Assembly Elections : AAPએ પાંચ રાજ્યોમાં ઉમેદવારો ઉભા રાખ્યા પરંતુ ઉમેદવારોનું નથી ખુલ્યું ખાતું, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-03 16:44:25

દેશના પાંચ રાજ્યો માટે વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. મતદાત પૂર્ણ થતાં આજે મતગણતરી હાથ ધરવામાં આવી. ત્રણ રાજ્યોમાં ભાજપની સરકાર બની રહી છે તેવું હાલના પરિણામ જોતા લાગે છે. ભાજપ અને કોંગ્રેસની ચર્ચાઓ થઈ રહી છે કે આ પાર્ટીના ઉમેદવાર આ સિટથી આગળ ચાલી રહ્યા છે કે આ સિટથી પાછળ ચાલી રહ્યા છે. દરેક જગ્યાઓ પર બે જ પાર્ટીના ઉમેદવારની ચર્ચા થઈ રહી છે કારણ કે આમ આદમી પાર્ટીના અનેક ઉમેદવારો એવા છે જેમણે ખાતું જ નથી ખોલાવ્યું, 200 જેટલા ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા પરંતુ તેમને કોઈએ મત નથી આપ્યા!  મોટાભાગની બેઠકો પર AAPના ઉમેદવારોની ડિપોઝીટ પણ જપ્ત થઈ હતી. 

Most targeted, says Kejriwal, as AAP turns 11 | Delhi News - The Indian  Express

આપના અનેક ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત થશે!

છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ તેલંગાણા માટે આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. રાજસ્થાન, છત્તીસગઢ તેમજ મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર બની રહી છે. અનેક દિગ્ગજ નેતાઓ આ રાજ્યોમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોવા મળ્યો. ભાજપના તેમજ કોંગ્રેસના મોટા ચહેરાઓએ જનસભાઓ ગજવી. 200 જેટલા ઉમેદવારો આ ચૂંટણીમાં ઉભા રહ્યા હતા પરંતુ આમાંથી અનેક એવા ઉમેદવારો છે જેમણે ખાતું નથી ખોલ્યું. AAPએ મધ્યપ્રદેશની 70થી વધુ બેઠકો, રાજસ્થાનની 88 બેઠકો અને છત્તીસગઢની 57 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. દિલ્હી અને પંજાબની જેમ કેજરીવાલે આ રાજ્યોમાં પણ મફત વીજળી, પાણી અને શિક્ષણનું વચન આપ્યું હતું. અનેક રેલીઓ અને રોડ શો કરવા છતાં પરિણામ શું આવ્યું તે આપણી સામે છે.  

POSTERMALL Aap Logo Aaam Aadmi Party sl187 (Large Poster, 36x24 Inches,  Banner Media, Multicolor) : Amazon.in: Home & Kitchen

આપના ઉમેદવારો ખાતું પણ ખોલાઈ નથી શક્યા!

પંજાબ તેમજ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સત્તા છે. જે જે જગ્યાઓ પર ચૂંટણી હોય છે ત્યાં આપના ઉમેદવારો ઉભા રાખે છે. ગુજરાતમાં પણ આપે ઉમેદવારો વિધાનસભા ચૂંટણી માટે ઉભા રાખ્યા હતા. ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીના ઉમેદવારોને મત આપી તેમને ધારાસભ્યો બનાવ્યા. પંરતુ દેશના ચાર રાજ્યો માટે જ્યારે આજે પરિણામ આવ્યું ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારો ખાતું પણ ખોલી ન શક્યા તેવા સમાચાર સામે આવ્યા છે. અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માને રેલીઓ ગજવી પરંતુ તે મતમાં ફેરવાયા હોય તેવું નથી લાગી રહ્યું. 200 ઉમેદવારોમાંથી એક પણ ઉમેદવારે ખાતું ખોલાવ્યું નથી તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે.  



સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વાલેવડા ગામે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું છે. આ મામલે , દસાડા પોલીસ મથકે એક વ્યક્તિ સામે ફરજમાં રુકાવટ અંગેની ફરિયાદ પોતે પોલીસ કર્મચારી દ્વારા નોંધાવવામાં આવી છે. બીજી બાજુ કોંગ્રેસના પૂર્વ MLA અને ગ્રામજનો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે , સ્થાનિક PI દ્વારા રિવોલ્વર મૂકીને ધમકી આપીને માર મારવામાં આવ્યો છે.

There is a lot of discussion on the relations between India and America, whether it is Donald Trump's tariff hike or calling PM Modi a special friend, everyone's eyes are on these relations between India and America. Amidst all this, US Ambassador to India Sergio Gore reached Mumbai and this visit is considered a very important one.

ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.