દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત, જાણો છેલ્લી ચૂંટણીમાં 5 રાજ્યોમાં કયા પક્ષે બાજી મારી હતી?


  • Published By :
  • Published Date : 2023-10-09 22:14:53

આજે કેન્દ્રીય ચૂંટણી પંચે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાતો કરી. આ રાજ્ય છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ. ટૂંક સમયમાં આ રાજ્યોમાં ચૂંટણી થશે અને સરકારો રચાશે. આજે જે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ તે રાજ્યોમાં 2018માં ચૂંટણી થઈ હતી. છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન થયું હતું પણ બાકીના ચારેય રાજ્યોમાં એક જ તબક્કામાં મતદાન થયું હતું. પણ શું તમને ખબર છે કે આજથી પાંચ વર્ષ પહેલા આ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની સ્થિતિ શું હતી? તે પણ જાણવું જરૂરી છે. આ પાંચ રાજ્યમાં પાંચ વર્ષ પહેલા યોજાયેલી વિધાનસભા ચૂંટણીના શું પરિણામ આવ્યું હતું તે આ લેખમાં અમે તમને જણાવીશું.


રાજસ્થાન


રાજ્યો મુજબ વાત કરીએ તો રાજસ્થાનમાં 2018માં 199 ધારાસભ્યોએ વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. આ ચૂંટણીમાં કોંગ્રેસે 199માં શતક ફટકારી હતી અને ભાજપને 73 બેઠકો મેળવીને સંતોષ કર્યો હતો. 13 ધારાસભ્યો અપક્ષ ચૂંટાયા હતા, 6 ધારાસભ્યો માયાવતી બહેનની બસપામાંથી ચૂંટાયા હતા અને બાકી સ્થાનિક પક્ષોમાંથી 1-2 ધારાસભ્યો ચૂંટાયા હતા. રામગઢની ચૂંટણી મોકૂફ રહી હતી કારણ કે ત્યાં બસપાના ઉમેદવાર લક્ષ્મણસિંહનું હ્રદય રોગના હુમલાના કારણે નિધન થયું હતું. જો કે 2019માં રામગઢની બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી જીત્યા હતા. 


મધ્ય પ્રદેશ


મધ્ય પ્રદેશની ચૂંટણી જબરદસ્ત રહી હતી કારણ કે ત્યાં કમલનાથ સીએમ બન્યા હતા પણ ટકી શક્યા નહોતા. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ભાજપથી પાંચ બેઠકો વધારે મળી હતી. ભાજપને 109 અને કોંગ્રેસને 114 બેઠકો મળી હતી. મધ્યપ્રદેશમાં કુલ 230 વિધાનસભા સીટ છે અને જીતવા માટેનો જાદુઈ આંકડો 116નો છે. બહુમતી હાસલ કરીને કોંગ્રેસે સરકાર બનાવી હતી. પણ સરકાર અડધો મહિનો તો માંડ ચાલી. જ્યોતિરાદિત્ય સિંધિયાએ બળવો કરીને કોંગ્રેસના 22 ધારાસભ્યોને રાજીનામા અપાવી દીધા હતા અને પછી બહુમતિ જતી રહેવાના કારણે કમલનાથને રાજીનામું આપી દેવું પડ્યું હતું. અંતે શિવરાજસિંહ ચૌહાણ જેને મધ્યપ્રદેશના લોકો મામા કહીને બોલાવે છે તેણે 127 ધારાસભ્યો સાથે સરકાર બનાવી હતી. આ સાથે શિવરાજસિંહ ચૌહાણ ચોથીવાર મધ્યપ્રદેશના મુક્યમંત્રી બન્યા હતા. 


છત્તીસગઢ


છત્તીસગઢની વિધાનસભા ચૂંટણી પણ મધ્યપ્રદેશ જેવી જ હતી કારણ કે ત્યાં 15 વર્ષ બાદ કોંગ્રેસના હાથમાં સત્તા આવી હતી. કુલ 90 બેઠકોમાંથી કોંગ્રેસને 68 અને ભાજપને 15 બેઠકો મળી હતી. બહુમતી મેળવ્યા બાદ ભૂપેશ બઘેલે સરકાર બનાવી હતી. હાલ કોંગ્રેસ પાસે 71 ધારાસભ્યો છે અને ભાજપ પાસે 13 ધારાસભ્યો છે. 


મિઝોરમ 


2018ની વિધાનસભા ચૂંટણમીમાં મિઝોરમમાં મિઝોનેશનલ ફ્રન્ટે 40 બેઠકોમાંથી 26 બેઠકો મેળવી હતી. આ સાથે જ એમએનએફએ 10 વર્ષ પછી ફરીવાર સત્તાનો સ્વાદ ચાખ્યો હતો. હાલ જોરામથાંગા મિઝોરમના મુખ્યમંત્રી છે. ભારતીય જનતા પાર્ટી પાસે અહીં એક ધારાસભ્ય છે અને કોંગ્રેસ પાસે અહીં પાંચ ધારાસભ્ય છે. 


તેલંગાણા


છેલ્લું રહ્યું એ રાજ્ય છે તેલંગાણા. ભારત રાષ્ટ્ર સમિતીએ 119 વિધાનસભા બેઠકોમાંથી 88 બેઠકો મળી હતી. કોંગ્રેસને 19 વિધાનસભા બેઠકો મળી હતી. હાલ મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની ટીઆરએસ પાર્ટી પાસે 101 ધારાસભ્યો છે. 


એટલે કે પાંચ રાજ્યોમાં મધ્યપ્રદેશ ભાજપ ભાજપ શાસિત છે, રાજસ્થાન અને છત્તીસગઢ કોંગ્રેસ શાસિત છે, તેલંગાણામાં ટીઆરએસ છે. અને મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટ છે. આ સરકારોમાં આગામી સમયમાં શું બદલાવો આવશે એ જોવાનું રહેશે.



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."