દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત, જાણો છેલ્લી ચૂંટણીમાં 5 રાજ્યોમાં કયા પક્ષે બાજી મારી હતી?


  • Published By :
  • Published Date : 2023-10-09 22:14:53

આજે કેન્દ્રીય ચૂંટણી પંચે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાતો કરી. આ રાજ્ય છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ. ટૂંક સમયમાં આ રાજ્યોમાં ચૂંટણી થશે અને સરકારો રચાશે. આજે જે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ તે રાજ્યોમાં 2018માં ચૂંટણી થઈ હતી. છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન થયું હતું પણ બાકીના ચારેય રાજ્યોમાં એક જ તબક્કામાં મતદાન થયું હતું. પણ શું તમને ખબર છે કે આજથી પાંચ વર્ષ પહેલા આ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની સ્થિતિ શું હતી? તે પણ જાણવું જરૂરી છે. આ પાંચ રાજ્યમાં પાંચ વર્ષ પહેલા યોજાયેલી વિધાનસભા ચૂંટણીના શું પરિણામ આવ્યું હતું તે આ લેખમાં અમે તમને જણાવીશું.


રાજસ્થાન


રાજ્યો મુજબ વાત કરીએ તો રાજસ્થાનમાં 2018માં 199 ધારાસભ્યોએ વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. આ ચૂંટણીમાં કોંગ્રેસે 199માં શતક ફટકારી હતી અને ભાજપને 73 બેઠકો મેળવીને સંતોષ કર્યો હતો. 13 ધારાસભ્યો અપક્ષ ચૂંટાયા હતા, 6 ધારાસભ્યો માયાવતી બહેનની બસપામાંથી ચૂંટાયા હતા અને બાકી સ્થાનિક પક્ષોમાંથી 1-2 ધારાસભ્યો ચૂંટાયા હતા. રામગઢની ચૂંટણી મોકૂફ રહી હતી કારણ કે ત્યાં બસપાના ઉમેદવાર લક્ષ્મણસિંહનું હ્રદય રોગના હુમલાના કારણે નિધન થયું હતું. જો કે 2019માં રામગઢની બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી જીત્યા હતા. 


મધ્ય પ્રદેશ


મધ્ય પ્રદેશની ચૂંટણી જબરદસ્ત રહી હતી કારણ કે ત્યાં કમલનાથ સીએમ બન્યા હતા પણ ટકી શક્યા નહોતા. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ભાજપથી પાંચ બેઠકો વધારે મળી હતી. ભાજપને 109 અને કોંગ્રેસને 114 બેઠકો મળી હતી. મધ્યપ્રદેશમાં કુલ 230 વિધાનસભા સીટ છે અને જીતવા માટેનો જાદુઈ આંકડો 116નો છે. બહુમતી હાસલ કરીને કોંગ્રેસે સરકાર બનાવી હતી. પણ સરકાર અડધો મહિનો તો માંડ ચાલી. જ્યોતિરાદિત્ય સિંધિયાએ બળવો કરીને કોંગ્રેસના 22 ધારાસભ્યોને રાજીનામા અપાવી દીધા હતા અને પછી બહુમતિ જતી રહેવાના કારણે કમલનાથને રાજીનામું આપી દેવું પડ્યું હતું. અંતે શિવરાજસિંહ ચૌહાણ જેને મધ્યપ્રદેશના લોકો મામા કહીને બોલાવે છે તેણે 127 ધારાસભ્યો સાથે સરકાર બનાવી હતી. આ સાથે શિવરાજસિંહ ચૌહાણ ચોથીવાર મધ્યપ્રદેશના મુક્યમંત્રી બન્યા હતા. 


છત્તીસગઢ


છત્તીસગઢની વિધાનસભા ચૂંટણી પણ મધ્યપ્રદેશ જેવી જ હતી કારણ કે ત્યાં 15 વર્ષ બાદ કોંગ્રેસના હાથમાં સત્તા આવી હતી. કુલ 90 બેઠકોમાંથી કોંગ્રેસને 68 અને ભાજપને 15 બેઠકો મળી હતી. બહુમતી મેળવ્યા બાદ ભૂપેશ બઘેલે સરકાર બનાવી હતી. હાલ કોંગ્રેસ પાસે 71 ધારાસભ્યો છે અને ભાજપ પાસે 13 ધારાસભ્યો છે. 


મિઝોરમ 


2018ની વિધાનસભા ચૂંટણમીમાં મિઝોરમમાં મિઝોનેશનલ ફ્રન્ટે 40 બેઠકોમાંથી 26 બેઠકો મેળવી હતી. આ સાથે જ એમએનએફએ 10 વર્ષ પછી ફરીવાર સત્તાનો સ્વાદ ચાખ્યો હતો. હાલ જોરામથાંગા મિઝોરમના મુખ્યમંત્રી છે. ભારતીય જનતા પાર્ટી પાસે અહીં એક ધારાસભ્ય છે અને કોંગ્રેસ પાસે અહીં પાંચ ધારાસભ્ય છે. 


તેલંગાણા


છેલ્લું રહ્યું એ રાજ્ય છે તેલંગાણા. ભારત રાષ્ટ્ર સમિતીએ 119 વિધાનસભા બેઠકોમાંથી 88 બેઠકો મળી હતી. કોંગ્રેસને 19 વિધાનસભા બેઠકો મળી હતી. હાલ મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની ટીઆરએસ પાર્ટી પાસે 101 ધારાસભ્યો છે. 


એટલે કે પાંચ રાજ્યોમાં મધ્યપ્રદેશ ભાજપ ભાજપ શાસિત છે, રાજસ્થાન અને છત્તીસગઢ કોંગ્રેસ શાસિત છે, તેલંગાણામાં ટીઆરએસ છે. અને મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટ છે. આ સરકારોમાં આગામી સમયમાં શું બદલાવો આવશે એ જોવાનું રહેશે.



એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.