલાવ્યું નથી તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે.  



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.